________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१ दधस्तनगुणस्थानवर्तिषु 'कृपानुगं' करुणापरम्, न तु गुणहीनत्वात्तेषु द्वेषान्वितम्, शेषं सुगमम् / / __ अधिकृतधर्मस्थानोद्देशेन तदुपायविषय इतिकर्तव्यताशुद्धः शीघ्रक्रियासमाप्तीच्छादिलक्षणौत्सुक्यविरहितः प्रयत्नातिशयः प्रवृत्तिः / आह च - “તદ્રવ તુ પ્રવૃત્તિ, ગુમારપાયરતિચિત્તમ્ | અધિકૃત યત્નાતિવાદોમ્યુવેવિનંતા જૈવ " [જો રૂ-૮]. ‘તત્રેવ' વિધર્મસ્થાન અa ‘મ:' પ્રવૃE: “સારો' નૈપુણાન્વિતો ૩૫ર્તન તા નીચે-નીચેની કક્ષાનાં ધર્મસ્થાનોમાં રહેલા જીવો પ્રત્યે જે કરુણાવાળું હોય પણ તે જીવો ગુણહીન હોવાને કારણે એના પ્રત્યે જે દ્રષવાળું ન હોય; વળી જે નિરવઘ (નિષ્પાપ) વસ્તુનો વિષય કરનારું અને પરોપકારરૂપ ફળવાળું હોય છે. તે ચિત્ત-ભાવને ‘પ્રણિધાન આશય કહેવાય છે. તાત્પર્ય : સામાન્ય રીતે “આ મારું કર્તવ્ય છે' - એવા પ્રકારના આશયને પ્રણિધાન કહેવાય છે; પરંતુ આ યોગના વિષયમાં માત્ર કર્તવ્યતાના ઉપયોગરૂપ આશયને જપ્રણિધાનરૂપ નથી માન્યો, પણ નીચેની વસ્તુઓની સાથે સંકળાયેલા કર્તવ્યતાના ઉપયોગરૂપ આશયને જ પ્રણિધાનરૂપ માનેલ છે. આ પ્રણિધાનનો વિષય નિરવઘ હોવો જોઈએ, પણ સાવદ્ય નહિ. પોતે જે અહિંસા, સંયમ, તપ, દેવ-ગુરુભક્તિ, સ્વાધ્યાય વગેરે ધર્મસ્થાનકને સિદ્ધ કરવા-આત્મસાત્ કરવા ઈચ્છતો હોય તે ધર્મસ્થાનની મર્યાદામાં અત્યંત સ્થિર,અવિચલિત સ્વભાવવાળો હોવો જોઈએ. આજે ‘આ કરે', કાલે “બીજું જોઈને બીજું કરવાનું મન થાય', તેવી વિચલિત સ્વભાવવાળી સ્થિતિ ન હોવી જોઈએ. પોતે સ્વીકારેલ ધર્મસ્થાન કરતાં જે બીજા જીવો નીચેની ભૂમિકામાં હોય - પોતાના કરતા હીન ગુણવાળા હોય, તેવા જીવોને જોઈને તેના પ્રત્યે દ્વેષભાવ ન હોવો જોઈએ; પરંતુ તેના ઉપર ઉપકાર કરવાનો જ ભાવ હોવો જોઈએ - ‘તે જીવો પણ મારા જેવા ગુણવાળા બને તો સારું - આવા પરિણામપૂર્વક તે જીવોને પોતાના જેવા બનાવવા માટે આવશ્યક સહાય કરવાનો અંતરંગ પરિણામ હોવો જોઈએ. - આ રીતે નિરવદ્ય વસ્તુ વિષયક, અવિચલિત સ્વભાવવાળું, હીન ગુણ પ્રત્યે દ્વેષાભાવયુક્ત અને પરોપકારની વાસનાપૂર્વક“આ મારું કર્તવ્ય છે' - એવો આશય વિશેષ તે પ્રણિધાન છે. 2. પ્રવૃત્તિ : પોતાની ભૂમિકાને અનુરૂપ ધર્મસ્થાન-ધર્માનુષ્ઠાનની સિદ્ધિના લક્ષ્યથી તેના માટે જરૂરી સાધનો (ઉપાયો)ની બાબતમાં શાસ્ત્રોક્ત શુદ્ધ સાધુ સામાચારીવાળો ‘ઝટ ક્રિયાને પૂરી કરવાની ઇચ્છા વગેરે ઉત્સુકતાઈચ્છાદિથી રહિત એવો ધર્મક્રિયામાં થતો તીવ્ર પ્રયત્ન એ પ્રવૃત્તિ કહેવાય છે. ષોડશકમાં કહ્યું છે કે “પોતાની ભૂમિકાને અનુરૂપ પ્રાપ્ત ધર્મસ્થાન-ધર્માનુષ્ઠાનને આગળ વધારવા-વધારે વિશુદ્ધ કરવા શ્રેષ્ઠ અને નિપુણતાપૂર્વકના ઉપાયોમાં ઉત્સુકતાદિ દોષરહિતપણે વિશિષ્ટ પ્રયત્ન કરવો એ પ્રવૃત્તિ નામનો આશય છે.” ષોડશક શ્લોકમાં જે ‘તત્રેવ' વગેરે પદો છે તેનો અર્થ આ મુજબ છે, અધિકૃત એટલે કે નિશ્ચિત કરેલ ધર્માનુષ્ઠાનમાં જ “શુભ' એટલે પ્રકૃષ્ટ સામાન્ય એવો પ્રયત્ન નહિ પણ અતિ વિશિષ્ટ કોટિનો પ્રયત્ન ‘સાર’ એટલે નિપુણતાકુશળતાપૂર્વકનો ઉપાય-એનાથી સહિત એવી પ્રવૃત્તિ. તાત્પર્ય : પ્રેક્ષા અને ઉન્મેલા અર્થાતુ કે સામાન્ય અને વિશેષ-સૂક્ષ્મ-ચિંતનથી યુક્ત જે ઉપાય હોય તેને નૈપુણ્યાન્વિત કુશળતાપૂર્વકનો ઉપાય કહેવાય છે.