SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ 60 કામ કરવું પડતું. ખુદ તેઓશ્રીના હસ્તાક્ષરે લખેલ પત્રમાં ઉલ્લેખ મળે છે કે બે લાખ શ્લોક પ્રમાણ ન્યાયશાસ્ત્રનું તેઓશ્રીએ સર્જન પૂર્ણ કર્યું હતું. આજે એ સર્જન ક્યાં છે તેનો કોઈ અંદાજ પણ આપણે લગાવી શકતા નથી. આવા કપરા સંજોગોમાં આપણા જેવા હોઈએ તો સર્જનયાત્રા અટકાવીને બેસી જઈએ જ્યારે તેઓશ્રી જરાય વિચલિત બન્યા વિના પોતાના ધ્યેયમાં આગળ વધતા જ રહ્યા, આ તેઓશ્રીની કર્તવ્યનિષ્ઠા પરમ વંદનીય છે. આવું અંધાધૂંધ વાતાવરણ હોય તેમાં આપણે “આપણને ચોક્કસ સાલ મળતી નથી તેની વ્યથા કેવી રીતે વ્યક્ત કરી શકીએ ? નકલ કરનાર મહાત્મા સાથે સંબંધિત એક ઇતિહાસ મળી રહ્યો છે તે જાણવા જેવો છે. તપાગચ્છાધિપતિ પૂ.આ.શ્રી વિજય દેવસૂરીશ્વરજી મહારાજાના રાજ્યકાળની વાત છે. તે સમયે પાટણમાં પૂ. મલ્લવાદીક્ષમાશ્રમણ ભગવંતની કૃતિ નયચક્ર નામના ગ્રંથરત્નની શ્રીસિંહવાદી ગણિવરે રચેલ 18000 શ્લોક પ્રમાણ ગ્રંથની પ્રાપ્તિ થતા માત્ર પંદર દિવસમાં તેનો હસ્તાદર્શ કેટલાક મહાત્માઓએ ભેગા મળી લખ્યો હતો. આ ગીતાર્થ પૂજ્યોમાં મોટા મોટા નામો હતા. તેમાં આપણા ચક્ષરપ્રાપ્યકારિતા ગ્રંથની પ્રતિ લખનારા શ્રી કીર્તિરત્ન ગણિવરનું પણ નામ સામેલ છે. પૂ. તત્ત્વ વિ.મ., પૂ. રવિ વિજય મ. પણ સાથે હતા. આ વિગત એ ગ્રંથની પુષ્યિકામાં મળે છે. માત્ર પંદર દિવસમાં 18000 શ્લોક પ્રમાણ ગ્રંથની નકલ થઈ વિ.સં. ૧૭૧૦ના પોષ વદ-૧૩ના દિવસે. આ કાળને એક મહિનો પણ પૂર્ણ થયો નથી ત્યાં જ વિ.સં. ૧૭૧૦ના મહા વદ-૧૧ના દિવસે શ્રી કીર્તિરત્ન ગણિવરે આ ગ્રંથની પણ નકલ કરી. પૂ. ઉપાધ્યાયજી મહારાજના દષ્ટિ તળેથી આ નકલ પસાર થઈ હોવી જોઈએ. આ ગ્રંથના સંપાદકશ્રીજીએ આ ગ્રંથની બીજી નકલ મળી શકે તે માટે આજના પ્રસિદ્ધ લગભગ દરેક હસ્તલિખિત જ્ઞાનભંડારોમાં તપાસ કરાવી પણ ક્યાંયથી બીજી નકલ હાથમાં આવી નથી. આ ગ્રંથના સંપાદનમાં કેટલો શ્રમ લેવામાં આવ્યો છે તે તો આપ સૌ આ ગ્રંથનું અવલોકન કરશો એટલે આપને જણાઈ આવશે. જેઓશ્રીની દીક્ષાશતાબ્દીનું વર્ષ પસાર થઈ રહ્યું છે તે સુવિહિત શ્રમણોના સર્જનહારદીક્ષાયુગપ્રવર્તક-વર્તમાનકાળની સર્વજ્ઞોમુખી વિરાટ પ્રતિભા સ્વરૂપ વ્યાખ્યાનવાચસ્પતિ પૂજયપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સુવિશાળ સમુદાયના અધિપતિ પ્રવચન પ્રદીપ - સિદ્ધાંતપ્રભાવક - મહારાષ્ટ્રશાર્દુલ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપુણ્યપાલ સૂરીશ્વરજી મહારાજા આ ગ્રંથરત્નના સંપાદકશ્રી છે. તેઓશ્રી ધર્મતીર્થપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજાના લાડીલા અને પિતા ગુરૂદેવ વાત્સલ્યનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજાના કૃપાપાત્ર પટ્ટધર છે. પૂ. ઉપાધ્યાયજી ભગવંતના ગ્રંથોના તેઓશ્રી પરમ ચાહક છે. તેઓશ્રીના પ્રવચનોમાં પૂ. ઉપાધ્યાયજી ભગવંતની
SR No.004442
Book TitleChakshurprapyakaritawad
Original Sutra AuthorN/A
AuthorPunyapalsuri
PublisherParshwabhyuday Prakashan
Publication Year2009
Total Pages268
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy