SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१ इदमत्र हृदयम्-धर्मस्तावद्रागादिमलविगमेन पुष्टिशुद्धिमचित्तमेव / पुष्टिश्च पुण्योपचयः, शुद्धिश्च घातिकर्मणां पापानां क्षयेण या काचिनिर्मलता, तदुभयं च प्रणिधानादिलक्षणेन भावेनानुबन्धवद्भवति, तदनुबन्धान शुद्धिप्रकर्षः सम्भवति, निरनुबन्धं च तदशुद्धिफलमेवेति न तद्धर्मलक्षणम्, ततो युक्तमुक्तम् "प्रणिधानादिभावेन परिशुद्धः सर्वोऽपि धर्मव्यापारः सानुबन्धत्वाद् योगः" इति / यद्यप्येवं निश्चयतः परिशुद्धः सर्वोऽपि धर्मव्यापारो योगस्तथापि 'विशेषेण' तान्त्रिकसङ्केतव्यवहारकृतेनासाधारण्येन स्थानादिगत एवधर्मव्यापारो योगः, स्थानाद्यन्यतम एव योगपदप्रवृत्तेः सम्मतत्वादिति भावः / / 1 / / આ શ્લોકમાં ‘સુન્દરમિતિ' પદમાં સુંદર પછીના તિને ત્યાં ન જોડતાં યાવતુ’ પદ સાથે જોડવું, અને વારિતિ એમ જોડીને તેને સમાપ્તિના અર્થમાં સમજવાનું છે, એટલે કે એનું અંતિમફળ પર' પ્રકૃષ્ટધર્મસ્થાન પમાડીને સમાપ્ત થાય છે, એવો અર્થ કરવાનો છે. તાત્પર્ય: અહીં વિનિયોગનું જે વર્ણન કર્યું છે, તે વિનિયોગ એ સિદ્ધિ પછીનું કાર્ય છે. “પોતાને પ્રાપ્ત થયેલ ધર્માનુષ્ઠાન યોગ્ય ઉપાય દ્વારા અન્યને પમાડવું.”તે વિનિયોગનું લક્ષણ છે અને “વિનિયોગથી પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ થાય છે” ઈત્યાદિ જે જણાવ્યું, તે વિનિયોગનું ફળ છે. ' - સાધક જે જે ધર્મસ્થાનની સિદ્ધિ કર્યા બાદ વિનિયોગ કરે, તે વિનિયોગ તેની ઉપર ઉપરના ધર્મસ્થાનની સિદ્ધિ કરાવી અંતે અંતિમ પરાકાષ્ઠાની સિદ્ધિ સુધી સાધકને પહોંચાડે છે. સિદ્ધિ પછી વિનિયોગ અને તે વિનિયોગ દ્વારા તેનાથી ઉપરની કક્ષાની સિદ્ધિ. આ ક્રમ એક ભવમાં પણ અંતિમ કક્ષાની સિદ્ધિ આપી શકે છે, તો કોઈને અનેક ભવોની પરંપરા દ્વારા પણ અંતિમ સિદ્ધિએ પહોંચાડે છે. પૂર્વે કહી ગયેલ યોગનું લક્ષણ - “મોક્ષની સાથે જોડનાર બધો જ ધર્મવ્યાપાર= યોગ' તેનું રહસ્ય એ છે કે - “રાગ વગેરે મળના નાશ દ્વારા થતું ‘પુષ્ટિ’ અને ‘શુદ્ધિવાળું ચિત્ત જ ધર્મ છે.” પુણ્યનો સંગ્રહ એ “પુષ્ટિ' કહેવાય. ઘાતિકર્મોરૂપ પાપોના ક્ષયથી જે કાંઈ નિર્મળતા પ્રગટે તે “શુદ્ધિ” કહેવાય. 1 - પુષ્ટિ અને 2 - શુદ્ધિ ; એ બંને પ્રણિધાનાદિ પાંચે આશયોરૂપ ભાવથી અનુબંધવાળા બને છે. તે અનુબંધથી શુદ્ધિનો પ્રકર્ષ સંભવે. અનુબંધ વગરની પુષ્ટિ અને શુદ્ધિ અશુદ્ધિરૂપ ફળને જ આપે છે, માટે એ ધર્મરૂપ બનતી નથી. માટે “પ્રણિધાનાદિ આશયોથી પરિશુદ્ધ થયેલ બધો પણ ધર્મવ્યાપાર એ અનુબંધવાળો હોઈ યોગ છે” એમ પૂર્વે જે કહેવાયું હતું તે યોગ્ય છે. જો કે આ પ્રમાણે નિશ્ચયનયની દૃષ્ટિએ ‘પરિશુદ્ધ થયેલ બધો પણ ધર્મવ્યાપાર એ યોગ છે” તો પણ યોગશાસ્ત્રોની સંજ્ઞાઓ દ્વારા નિશ્ચિત થયેલ વ્યવહારથી કરાયેલ વિશેષ નિયમથી “સ્થાન વગેરે ' સંબંધી જ ધર્મવ્યાપાર યોગ કહેવાય છે. કારણ કે, “સ્થાન વગેરે પાંચ પૈકી જ કોઈ પણ એકમાં ‘યોગ' શબ્દ (પદોનો પ્રયોગ યોગગ્રંથકારોને માન્ય છે. ll1|| તાત્પર્ય આ લક્ષણ દ્વારા અહીં રાગાદિ મળના નાશથી પ્રગટ થતા શુદ્ધિ અને પુષ્ટિવાળા ચિત્તને ધર્મ તરીકે ઓળખાવેલ છે. - પુણ્યનો ઉપચય પુષ્ટિ છે. પુણ્યનો ઉપચય એટલે કે આત્મામાં એકત્રિત થયેલ પુણ્યરૂપ કર્મનો જથ્થો.
SR No.004345
Book TitleYogvinshika Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay Gani, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2007
Total Pages214
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy