SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ श्री चक्षुरप्राप्यकारितावादः શ્લોકાર્થઃ નિત્યપક્ષમાં દિવાલાદિની આગળ રહેલી વસ્તુમાં જ્ઞાનની જે સ્વરૂપ યોગ્યતા છે તે જ દિવાલાદિની પાછળ રહેલી વસ્તુમાં પણ છે. તેથી તેને અયોગ્ય માની શકાશે નહીં અને અનિત્યપક્ષમાં પણ ચક્ષુ સંયોગાદિપ સહકારીઓ, સમ્બન્ધ કર્યા વિના વિષયમાં ફેરફાર કરવા સમર્થ નથી બની શકતા. માટે પણ તેને અયોગ્ય તરીકે સ્વીકારી શકાશે નહીં. શ્લોક-૧૪-૧૫ : અવતરણિકા : ૧૩માં શ્લોકમાં જણાવેલ અતિશય = ફેરફાર પદાર્થ શું છે? અને પ્રત્યાસત્તિનું સ્વરૂપ નૈયાયિકો અને બૌદ્ધોના મતે શું છે? તે જણાવે છે અને તેના દ્વારા ચક્ષુમાં પ્રાપ્યકારિતા સિદ્ધ કરે છે. कुर्वपक्षणात्मायं संयोगोऽस्माभिरत्र च। बौद्धैर्निरन्तरोत्पादः प्रत्यासत्तिश्च भण्यते // 14 // तदेतदुंभयं कृष्णसारस्यार्थेन नोचितम् / गतिक्रमेण किन्त्वक्षणस्तद् युज्यतेत्यपाकृतम् // 15 // શ્લોકાર્થ : અહિ વિષયનો ફેરફાર (અતિશય) પદાર્થ વિષયની ફલોન્મુખ અવસ્થા સ્વરૂપ છે અને પ્રત્યાત્તિ = સમ્બન્ધ, અમારા = નૈયાયિકોના મતે સંયોગરૂપ છે અને બૌદ્ધો સંયોગને માનતા ન હોવાથી આંખના પ્રદેશથી માંડીને તે તે દેશના ક્રમે વિષયદેશ સુધીમાં જે નવી નવી આંખ ઉત્પન્ન થાય છે. તે સ્વરૂપ સ્વીકારાય છે. અને આ સંયોગ કે નિરન્તરોત્પાદ રૂપ બન્ને સમ્બન્ધો આંખની ગતિ ન માનો તો ઘટી શકે તેમ નથી માટે આંખ ગતિદ્વારા વિષય સુધી પહોંચીને પછી જ જ્ઞાનને ઉત્પન્ન કરે છે અર્થાત્ પ્રાપ્યકારી છે.” તેમ સ્વીકારવું જ યોગ્ય છે.” આમ 12 થી 15 સુધીમાં જણાવેલ દોષ (એએન = ગતિનિયામકને જ જ્ઞાનજનક માનવાના કારણે) ખંડિત થાય છે. નોંધ : અંતર = આંતરું, વ્યવધાન - આંતરા વગરના તરીકે વસ્તુનો ઉત્પાદન સંયોગ, સ્થાનીય નિરંતર ઉત્પાદ. 19. निरन्तरोत्पादसंयोगलक्षणम् /
SR No.004442
Book TitleChakshurprapyakaritawad
Original Sutra AuthorN/A
AuthorPunyapalsuri
PublisherParshwabhyuday Prakashan
Publication Year2009
Total Pages268
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy