SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-३ 12 अर्थतेषामध्यात्मादीनां स्थानादिषु कुत्र कस्यान्तर्भावः इति चेद् ? / उच्यते - अध्यात्मस्य चित्रभेदस्य देवसेवा-जप-तत्त्वचिन्तनादिरूपस्य यथाक्रमं स्थाने ऊर्णेऽर्थे च / भावनाया अपि भाव्यसमानविषयत्वात्तत्रैव / ध्यानस्यालम्बने / समतावृत्तिसंक्षययोश्च तदन्ययोग इति भावनीयम् / ततो देशतः सर्वतश्च चारित्रिण एव स्थानादियोगप्रवृत्तिः सम्भवतीति सिद्धम् / ननु यदि देशतः सर्वतश्च चारित्रिण एव स्थानादियोगः तदा देशविरत्यादिगुणस्थानहीनस्य व्यवहारेण श्राद्धधर्मादौ प्रवर्तमानस्य स्थानादिक्रियायाः सर्वथा नष्फल्यं स्यादित्याशङ्कयाह 'इतरस्य' देशसर्वचारित्रिव्यतिरिक्तस्य स्थानादिकं 'इत एव' देशसर्वचारित्रं विना योगसम्भवाभावादेव 'बीजमात्रं' योगबीजमात्रं 'केचिद्' व्यवहारनयप्रधाना इच्छन्ति / ફરી કદાપિ તેવૃત્તિઓ પ્રગટ થતી નથી, તેમાં મન દ્વારા પ્રગટતા વિકલ્પરૂપવૃત્તિઓના ઉચ્છેદરૂપ વૃત્તિ સંક્ષયયોગ બારમા ગુણસ્થાનકના અંતે થાય છે. જેથી કેવળજ્ઞાન પ્રગટે છે અને શરીર દ્વારા થતા સ્પંદનરૂ૫ વૃત્તિઓના ઉચ્છેદરૂ૫ વૃત્તિસંક્ષય યોગ તેરમાં ગુણસ્થાનકના અંતે થાય છે. જેથી શૈલેશી અવસ્થા અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ પાંચેય યોગોના ફળોનું વર્ણન યોગબિંદુમાં અને અઢારમી યોગભેદ- ત્રિશિકામાં સુંદર રીતે કરવામાં આવેલું છે. શંકા અધ્યાત્માદિ પાંચેના સ્થાનાદિ પાંચમાં ક્યાં ક્યાં કોનો કોનો સમાવેશ થાય છે? સમાધાનઃ દેવપૂજા, મંત્રજપ, તત્ત્વચિંતન વગેરે સ્વરૂપ વિવિધ પ્રકારના અધ્યાત્મનો સ્થાન, ઊર્ણ અને અર્થયોગમાં યથાક્રમે સમાવેશ થાય છે. અધ્યાત્મમાં જે “ભાવ્ય (ભાવવા યોગ્ય) વિષય” છે તે જ ભાવનાનું પણ “ભાવ્ય (ભાવવા યોગ્ય) વિષય છે. માટે ભાવનાનો સમાવેશ પણ સ્થાન, ઊર્ણ અને અર્થમાં જ યથાક્રમે થાય છે. ધ્યાન (આધ્યાન)નો સમાવેશ “આલંબન'માં થાય છે. સમતા અને વૃત્તિસંક્ષય આ બે યોગનો સમાવેશ નિરાલંબન માં થાય છે, એમ વિચારવું. માટે પૂર્વે કહ્યું તેમ) દેશવિરતિ અને સર્વવિરતિવાળાને જ આ સ્થાનાદિ યોગની પ્રવૃત્તિ સંભવે છે, તેમ સિદ્ધ થયું. શંકા - જો દેશવિરતિ અને સર્વવિરતિવાળાને જ આ સ્થાનાદિ યોગ હોય તેમ તમે કહો છો, તો દેશવિરતિગુણસ્થાનકથી નીચેના (સમ્યક્ત-અપુનબંધક વગેરે) ગુણસ્થાનકે વર્તતા, વ્યવહારથી શ્રાવકધર્મ વગેરેમાં પ્રવર્તતા જીવોની સ્થાનાદિ ક્રિયા સર્વથા નિષ્ફળ થઈ જાય ને ? સમાધાન માટે જ એવા ઈતર' (દેશ-સર્વવિરતિ વિનાના) જીવોને દેશ કે સર્વ ચારિત્ર વગરયોગની ઉત્પત્તિ નહિ થતી હોવાથી જ તેમની સ્થાનાદિ ક્રિયા એ યોગનું કેવળ ‘બીજ' જ હોય છે, એમ વ્યવહારનયને મુખ્ય કરનારા કેટલાકો કહે છે.
SR No.004345
Book TitleYogvinshika Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay Gani, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2007
Total Pages214
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy