________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-२० अव. अथ निरालम्बनध्यानस्यैव फलपरम्परामाह - एयंमि मोहसागरतरणं सेढी य केवलं चेव / તત્તો ગનો ગોળો, મેજ પર 2 નિત્રા સારા. 'एयंमि' त्ति / एतस्मिन्' निरालम्बनध्याने लब्धे मोहसागरस्य दुरन्तरागादिभावसन्तानसमुद्रस्य तरणं - સાતમા સ્થાનકે રહેલા જિનકલ્પીઓ વગેરે સાધકોને અનાલંબનયોગ હોય છે. 2 કારણ એ છે કે સામર્થ્યયોગના કાળમાં અવિસંવાદીપણે લક્ષ્યનો વેધ કરે તેવો જે તાત્ત્વિકકોટિનો અનાલંબનયોગ હોય છે, તેવો તાત્ત્વિક કોટિનો અનાલંબનયોગ ભલે સાતમા ગુણસ્થાનકે ન હોય. આમ છતાં તેવા મુખ્ય અનાલંબનયોગને પમાડનારો અને મુખ્ય અનાલંબનયોગમાં જે પરતત્ત્વપરમાત્મતત્ત્વનું ધ્યાન હોય છે, તે જ પરતત્ત્વ-પરમાત્મતત્ત્વનાં ધ્યાનવાળો નિરાલંબનયોગ તો અહીં સાતમા-અપ્રમત્ત ગુણસ્થાનકે હોય જ છે. માટે જપિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત એમ અવસ્થાત્રયીની ' ભાવના કરતાં રૂપાતીત એવા સિદ્ધભગવંતોના ગુણોના પ્રણિધાનકાળમાં અપ્રમત્ત એવા મુનિઓને શુક્લધ્યાનના અંશરૂપ નિરાલંબનયોગ અનુભવસિદ્ધ જ છે. - કોઈ પણ સાધક પોતે પોતાના સાંસારિક સ્વરૂપને ગૌણ કરીને આત્માના સહજશુદ્ધસ્વરૂપનું ધ્યાન કરે, પરમાત્માના શુદ્ધસ્વરૂપ સાથે પોતાના શુદ્ધ સ્વરૂપની તુલના કરે તો તે પણ નિરાલંબનધ્યાન જ છે. આવું ધ્યાન એ નિરાલંબન નથી એવું કોઈ શી રીતે કહી શકે? દેહ અને કર્મથી સહિત આત્માનું સ્વરૂપ તે વ્યવહારનય માન્ય આત્મસ્વરૂપ છે. જ્યારે દેહ અને કર્મથી રહિત અનંતજ્ઞાનાદિમય આત્માનું સ્વરૂપ તે નિશ્ચયનય માન્ય આત્મસ્વરૂપ છે, માટે જ - અરિહંતપદ ધ્યાતો થકો, દવહ ગુણ પક્ઝાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંતરૂપી થાય રે.” એમ જણાવવામાં આવ્યું છે. એથી અનાલંબનયોગ અતિચાર રહિત એવા છટ્ટે ગુણઠાણે તેમજ સાતમે અને આઠમા વગેરે ગુણસ્થાનકે પણ ઘટી શકે છે. પરંતુ શાસ્ત્રયોગકાલિન અનાલંબન યોગ નિરતિચાર છટ્ટે, અને સાતમે ગુણસ્થાનકે અને સામર્થ્યયોગ કાલિન અનાલંબન યોગ આઠમાથી બારમા ગુણસ્થાનક સુધી ઘટી શકે છે. - આખી વાતનો નિષ્કર્ષ એ છે કે, રૂપીદ્રવ્ય વિષયક ધ્યાન તે સાલંબનધ્યાન છે અને અરૂપીદ્રવ્ય વિષયક ધ્યાન તે અનાલંબન-નિરાલંબનધ્યાન છે - ૧૯તા. અવ હવે નિરાલંબન ધ્યાનની જ ફળ પરંપરાને કહે છે (અર્થાત્ નિરાલંબન ધ્યાનના કારણે જ એક પછી એક જે ફળો પ્રાપ્ત થાય છે, તે જણાવે છે ) ગાથા-૨૦ : આ નિરાલંબન ધ્યાન આવ્યા બાદ મોહસાગર તરાય છે, મોહસાગર તરવાથી (ક્ષપક)શ્રેણી પાર પમાય છે, ક્ષપકશ્રેણીથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, કેવળજ્ઞાનથી આગળ અયોગીપણું મળે છે અને આ ક્રમે કરી અંતે પરમપદ નિર્વાણ પ્રાપ્ત થાય છે - 20. વ્યાખ્યાર્થ: આ નિરાલંબન ધ્યાન જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે ભયંકર રાગાદિ ભાવોની પરંપરારૂપ મોહસાગર તરી જવાય છે. ત્યારબાદ ક્ષપકશ્રેણી પૂર્ણ થાય છે. એ ક્ષપકશ્રેણી અધ્યાત્માદિ યોગના પ્રકર્ષવાળા એક વિશિષ્ટ આશય સ્વરૂપ હોય છે. એને જ અન્ય ધર્મીઓ સંપ્રજ્ઞાતસમાધિ' રૂપે વર્ણવે છે.