SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-२० જ भवति / ततश्च श्रेणिः' क्षपकश्रेणिनियूढा भवति, सा ह्यध्यात्मादियोगप्रकर्षगर्भिताशयविशेषरूपा / एष एव सम्प्रज्ञातः समाधिस्तीर्थान्तरीयैर्गीयते / एतदपि सम्यग् यथावत् प्रकर्षण सवितर्कनिश्चयात्मकत्वेनात्मपर्यायाणामर्थतां च द्विपादीनामिह ज्ञायमानत्वादर्थतो नानुपनम् / / ततश्च 'केवलमेव केवलज्ञानमेव भवति / अयं चासम्प्रज्ञातः समाधिरिति परैर्गीयते, तत्रापि अर्थतो नानुपपत्तिः, केवलज्ञानेऽशेषवृत्त्यादिनिरोधालब्धात्मस्वभावस्य मानसविज्ञानवैकल्यादसम्प्रज्ञातत्वसिद्धेः / अयं चासम्प्रज्ञातः समाधिविधा-सयोगिकेवलिभावी अयोगिकेवलिभावी च, आद्यो मनोवृत्तीनां विकल्पज्ञानरूपाणामत्यन्तोच्छेदात्सम्पद्यते / अन्त्यश्च परिस्पन्दनरूपाणाम, अयं च केवलज्ञानस्य फलभतः / (ક્ષપકશ્રેણીના ઉપર જણાવ્યા મુજબના પરિણામને ‘સંપ્રજ્ઞાત સમાધિ' રૂપે જે કહેવાય છે) આ વાત પણ સાચી છે. કેમ કે - “સંપ્રજ્ઞાત' શબ્દમાં રહેલા. “સંપ્ર’= યથાવતુ પ્રકર્ષ'=‘સવિતર્ક નિશ્ચયરૂપ પ્રકર્ષથી આત્મપર્યાયો - 1 અને દ્વીપ-સમુદ્રાદિ ષેય પદાર્થો - 2 : આ બંને પ્રકારના પદાર્થો ક્ષપકશ્રેણીમાં જણાતા હોવાથી (શબ્દ ભલે અલગ વપરાયો છે છતાં) અર્થથી તે વાત સંગત છે. સંથી ‘સમ્યફયથાવત્' લેવાય, : પ્રથી ‘પ્રકર્ષથી–ઉત્કૃષ્ટપણે” લેવાય, જ્ઞા'થી જ્ઞાયમાન=જણાતું' લેવાય. (જ્ઞાયમાન=ક્ષપકશ્રેણીમાં તે બંને પદાર્થો જ્ઞાનરૂપે જણાતા હોય છે) (આપણે ત્યાં શુક્લધ્યાનના પહેલા બે પાયા તરીકે આ વાત રજૂ કરાઈ છે. એ શબ્દો એમને ત્યાં નથી, પરંતુ એનો અર્થ=ભાવ એક જ છે.) , ક્ષપકશ્રેણી પૂર્ણ થયા બાદ કેવળજ્ઞાન જ થાય. એ કેવળજ્ઞાન જ “અસંપ્રજ્ઞાત-સમાધિ'ના નામે અન્યધર્મીઓ વડે વર્ણવાય છે. તે વાત પણ અર્થની અપેક્ષાએ વિચારતાં ખોટી નથી. કેમકે .. કેવળજ્ઞાન અવસ્થામાં, બાકીની તમામ વૃત્તિ આદિનો નિરોધ થવાથી જે આત્મસ્વભાવ પ્રગટ થાય છે, તેમાં માનસવિજ્ઞાન (મનના સંકલ્પ-વિકલ્પો) હોતું નથી. તેથી તે “અસંપ્રજ્ઞાત સમાધિ” રૂપે સિદ્ધ છે. અને - આ “અસંપ્રજ્ઞાત-સમાધિ' બે પ્રકારની છે. - 1 - સયોગી કેવળી અવસ્થામાં થનારી અને - 2 - અયોગી કેવળી અવસ્થામાં થનારી. એમાંથી પહેલી સમાધિ (સયોગી કેવળી અવસ્થાની) વિકલ્પાત્મક જ્ઞાનરૂપ મનોવૃત્તિઓના સંપૂર્ણ નાશથી ઉત્પન્ન થાય છે. જ્યારે બીજી સમાધિ (અયોગી કેવળી અવસ્થાની) પરિસ્પંદનરૂપ વૃત્તિઓના સંપૂર્ણ નાશથી ઉત્પન્ન થાય છે. આ બીજી સમાધિ કેવળજ્ઞાનના ફળ તરીકે છે. એ જ વાતને (કેવળજ્ઞાનના ફળને) કહી રહ્યાં છે - .
SR No.004345
Book TitleYogvinshika Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay Gani, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2007
Total Pages214
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy