SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ योगविंशिका प्रकरण सटीक-सानुवाद, गाथा-८ 2 7 यद्यपि सम्यक्त्वस्यैवैते कार्यभूतानि लिङ्गानि प्रवचने प्रसिद्धानि तथापि योगानुभवसिद्धानां विशिष्टानामेतेषामिहेच्छायोगादिकार्यत्वमभिधीयमानं न विरुध्यत इति द्रष्टव्यम् / वस्तुतः केवलसम्यक्त्वलाभेऽपि व्यवहारेणेच्छादियोगप्रवृत्तेरेवानुकम्पादिभावसिद्धे अनुकम्पादिसामान्ये इच्छायोगादिसामान्यस्य तद्विशेषे च तद्विशेषस्य हेतुत्वमित्येव न्यायसिद्धम् / अत एव शमसंवेगनिर्वेदानुकम्पाऽऽस्तिक्यलक्षणानां सम्यक्त्वगुणानां पश्चानुपूधैव लाभक्रमः प्राधान्याछत्थमुपन्यास इति सद्धर्मविंशिकायां प्रतिपादितम् / / 8 / / જો કે અનુકંપાદિ આ ચારેય ભાવો શાસ્ત્રોમાં સમ્યક્તના ફળરૂ૫ લિંગો તરીકે પ્રસિદ્ધ છે. છતાં ય યોગાનુભવથી સિદ્ધ થતાં એ વિશિષ્ટ કોટિનાં અનુકંપાદિ “ઈચ્છાદિ યોગના ફળરૂપ છે એમ કહેવામાં કોઈ વિરોધ આવતો નથી. વાસ્તવિક રીતે વિચારીએ તો કેવળ સમ્યક્ત અવસ્થા (૪થા ગુણસ્થાનકોમાં પણ વ્યવહારનયે ઈચ્છાદિ યોગની પ્રવૃત્તિ હોવાથી જ અમુકંપાદિ ભાવો હોવાનું સિદ્ધ થાય છે. કેમ કે સામાન્યકક્ષાના અનુકંપાદિ માટે સામાન્યકક્ષાના જ ઈચ્છાયોગાદિ અને વિશેષકક્ષાના અનુકંપાદિ માટે વિશેષકક્ષાના જ ઈચ્છાયોગાદિ કારણરૂપ બનતા હોય છે, એ વાત ન્યાયથી સંગત છે. એટલા જ માટે સમ્યત્વના ગુણરૂપ 1 - શમ, 2 - સંવેગ, 3 - નિર્વેદ, 4 - અનુકંપા અને 5 - આસ્તિષ્પ - આ પાંચેની જીવને પ્રાપ્તિ ઉલટા ક્રમથી થાય છે (એટલે પહેલા આસ્તિક્ય આવે, પછી અનુકંપા, પછી નિર્વેદ, પછી સંવેગ અને છેલ્લે શમ-ઉપશમ પ્રગટે છે). [શંકા - જો ક્રમમાં આસ્તિક્ય પહેલુંને શમ-ઉપશમ છેલ્લું છે, તો અહીં પહેલું શમને છેલ્લે આસ્તિક્ય કેમ બતાવ્યું છે ? સમાધાન - એ ગુણોની પ્રધાનતા (વિશુદ્ધિ)ને લક્ષમાં લઈ આ રીતે બતાવાય છે, એમ ‘સદ્ધર્મવિંશિકામાં પૂ. આ. શ્રી હરિભદ્ર સૂ. મહારાજે કહેલું છે. . [વિશતિવિશિકા-૬-૧૮] તાત્પર્ય : શાસ્ત્રમાં સમ્યક્ત્વનાં કાર્યભૂત લિંગો તરીકે ઠેર ઠેર શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્યનું વર્ણન કર્યું છે. જ્યારે અહીં આ પાંચમાંથી આસ્તિષ્પ બાદ કરીને બાકીનાં અનુકંપા વગેરે ચારને ઈચ્છાદિ યોગનાં કાર્યરૂપે જણાવેલ છે અને ‘શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય” એમ પ્રસિદ્ધ ક્રમને પણ ઉલટાવીને શમને પહેલાં ન મૂકતાં, અનુકંપાને પહેલી મૂકીને શમને છેલ્લે મૂકવામાં આવ્યો છે. આ જોતાં પ્રાથમિક દૃષ્ટિએ નીચે મુજબના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. શાસ્ત્રમાં અનુકંપાદિને માત્ર સમ્યકત્વનાં(ચોથા ગુણસ્થાનકનાં) કાર્યો જણાવ્યાં છે. જ્યારે અહીં તેને ઈચ્છાદિ યોગના (પાંચમાં વગેરે ગુણસ્થાનકનાં) કાર્યો જણાવ્યાં છે. કારણ કે, ઈચ્છાદિ યોગના અધિકારી તરીકે પાંચમા વગેરે ગુણસ્થાનકમાં રહેલ દેશવિરતિધર કે સર્વવિરતિધરને માનવામાં આવ્યા છે. આથી શાસ્ત્રમાં અનુકંપાદિચોથા ગુણસ્થાનકે પ્રગટી શકે છે, તેમ જણાવ્યું છે અને અહીં ઈચ્છાદિ આવ્યા પછી એટલે પાંચમા વગેરે ગુણસ્થાનકે પ્રગટે છે, એમ જણાવ્યું. તો શું આ પરસ્પર વિરોધાભાસ નથી? 2 - શાસ્ત્રોમાં શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય એવો ક્રમ દર્શાવ્યો છે, જ્યારે અહીં અનુકંપા, નિર્વેદ, સંવેગ, શમ આવો ક્રમ દર્શાવ્યો છે, તો શું આ પણ પરસ્પર વિરોધાભાસ નથી? - આબન્નેય પ્રશ્નોનો પૂ. ઉપાધ્યાયજી મહારાજે આ યોગવિંશિકાની વ્યાખ્યામાં ઘણો જ સુંદર પ્રત્યુત્તર આપ્યો છે.
SR No.004345
Book TitleYogvinshika Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay Gani, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2007
Total Pages214
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy