SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ રહીને પ્રતિઓ કાઢી આપતા. મુનિઓ દ્વારા પણ ઝેરોક્ષ કઢાવીને તુંરત જ મૂળ પ્રતિઓ પાછી આપી દેવામાં આવતી હતી. તેઓના આ સહકારનું જેટલું અનુમોદન કરું એટલું ઓછું છે. આ રીતે પ્રાપ્ત થયેલી અલભ્યદુર્લભ એવી આ કૃતિ-પ્રતિ જ પ્રસ્તુત ગ્રંથના સંપાદનનો એકમે આધાર બની છે. એ પણ એક વાસ્તવિકતા છે કે ઘણી તપાસ કરવા છતાં આની બીજો કોઈ પ્રતિ અમને ક્યાંયથી મળી નથી. શત્રુંજયમંડન દાદા શ્રીઆદિનાથ પ્રભુના શીતલસાંનિધ્યમાં આ ગ્રંથનું સંપાદન-સંશોધન કરીને પુનરુદ્ધાર કરવાનો જે સંકલ્પ કર્યો હતો, પરમાત્માની કૃપાથી તે આજે સાકાર બની રહ્યો છે તેનો જેટલો આનંદ છે તેટલો જ આનંદ શત્રુંજયની ટુંક ઉપર આ ગ્રંથના રચયિતા મહાપુરુષ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મ.સા.ના પગલાની જે પ્રતિષ્ઠા થઈ હતી તેને 300 વર્ષ ફાગણ સુદ-૫ (સં. 2068 વર્ષ)ના દિવસે પૂર્ણ થઈ રહ્યા છે તેનો છે. સાથે સાથે મારા પરમતારક, પરમારાધ્ધપાદ, પરમોપકારી ભારતવર્ષાલંકાર-તપાગચ્છીયાવિચ્છિન્નસામાચારી સંરક્ષક પાવાપુરી-હસ્તગિરિઅબુદાચલાદિ તીર્થોદ્ધારક પૂજયપાદ આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના ભવ્ય રીતે ઉજવાઈ રહેલા દીક્ષા-શતાબ્દિવર્ષે આ ગ્રંથના પ્રકાશન દ્વારા એક અણમોલ ભેટ તેઓશ્રીને અપાઈ રહી છે તેથી તે આનંદ દ્વિગુણિત બની રહ્યો છે. ને અનેક વિશેષતાઓથી સભર આ ગ્રંથ છે અને એની હસ્તપ્રત પણ એક ઉત્તમ આદર્શ કહી શકાય એવી છે. સૌથી મહત્ત્વની વિશેષતા એ છે - આ ગ્રંથના રચયિતા પૂજય મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજા સ્વયં પોતે છે. ગ્રંથનો વિષય ભલે નાનો રહ્યો, પણ મહત્ત્વનો છે. આંખ એ પદાર્થને સ્પર્યા વગર જ વિષયનો અવબોધ કરે છે, આ સિદ્ધાંતનું નવ્યન્યાયની શૈલીમાં આપણા પ્રાચીન મહાપુરુષોની માન્યતાને પુષ્ટ કરતું આ વિવેચન પૂ. મહોપાધ્યાયશ્રીજીની પ્રચંડ શ્રદ્ધા-તીવ્રમેધા અને અનુપમ તાર્કિક શક્તિના દર્શન કરાવે છે. આંખ એ વિષયને સ્પર્યા વગર નહિ, પણ વિષયને સ્પર્શીને જ પદાર્થનો અવબોધ કરે છે. આવી માન્યતા ધરાવતા તે તે સમયના પંડિતોનું નામ આપી સિદ્ધાંતના આધારે તર્કબદ્ધ રજૂઆત દ્વારા ખંડન કરીને પરપક્ષીયની માન્યતાનો જે સફાયો બોલાવ્યો છે તે અદૂભુત અજોડ ને બેનમૂન છે. જે રીતે ગ્રંથ વિશેષતાઓથી સભર છે તે રીતે આની હસ્તપ્રત પણ અનેક વિશેષતાઓથી સભર છે. આ પ્રતિના લેખક મુનિશ્રી કીર્તિરત્ન વિજયજી નામના મુનિવર છે. તેઓએ વિ.સં. ૧૭૧૦માં જે પ્રતિ લખી એ જ પ્રતિના આધારે આજે આ ગ્રંથનું સંકલન-સંપાદન થઈ રહ્યું છે. આ પ્રતિના લેખક મુનિવરે બીજા પણ ગ્રંથોનો પ્રથમદર્શ કર્યો હોવાનો ઇતિહાસ સાંપડે છે. આ પ્રતિ વિશિષ્ટ પ્રતિ લેખનનો આદર્શ નમૂનો છે. સુંદર મરોડદાર અને સ્પષ્ટ વાંચી શકાય તેવા અક્ષરો અંતરને અનેરો આનંદ આપે છે. દરેક જગ્યાએ કરાયેલ પદચ્છેદ, સંધિસૂચકાદિ ચિન્હોથી અંકિત, વિશિષ્ટ શબ્દોના અર્થ-બોધ કરાવતી વિશેષ ટીપ્પણોથી મંડિત, 359 વર્ષ પૂર્વે લખાયેલી
SR No.004442
Book TitleChakshurprapyakaritawad
Original Sutra AuthorN/A
AuthorPunyapalsuri
PublisherParshwabhyuday Prakashan
Publication Year2009
Total Pages268
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy