SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१५ 47 - એ જ રીતે કોઈ વ્યક્તિ સ્વયં અવિધિવાળી અશુદ્ધ ક્રિયા કરે, તેમાં ગુરુ પોતે દોષના ભાગી નથી બનતા; પરંતુ જ્યારે ગુરુ પાસેથી અવિધિવાળી ક્રિયા કરવાનો ઉપદેશ સાંભળીને જે કોઈ અવિધિવાળી ક્રિયા કરે છે, તેની અવિધિનો દોષ તો ગુરુને અવશ્ય લાગે જ છે. - જે ગુરુ અવિધિવાની ક્રિયા કરવાનો ઉપદેશ નથી આપતા, પણ જે ગુરુ “અવિધિનું ખંડન કે વિધિનું મંડન' કરવાથી શ્રોતા ક્રિયામાં નહિ જોડાય - એમ માનીને વિધિનું નિરૂપણ કરે કે ન પણ કરે પણ જો તે અવિધિનું ખંડન કરવાનું ટાળે છે, તે ગુરુને તો તેમનો ઉપદેશ સાંભળીને અવિધિવાળી અશુદ્ધ ક્રિયામાં પ્રવર્તનારની અવિધિમાં નિમિત્ત બનવાનો અને એની એવી અવિધિવાળી ક્રિયાની અનુમોદનાનો દોષ અવશ્ય લાગે છે. - આથી અન્યનું હિત કરવાની ભાવનાવાળા ધર્માચાર્યેતો “આ લોકો સ્વયં અવિધિ કરે છે, એમાં અમારો કોઈ દોષ નથી. અમે તો માત્રક્રિયા કરવાનો જ ઉપદેશ આપીએ છીએ, અવિધિનો નહિ.' આવા ખોટા બહાના કાઢીને અવિધિની ઉપેક્ષા ન કરવી જોઈએ. એમણે તો પોતાની પૂરી શક્તિનો ઉપયોગ કરીને અવિધિનું ખંડન કરીને શ્રોતાઓને વિધિવાળી ક્રિયામાં જ જોડવા જોઈએ. - ધર્મોપદેશક ધર્માચાર્યો જો આ રીતે અવિધિનું ખંડન કરવા પૂર્વક શ્રોતાઓને વિધિમાર્ગમાં પ્રવર્તાવશે, તો જ તેઓ શ્રોતાને માર્ગમાં પ્રવેશ કરાવી શકશે, બાકી તો તેમને ઉન્માર્ગે પ્રવર્તાવીને તેમનો વિનાશ નોતરશે. - આખી વાતના સારરૂપે એ વાત ધ્યાનમાં રહેવી જોઈએ કે, શ્રોતાને વિધિમાર્ગમાં પ્રવર્તાવવાથી જ તેને બોધિલાભની પ્રાપ્તિ કરાવી શકાય છે અને આ રીતે શ્રોતાને વિધિમાર્ગમાં પ્રવર્તાવીને બોધિલાભ પમાડવાથી ચૌદ રાજલોક પ્રમાણ વિશ્વમાં અમારી પટહ વગાડીને તીર્થની ઉન્નતિ કરી શકાય છે. અવિધિવાળી ક્રિયાઓ કરાવવાથી તો વિપરીત પરિણામ આવે છે. આ વિપરીત પરિણામ એ છે કે. અવિધિવાળી ક્રિયાઓ કરીને શ્રોતા બોધિર્લભ બને છે. જેના કારણે એ સંસારમાં ભ્રમણ કરે છે. આ પરિભ્રમણના કારણે ચૌદ રાજલોકમાં હિંસાનું પ્રવર્તન થવાથી તીર્થનો ઉચ્છેદ જ થાય છે. - અવિધિવાળી ક્રિયાથી ક્યારેય તીર્થ ચાલવાનું નથી. એટલે અવિધિવાળી ક્રિયા કરનારા ગમે તેટલા હશે, પણ વિધિવાળી ક્રિયા કરનાર કોઈ નહિ હોય તો તીર્થનો ઉચ્છેદ થઈ જશે અને જો વિધિપૂર્વકની કિયાનો ઉપદેશ આપવાથી કદાચ વિધિ પ્રત્યેના અનાદરવાળા ક્રિયા છોડી દેશે. આમ છતાં વિધિ પ્રત્યેના આદરવાળા બે-ચાર જણ પણ વિધિપૂર્વક ક્રિયા કરશે તો તેનાથી આ તીર્થની રક્ષા જરૂર થશે અને તીર્થનું પ્રવર્તન ચાલુ રહેશે. - એક એવો નિયમ છે કે, પાપ કરનાર કરતાં કરાવનારને વધારે દોષ લાગે છે' - આ નિયમ અનુસાર અવિધિવાળી ક્રિયા કરનારને જે દોષ લાગે છે, તેના કરતાં જેમની તેવી અવિધિના સમર્થનવાળી કે અનુમોદનાવાળી ધર્મદેશના સાંભળીને શ્રોતા અવિધિમાં પ્રવર્તે તે ધર્મોપદેશક ગુરુને તે અવિધિવાળી કિયા કરનાર કરતાં વધુ દોષ લાગે છે. પરિસ્થિતિ આહોવાથી - વિધિનું શ્રવણ કરવાના રસિયા શ્રોતાને ઉદ્દેશીને જે ગુરુઓ વિધિની પ્રરૂપણા કરીને વિધિમાર્ગની સ્થાપના કરે છે, તે ગુરુ તીર્થની સમ્યક વ્યવસ્થા કરનાર બને છે. - આખી વાતનો સાર એ છે કે, “વિધિવાળી ક્રિયાની પ્રવૃત્તિ દ્વારા જ તીર્થ અખંડ રહે છે અને “અવિધિવાળી ક્રિયાનું સમર્થન કે આડકતરું પણ અનુમોદન કરવાથી તીર્થનો ઉચ્છેદ થાય છે” - II૧પો.
SR No.004345
Book TitleYogvinshika Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay Gani, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2007
Total Pages214
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy