SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-२० 71. ક્ષપકશ્રેણીકાલીન આ અનાલંબનયોગને જમહર્ષિ પતંજલિવગેરે “સંપ્રશત સમાધિ' તરીકે ઓળખાવે છે. તે કઈ રીતે ઘટમાન થઈ શકે. તે સમજાવવા માટે સૌ પ્રથમ “સમ'-“પ્ર’–‘જ્ઞાત': આ ત્રણ શબ્દોનો અર્થ સમજવો જરૂરી છે. “સમ' એટલે “સમક: જેવું હોય તેવું. પ્ર’ એટલે પ્રકર્ષથી’: નિશ્ચયાત્મક રીતે. ‘જ્ઞાત' એટલે જીવના નર, નારકવગેરે પર્યાયો-અવસ્થાઓ અને દીપ-સાગર વગેરે પદાર્થોનું જ્ઞાન થવું. - આ સંપ્રજ્ઞાત' શબ્દનો અર્થ છે. એટલે જે અવસ્થામાં સાધકને જીવના નર-નાર,વગેરે પર્યાયો અવસ્થાઓનું અને દીપ-સમુદ્ર વગેરે પદાર્થોનું જેવું છે તેવું - યથાર્થ નિશ્ચયાત્મક જ્ઞાન થાય તેવી સાધકની અવસ્થાને “સંપ્રજ્ઞાત સમાધિ' કહેવાય છે. સાધકને આવું જ્ઞાન ક્ષપકશ્રેણીકાળના શુકલધ્યાનના પહેલા બે પાયામાં થતું હોય છે, માટે ક્ષપકશ્રેણીને સંપ્રજ્ઞાત સમાધિ તરીકે ઓળખવી એ ઉચિત છે. ક્ષપકશ્રેણીમાં થતાં જ્ઞાનાવરણીય કર્મના વિશેષ ક્ષયોપશમને કારણે ‘પરમાવધિ’ કક્ષાનું અવધિજ્ઞાન થાય છે. - અવધિજ્ઞાનથી રૂપી દ્રવ્યોનું જ્ઞાન થાય છે. આત્માના સાંસારિક પર્યાયો અને દીપ-સમુદ્ર વગેરે પદાર્થો રૂપી હોવાથી અવધિજ્ઞાની તે બધા પદાર્થોને સારી રીતે જોઈ શકે છે. - એમાં પણ જ્યારે પરમાવધિજ્ઞાન થાય ત્યારે ચૌદ રાજલોક પ્રમાણ વિશ્વમાં રહેલા તમામ રૂપી દ્રવ્યોને તેઓ જોઈ શકે છે અને અલોકમાં પણ અસંખ્ય લોકાકાશ પ્રમાણ ક્ષેત્રમાં જો રૂપી દ્રવ્યો હોય તો તે જોવાની તેમનામાં શક્તિ પ્રગટે છે. જો કે અલોકમાં આકાશાસ્તિકાય સિવાય અન્ય કોઈ જદ્રવ્યો હોતાં નથી. એટલે તેને જોવાનો પ્રશ્ન રહેતો નથી. - આ પરમાવધિની નિર્મળતા એવી વિશિષ્ટ હોય છે કે, તેમાં જે પણ જીવનરૂપી પર્યાયો અને દ્વીપ સમુદ્ર વગેરે પદાર્થોને તેઓ જુવે તે યથાર્થરૂપે અને નિશ્ચિતરૂપે જ જુવે છે. માટે એવા વિશિષ્ટ જ્ઞાનવાળી અવસ્થાને “સંપ્રજ્ઞાત સમાધિ' કહેવી યોગ્ય જ છે. - એ જ રીતે તેરમા-ચૌદમા ગુણસ્થાનકની સયોગ કેવળીઅવસ્થા અને અયોગ કેવળીઅવસ્થાને મહર્ષિ પતંજલિ -“અસંપ્રજ્ઞાત સમાધિ' નામે ઓળખાવે, તે પણ ઉચિત જ છે. કારણ કે, કેવળજ્ઞાન થાય ત્યારે - સઘળીયે વૃત્તિઓનો નિરોધ થવાથી આત્માના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે અને એ રીતે આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવાના કારણે મન દ્વારા થતા વિશેષજ્ઞાનનો અભાવ હોવાથી એ સ્થિતિને “અસંપ્રજ્ઞાત સમાધિ' તરીકે ઓળખાવી શકાય. જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી જ મન દ્વારા થતા વિશેષજ્ઞાનની આવશ્યકતા રહે છે. કેવળજ્ઞાન થયા પછી મન જેવા નબળા અને પરાયા માધ્યમના સહારે જ્ઞાન ન થતાં સાક્ષાતુ આત્માને જ બધું જ્ઞાન થઈ જાય છે. આથી મનથી થતું યથાર્થકોટિનું નિશ્ચયાત્મક વિશેષજ્ઞાન એ જેમ “સંપ્રજ્ઞાત સમાધિ' કહેવાય છે, તેમ મન વિના થતા યથાર્થકોટિના સંપૂર્ણ જ્ઞાનની અવસ્થાને અસંપ્રજ્ઞાત સમાધિ' કહેવાય છે.. - એમાં પણ (ચૌદમા ગુણસ્થાનકની અયોગી કેવળી અવસ્થાને ‘અયોગાખ્ય સમાધિ’, ‘વૃત્તિબીજદાહ' છે અને ધર્મમેઘ સમાધિ'ના નામે ઓળખાવી છે. - આ [ચોદમાં ગુણસ્થાનકની અયોગી કેવળી અવસ્થાને “અમૃતાત્મા', “ભવશત્રુ', ‘શિવોદય', સત્તાનંદ’ અને ‘પરઃ” આવા જુદાં જુદાં નામે અન્ય અન્ય દર્શનકારોએ વર્ણવી છે. - આ અયોગ યોગરૂપ ચૌદમાં ગુણસ્થાનક દ્વારા સર્વોત્કૃષ્ટ ફળ-નિર્વાણ-મોક્ષની પ્રાપ્તિ થાય છે. નિર્વાણ-મોક્ષ-મહાનંદની પ્રાપ્તિ એ જ યોગનું અંતિમ ફળ છે. 20
SR No.004345
Book TitleYogvinshika Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay Gani, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2007
Total Pages214
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy