SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ રામાં ચુને નાખી પાણી રાખવું નહીં. વિગરે સિદ્ધાન્ત જાહેર કર્યો. શરૂઆતમાં વિરોધ થયા. આજે એવા બધા બેહુદા રિવાજો ફાલ્યા ફયા અને ફળ્યા છે. આજે સ્થાનકવાસી મહાસતીજીએ ઋતુધર્મના ત્રણ દિવસ પાળતાં નથી. એટલું જ નહી આગમે પણ વાંચે છે. એટલે ઉપરના પથે આપણે કાઢયા નથી. પણ તેમણે પિતે આપમતિથી પંથે કાઢયા છે. આજે એક માતાપિતાને ચા–પાંચછ દિકરા પણ હોય છે. બધા જુદા થઈ જાય છે. માતા બિચારી ઘરડી પણ, હાથે રસોઈ બનાવે છે. ગરીબ હેયતે ઘરનું તમામ કામ હાથે કરીને, દિવસભર લેથ–પથ થઈ જાય છે. ' શું આવા માતા પિતાને એકલા અટુલા રહેવું સારું લાગતું હશે? પણ સ્વછંદી અને પત્નીના નચાવ્યા નાચનારા છોકરાએથી શું કરી શકાય? પુત્ર સાથે રહે તે ખર્ચ ઓછો આવે. એકબીજાના સુખદુઃખમાં મદદ મળે. ધર્મ વધારે થાય યાત્રાઓ થાય. પૈસાનું બળ વધે. કમાણ પણ વધે, સમાજમાં આબરૂ પણ વધે. અમે આપણે પણ બધા એક થઈ જઈયે. એક અવાજ થઈ જાય. એકજ ક્રિયા કરનારા બધા થઈ જઈએ. તે આપણું બળ-શક્તિઆબરૂ વર્ચરવ–પ્રભુતા ખૂબ વધી જાય. પરંતુ આ પાંચમે આરે આવું થવા જ કેમ આપે? પરસ્પરના ઝગડાથી નુકસાન જ છે. પ્રતિમાજી તથા ચના સેંકડે પાઠ આગમો અને ગ્રંથમાં કામ ઠામ જોવા મળે છે. પરંતુ વાત સાંભળવાને મેખ કોને છે. તેજ પ્રમાણે દિગંબરેના સિદ્ધાન્તથી વિપરીત વર્ણને પણ આપણું આગ, ટીકાઓ અને ગ્રંથોમાં મોજુદ છે. બધા પક્ષવાળાઓ પિતાની વિરુદ્ધ દલિલોને સમજે પણ છે. પરંતુ આભિનિવેશિક દશાને પડદે નડે છે.
SR No.004381
Book TitleSubhashit Sukt Ratnamala Sanskrit
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1972
Total Pages576
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy