________________ 34 योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१२ (ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि) इति प्रतिज्ञया विहितस्य चैत्यवन्दनकायोत्सर्गादेः स्थानादिभड़े मृषावादस्य स्फुटत्वात्, स्वयं विधिविपर्ययप्रवृत्तौ परेषामेतदनुष्ठाने मिथ्यात्वबुद्धिजननद्वारा तस्य लौकिकमृषावादादतिगुरुत्वाछ, तथा च विपरीतफलं तेषामेतदनुष्ठानं सम्पन्नम् / . . ___ येऽपि स्थानादिशुद्धमप्यैहिककीर्त्यादीच्छयाऽऽमुष्मिकस्वर्लोकादिविभूतीच्छया वैतदनुष्ठानं कुर्वन्ति तेषामपि मोक्षार्थकप्रतिज्ञया विहितमेतत्तद्विपरीतार्थतया क्रियमाणं विषगरानुष्ठानान्तर्भूतत्वेन महामृषावादानुबन्धित्वाद्विपरीतफलमेवेति / विषाद्यनुष्ठानस्वरूपं चेत्थमुपदर्शितं पतञ्जल्याद्युक्तभेदान् स्वतन्त्रेण संवादयता ग्रन्थकृतैव योगबिन्दौ - "विषं गरोऽननुष्ठानं, तद्धेतुरमृतं परम् / गुर्वादिपूजानुष्ठानमपेक्षादिविधानतः / / " નુકાનમપેક્ષાવિવિઘાનત: " રિપ o]. [શંકા - એ મહામૃષાવાદરૂપ કેમ છે ?]. સમાધાન -‘તાવ વાવંટો મiણાને અપાઇ વોસિરામિ ' આ રીતની પ્રતિજ્ઞાપુર્વક ચૈત્યવંદનનો કાયોત્સર્ગ કર્યા પછી જો સ્થાનાદિ યોગોનો ભંગ કરાય તો પ્રત્યક્ષપણે મૃષાવાદરૂપ બને છે. “હું સ્થાનથી, મૌનથી, ધ્યાનથી મારા પાપરૂપ આત્મપર્યાયોને ત્યજું છું” - એવી પ્રતિજ્ઞા કરીને કાયોત્સર્ગ દરમ્યાન સ્થાન, મન અને ધ્યાનને ભાંગી દે તો કરેલી પ્રતિજ્ઞા ભાંગવાથી પ્રગટપણે મૃષાવાદ લાગે છે. વળી, પોતે અવિધિથી પ્રવૃત્તિ કરતો હોવાથી બીજા આત્માઓને પણ તે અનુષ્ઠાનો અવિધિથી કરવાની બુદ્ધિ પેદા થાય. એમાં નિમિત્ત બનવાથી એનો મૃષાવાદ લૌકિક મૃષાવાદ કરતાં મોટો-ભારે હોય છે. માટે જ તેનું અનુષ્ઠાન વિપરીત ફળને આપનારું બને છે. વિપરીત ફળવાળું=સંસાર ભ્રમણને દેનારું. સ્થાનાદિ યોગોથી શુદ્ધ એવું પણ આ ચૈત્યવંદનનું અનુષ્ઠાન, જે લોકો : 1 - આ લોકમાં કીર્તિ વગેરે થાય તેવી ઈચ્છાથી અથવા 2 - પરલોકમાં સ્વર્ગસુખ વગેરે મળે તેવી ઈચ્છાથી કરે છે, તેઓનું અનુષ્ઠાન પણ વિપરીત ફળ= સંસારભ્રમણ ફળને દેનારું થાય છે. શંકા - તેઓનું અનુષ્ઠાન વિપરીત ફળવાળું શા માટે થાય છે? સમાધાન-તેઓનું આ અનુષ્ઠાનવિપરીત ફળવાળું બનવાનું કારણ એ છે કે, તેઓ મોક્ષને માટે વિહિત કરાયેલ અનુષ્ઠાનને વિપરીત ઈચ્છાથી સંસાર સુખોની ઈચ્છાથી કરાતું હોઈ એ કાં તો વિષાનુષ્ઠાન બને છે કાં તો ગરાનુષ્ઠાન બને છે. આ રીતે વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાનમાં સમાવેશ પામતું આ અનુષ્ઠાન મહામૃષાવાદની પરંપરાને સર્જનારું હોઈ, સંસારનું ભ્રમણ વધારે છે. તેથી તે વિપરીત ફળવાળું જ છે. શ્રી પતંજલિ વગેરેએ બતાવેલા વિષાદિ અનુષ્ઠાનના ભેદોને જૈન સિદ્ધાંત સાથે સંવાદી બનાવતાં યોગબિંદુમાં ગ્રંથકાર પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. જ કહે છે કે - “અનુષ્ઠાન કરનારની અપેક્ષાના (આશયના) કારણે ગુરુ વગેરેની પૂજાનું અનુષ્ઠાન 1- વિષાનુષ્ઠાન, 2- ગરાનુષ્ઠાન, 3 - અનુષ્ઠાન, 4 - તદ્ધતુ અનુષ્ઠાન અને 5 - અમૃત અનુષ્ઠાન - એમ પાંચ પ્રકારનું થાય છે.”