SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ 22 योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-४,५,६ ‘વિક 4' ઉત્તા બત્ર' થાનાવો ‘પુનઃ' વર્મજ્ઞાનવિખેપિયાનાપેક્ષ મૂયઃ વઝતુદ્ધ ‘તત્ત્વતઃ' सामान्येन दृष्टावपि परमार्थतः 'समयनीत्या' योगशास्त्रप्रतिपादितपरिपाट्या 'इच्छाप्रवृत्तिस्थिरसिद्धिभेदतः' इच्छाप्रवृत्तिस्थिरसिद्धिभेदानाश्रित्य 'मुणेयव्वो' त्ति ज्ञातव्यः / / 4 / / अव. तानेव भेदान् विवरीषुराह - तज्जुत्तकहापीईइ संगया विपरिणामिणी इच्छा / सव्वत्थुवसमसारं, तप्पालणमो पवत्ती उ / / 5 / / तह चेव एयबाहगचिंतारहियं थिरत्तणं नेयं / सव्वं परत्थसाहगरूवं पुण होइ सिद्धि त्ति / / 6 / / 'तज्जुत्तकहा' इत्यादि / 'तद्युक्तानां' स्थानादियोगयुक्तानां कथायां प्रीत्या अर्थबुभुत्सयाऽर्थबोधेन वा जनितो यो हर्षस्तल्लक्षणया 'सङ्गता' सहिता 'विपरिणामिनी' विधिकर्तृबहुमानादिगर्भं स्वोल्लासमात्राद्य વ્યાખ્યાર્થ: સામાન્યથી ક્રિયાયોગ (કર્મયોગ) અને જ્ઞાનયોગ આ બે ભેદો બતાવ્યા છતાં પરમાર્થથી યોગશાસ્ત્રમાં કહેવાયેલ પરિપાટી (પરંપરા) અનુસાર સ્થાનાદિ દરેક યોગો - 1 - ઈચ્છા, 2 - પ્રવૃત્તિ, 3- સ્થિરતા અને 4 - સિદ્ધિ એમ ચાર પ્રકારના થાય છે, એમ જાણવું - Ill. તાત્પર્યઃ યોગના જે સ્થાન,ઉર્ણ, અર્થ, આલંબન અને નિરાલંબન એવા પાંચ પ્રકારો દર્શાવ્યા, તે સામાન્ય રૂપે દર્શાવ્યા હતા. જ્યારે હવે તાત્વિકદષ્ટિએપારમાર્થિક દૃષ્ટિએ વિચારીએ તો તે દરેકના ચાર ચાર ભેદ થાય છે. આ રીતે યોગના કુલ-વીસ પ્રકાર થાય છે. - સ્થાનવિષયકઈચ્છાયોગ, સ્થાનવિષયક પ્રવૃત્તિયોગ, સ્થાનવિષયક સ્થિરયોગ અને સ્થાનવિષયક સિદ્ધિયોગ - આ રીતે સ્થાનયોગના ચાર પ્રકાર થયા, તે જ રીતે ઊર્ણ વિષયક ઈચ્છાદિ ચાર યોગ, અર્થવિષયક ઈચ્છાદિ ચાર યોગ, આલંબનવિષયક ઈચ્છાદિ ચાર યોગ અને નિરાલંબન વિષયક ઈચ્છાદિ ચાર યોગ - એ રીતે વીસ પ્રકાર થાય છે - જા. અવ૦ તે ભેદોનું વિવેચન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે - ગાથા-પ-: 1 - ઈચ્છાયોગ = તે તે યોગને સિદ્ધ કરેલ યોગીની કથા સાંભળવા - કહેવા આદિમાં અત્યંત પ્રીતિયુક્ત વિશિષ્ટ-વર્ધમાન પરિણામવાળી ઈચ્છા. 2 - પ્રવૃત્તિયોગ = ઉપશમ ભાવની પ્રધાનતાવાળું, સ્થાનાદિ યોગોનું સર્વત્ર પાલન (સેવન). 3 - સ્થિરતાયોગ = વિદનોની ચિંતાને દૂર કરી સ્થાનાદિ યોગનું સર્વત્ર પાલન (પ્રવૃત્તિરૂપ સ્થાનાદિ યોગોમાં આવતાં વિઘ્નોનો જય કરી યોગસિદ્ધ કરવો તે). 4 - સિદ્ધિયોગ = પોતાને સિદ્ધ થયેલ સ્થાનાદિ યોગનું ઉપશમ આદિ ફળ બીજા જીવોને પ્રાપ્ત કરાવવું - પ-૬. વ્યાખ્યાર્થ: સ્થાનાદિ યોગ જેમણે સાધ્યો છે એવા યોગીઓની કથા (સાંભળવા-કહેવાદિ)માં તેનો અર્થ જાણવાની ઈચ્છાને કે તેનો અર્થ સમજાવાને કારણે થતા હર્ષરૂપ જણાતી પ્રીતિથી યુક્ત, વિપરિણામિની ઈચ્છા ‘ઈચ્છાયોગ'રૂપ છે.
SR No.004345
Book TitleYogvinshika Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay Gani, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2007
Total Pages214
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy