________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१ 99. स्वप्राप्तधर्मस्थानस्य यथोपायं परस्मिन्नपि सम्पादकत्वं विनियोगः, अयं चानेकजन्मान्तरसन्तानक्रमेण प्रकृष्टधर्मस्थानावाप्तेरवन्ध्यो हेतुः / उक्तं च - "सिद्धेश्चोत्तरकार्य, विनियोगोऽवन्ध्यमेतदेतस्मिन् / સત્યન્ત સંપન્યા, સુન્દરમતિ તત્યાં યાવત્ " [go. રૂ-૨]. 'अवन्ध्यं न कदाचिनिष्फलं 'एतत्' धर्मस्थानमहिंसादि, ‘एतस्मिन्' विनियोगे सति 'अन्वयसम्पत्त्या' अविच्छेदभावेन 'तत्' विनियोगसाध्यं धर्मस्थानं सुन्दरम् / 'इति:' भिन्नक्रमः समाप्त्यर्थश्च, यावत्परमित्येवं વો:, વાવત્ રં' પ્રવૃષ્ટ ઘર્મસ્થાનં સમાત ચર્થ તાત્પર્ય: જે ધર્માનુષ્ઠાનને આત્મસાત્ કરવાના ઉદ્દેશપૂર્વક પ્રવૃત્તિ કરાઈ હોય તે પ્રવૃત્તિના પરિણામે તે ધર્મસ્થાન જ્યારે કોઈ પણ દોષ વગરનું આત્મસાત્ બની જાય ત્યારે તેને સિદ્ધિ તરીકે દર્શાવેલ છે.જે વસ્તુને ટીકામાં - તિવારહિતા પદથી, ષોડશક પ્રકરણની ટીકામાં તાત્તિ શબ્દથી અને યોગલક્ષણ કાત્રિશિકામાં વિક્રમસિઃ પદથી સ્પષ્ટરૂપે સમજાવેલ છે. ષોડશક'પ્રકરણ વૃત્તિમાં આ અંગે તાત્ત્વિકસિદ્ધિનો અર્થ કરતાં લખ્યું કે, “પોતાના અનુષંગ/સંબંધ માત્રથી નિત્ય વેરીઓનાં વૈરનો પણ નાશ કરવાના કારણે તે તાત્ત્વિક છે.” યોગલક્ષણ દ્વાત્રિશિકા'માં પણ જણાવ્યું છે કે - “વારંવાર પ્રવૃત્તિ કરવારૂ૫ અભ્યાસથી શુદ્ધ હોય પણ માત્ર આભાસરૂપ ન હોય તે તાત્ત્વિક કહેવાય.” - જ્યારે અધિકૃત ધર્માનુષ્ઠાનની નિરતિચાર-તાત્ત્વિક સિદ્ધિ થાય છે, ત્યારે અધિક ગુણવાન પ્રત્યે વિનયાદિનો ભાવ, મધ્યમ ગુણવાન પ્રત્યે ઉપકારનો ભાવ અને હનગુણી પ્રત્યે દયાદિનો ભાવ અવશ્ય હોય છે. - તાત્ત્વિક ધર્મસ્થાનની પ્રાપ્તિને સિદ્ધિ કહેવાય છે તે અધિક ગુણવાળા પ્રત્યે વિનયાદિના પરિણામથી યુક્ત’ - મધ્યમ ગુણવાળા (સરખા ગુણવાળા) પ્રત્યે ઉપકારરૂપફળ પમાડનારી અને હીનાદિ પ્રત્યે .કરુણાદિના પરિણામથી યુક્ત સિદ્ધિનો અનુભવાત્મક પરિણામ તે સિદ્ધિનો આશય કહેવાય છે. - અહીં ટીકાના પદોમાં તિવાહિતા જે પદ છે, તે '' પદનું વિશેષણ છે. તે ખ્યાલમાં રાખીને અહિંસાઃ અતિચારરહિત પ્રાપ્તિ એ પ્રમાણે અન્વય કરવાથી અર્થ કરવાની સુગમતા થઈ પડશે. 5.વિનિયોગ: પોતાને સિદ્ધ થયેલું ધર્મસ્થાન યથાયોગ્ય ઉપાયો દ્વારા બીજા જીવોને પમાડવું એ વિનિયોગ નામનો આશય છે. એ અનેક જન્મોની પરંપરા દ્વારા ઉત્કૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ માટેનો સફળ હેતુ બને છે. ષોડશકમાં કહ્યું છે કે - સિદ્ધિ પછીનું કાર્ય વિનિયોગ છે. આ વિનિયોગ કર્યો છતે સિદ્ધ થયેલ અહિંસાદિ ધર્મસ્થાન અવંધ્ય બને છે. જે ક્યારેય નિષ્ફળ ન જતાં પોતાના ફળને અવશ્ય આપે છે, તેને અવંધ્ય કહેવાય છે.) વિનિયોગ કરાતું અહિંસાદિ ધર્મસ્થાન પરંપરાની અખંડધારા દ્વારા છેવટે પરાકાષ્ઠાના અહિંસાદિ ધર્મસ્થાનોને પમાડે છે. માટે તે વિનિયોગ કરાતું અહિંસાદિ ધર્મસ્થાન સુંદર છે.” એતદ્' એટલે વિનિયોગ કરાતું અહિંસાદિ ધર્મસ્થાન “અવધ્ય' છે એટલે કે તે ક્યારે પણ નિષ્ફળ થતું નથી. અન્વયસંપન્યા' એટલે એ અહિંસાદિ ધર્મસ્થાનનો વિનિયોગ કરવાથી પરંપરાની ધારા અખંડ રહેવાના કારણે ‘તદુ એટલે વિનિયોગ સાધ્ય તે અહિંસાદિ ધર્મસ્થાન સુંદર (શ્રેષ્ઠ) હોય છે.