SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ 14 હોવા છતાં સુંદર હાલત આ અને આવી બધી અનેક વિશેષતાઓથી સંયુક્ત આ પ્રતિ જિનશાસનની અદ્ભુત મૂડી છે. પૂર્વજોએ કરેલી મહેનત અને શ્રુતની જાળવણીનો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે શ્રુત-સુરક્ષા એ વર્તમાનકાળનો ગંભીર પ્રશ્ન છે અને એ પ્રશ્નની ભયંકર ઉપેક્ષા સેવાઈ રહી છે એ પણ હકીકત છે. પ્રસ્તુત ગ્રંથના સંકલનની પણ થોડી વાત રજૂ કરવી જરૂરી માનું છું. સૌપ્રથમ મૂળ ગાથા, ત્યાર પછી એનું ટીપ્પણ, ત્યાર પછી એ ગાથાનો સામાન્યભાવાનુવાદ આ રીતે ગ્રંથનું સંકલન કરવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષા, નિરસવિષય અને નબન્યાયની શૈલી હોવાથી એનો ગુર્જરભાવાનુવાદ સામાન્ય અભ્યાસુને સહાયક બની શકે તેવો છે. આ વિષયનો તલસ્પર્શી અભ્યાસ થઈ શકે એવી શુભ ભાવનાથી સ્વપર શાસનના અનેક ગ્રંથો-પ્રકરણોમાંથી આ વિષયને સમજાવતાપુષ્ટ કરતા જે જે સંદર્ભો મળ્યા છે તે તે સંદર્ભોને તે તે ગ્રંથોના નામોલ્લેખ સાથે પરિશિષ્ટોમાં સમાવેશ કરવામાં આવ્યા છે. સૌથી અગત્યની વાત એ છે કે “અજ્ઞાતકર્તકવાદસંગ્રહ’ નામની એક અપ્રગટ હસ્તપ્રતમાં પણ આ વિષય ચર્ચેલો હોવાથી એનું પણ લિયંતર કરીને આમાં જોડાણ કરવામાં આવ્યું છે. એક વાતનો ઉલ્લેખ કર્યા વિના હું રહી શકતો નથી કે જે સ્વરૂપે આ ગ્રંથ તૈયાર થયો છે; એના મૂળમાં મુનિશ્રી યશોજીતવિજયજીના શિષ્યરત્નો-પુત્રમુનિવર્યો-મુનિશ્રીવિરતીન્દ્રવિજયજી અને મુનિશ્રી કીર્તીન્દ્રવિજયજી છે. એક વાત હું ભારપૂર્વક જણાવવા માગું છે કે આ બન્નેય મુનિવરોએ પોતાના ચાલુ જ્ઞાનાભ્યાસમાંથી પોતાનો કિંમતી સમય પ્રસ્તુત હસ્તપ્રતનું લિખંતર કરવા માટે, ગ્રંથનો ગુજરાતી ભાવાનુવાદ કરવા માટે અને પરિશિષ્ટોમાં સંકલિત સંદર્ભે એકત્ર કરવા માટે આપીને જે જહેમત ઉઠાવી છે, તે દાદ માંગી લે એવું છે. મુ.શ્રી કલ્યાણભૂષણ વિજયને સતત માર્ગદર્શન આપતા રહ્યા છે. બન્નેય મુનિશ્રીઓ પોતાના પિતા ગુરુવર્યની શીતળ છાયામાં રહી સુંદર સંયમજીવન જીવવા સાથે જ્ઞાનની પરિણતિ કેળવવા-મેળવવા જે પુરુષાર્થ કરી રહ્યા છે; તે અનુમોદનીય છે. ભવિષ્યમાં તેઓ ખૂબ ખૂબ આગળ વધી જિનશાસન ઉપર કુઠારાઘાત કરનારા તત્ત્વોનો શાસ્ત્ર સાપેક્ષ પ્રતિકાર કરી સત્ય-સિદ્ધાન્તોની પુનઃસ્થાપના કરનારા બને એવી શુભેચ્છા પણ તેઓને પાઠવું છું. પ્રસ્તુત કૃતિનું સંપાદન-સંશોધન કરતા કરતા સ્વાધ્યાયના પરમાનંદની જે દિવ્યાનુભૂતિ થઈ છે તે ફરી ફરી થતી રહે એવી પ્રાર્થના પરમાત્માને કરું છું. પ્રસ્તુત ગ્રંથની સરળ પ્રસ્તાવના લખી આપનારા જિનાજ્ઞા પ્રભાવક વિદ્વદ્વર્ય આ. શ્રી વિજયજયદર્શનસૂરિજીનું સહજ સ્મરણ થઈ આવે છે. આ ગ્રન્થના પ્રકાશનમાં સંઘના જ્ઞાન નિધિમાંથી સવ્યય કરીને લાભાર્થી બનેલો શ્રીચિંતામણી પાર્શ્વનાથ જૈન છે. મૂ.પૂ. તપાગચ્છ સંઘ - નાસિક પણ ધન્યવાદને પાત્ર છે કે જે સંઘને આની દુર્લભ કૃતિના પ્રકાશનમાં નિમિત્ત બનવાનું સૌભાગ્ય મળ્યું.
SR No.004442
Book TitleChakshurprapyakaritawad
Original Sutra AuthorN/A
AuthorPunyapalsuri
PublisherParshwabhyuday Prakashan
Publication Year2009
Total Pages268
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy