SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ 28 योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१२ અમૃતઅનુષ્ઠાન-૫ એમ પાંચ પ્રકારનાં અનુષ્ઠાનોનું વર્ણન કર્યું છે. આ અનુષ્ઠાનોની જેનદર્શનમાન્ય એવી વ્યાખ્યા કરીને તેને અહીં રજુ કરવામાં આવ્યાં છે. - આ પાંચ અનુષ્ઠાનો પૈકીવિષાનુષ્ઠાન,ગરાનુષ્ઠાન અને અનનુષ્ઠાન,તેઅપ્રધાનદ્રવ્યાનુષ્ઠાનરૂપ છે, જ્યારે તદ્ધતુ અનુષ્ઠાનને પ્રધાન-દ્રવ્યાનુષ્ઠાનરૂપ છે અને અમૃતઅનુષ્ઠાનતે ભાવાનુષ્ઠાનરૂપ છે. - અપેક્ષાનો અર્થ સ્પૃહા થાય છે. પ્રસ્તુત વિષયમાં આલોકનાં દુન્યવી સુખો અને પરલોકનાંદુન્યવી સુખોની સ્પૃહા એટલે અપેક્ષા, એવો અર્થ સમજવો. - એ જ રીતે આદિ શબ્દનો ઉપયોગ અનાભોગ વગેરેને કારણોને સમજાવવા કર્યો છે. - આ બધાનો સારાંશ એ થયો કે, આ લોકનાંદુન્યવી સુખોની અપેક્ષા-સ્પૃહાથી કરાતું અનુષ્ઠાન તે વિષાનુષ્ઠાન, પરલોકનાં દુન્યવી સુખોની સ્પૃહાથી કરાતું અનુષ્ઠાન તે ગરાનુષ્ઠાન અને અનાભોગ વગેરેથી કરાતું અનુષ્ઠાન તે અનનુષ્ઠાન. - અધ્યાત્મસારમાં ઉપાધ્યાયજી મહારાજે વિષ-ગર અનુષ્ઠાનનું નિરૂપણ કરતાં જણાવ્યું છે કે “આ બંને અનુષ્ઠાનો વિચિત્ર અનર્થને આપનારા છે અને તેથી જ તેના નિષેધ માટે જિનેશ્વરોએ સર્વ ધર્મ અનુષ્ઠાનોમાં અનિદાનપણું કરવાનું કહ્યું છે.” મહોપાધ્યાયજી મહારાજના આ વચનને જોયા પછી વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાનને નિયામાંથી એકાંતે ભિન્ન માનવા તે શાસ્ત્રસાપેક્ષ જણાતું નથી. - ધર્માનુષ્ઠાનને આચરનારી વ્યક્તિને કાળભેદે વિચારતાં અચરમાવર્તકાળમાં પ્રથમ ત્રણ અનુષ્ઠાનો (વિષ-ગર અને અનુષ્ઠાન) પૈકીનું અનુષ્ઠાન હોય છે પરંતુ તહેતુ કે અમૃત અનુષ્ઠાન હોઈ શકતું નથી. જ્યારે શરમાવર્તકાળમાં ધર્માનુષ્ઠાન આચરનારી વ્યક્તિને પાંચ પૈકી કોઈ પણ અનુષ્ઠાન હોઈ શકે. - અચરમાવર્તકાળમાં રહેલી વ્યક્તિને પ્રથમ ત્રણ અનુષ્ઠાનો પૈકી કયું અનુષ્ઠાન હોય છે અને શરમાવર્તકાળમાં રહેલી વ્યક્તિને પાંચ પૈકી કયું અનુષ્ઠાન છે તે જાણવા માટે તે વ્યક્તિનો આશય જ અગત્યનો ભાગ ભજવે છે. - કેટલાક વિદ્વાનોનું ચરમાવર્તકાળમાં અંતિમ બે અનુષ્ઠાનો જ હોય પણ પહેલાં ત્રણ અનુષ્ઠાનોન હોય આવું માનવું એ ભૂલભરેલું છે કારણ કે શાસ્ત્રોમાં ઉપદેશના અધિકારી તરીકે ગણાવેલા ચરમાવર્તી (અપુનબંધક કક્ષાના) જીવોને પાંચ અનુષ્ઠાનો પૈકી એ ઉપાદેય છે અને ત્રણ અનુષ્ઠાનો હેય છે” તેવો ઉપદેશ આપેલ છે. હવે, જો તે ચરમાવર્તમાં પહેલાં ત્રણ અનુષ્ઠાનો હોય જ નહીં તો ઉપદેશમાં તેનો નિષેધ કરવાનો રહેતો જ નથી. - એટલા જ માટે કહ્યું કે, આ પાંચ અનુષ્ઠાનમાંથી પહેલાં ત્રણ યોગાભાસ (દેખાવ માત્રથી જ યોગરૂ૫) હોવાથી છોડવા યોગ્ય છે. કારણ કે, તે અપ્રધાન કક્ષાનાં દ્રવ્યાનુષ્ઠાનરૂપ છે. જ્યારે છેલ્લાં બે તદ્ધતુઅનુષ્ઠાન અને અમૃતઅનુષ્ઠાન એ સદ્યોગરૂપ હોવાથી હિતકર છે, માટે તે આદરવા યોગ્ય છે. આથી જેઓનો સ્થાનાદિ યોગ સાધવામાં કોઈપણ જાતનો પ્રયત્ન ન હોય તેમને આ અનુષ્ઠાનમાં જોડવાથી મોટો દોષ લાગે છે. તેથી જે યોગ્ય હોય, સ્થાનાદિયોગમાં પ્રયત્નવાળા હોય તેમને જ આ અનુષ્ઠાનોમાં જોડવા જોઈએ. - વિષાનુષ્ઠાન વગેરે અનુષ્ઠાનનાં પાંચ પ્રકારો મહર્ષિ પતંજલિએ બતાવેલા હોવા છતાં અત્રે એનાં
SR No.004345
Book TitleYogvinshika Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay Gani, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2007
Total Pages214
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy