SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ 47 208 તમે કોની પુત્રીઓ છે અને આ નીચ અને પાપી વિદ્યારે તમને બલાત્કારથી કેવી રીતે પકડી (ફસાવી) આ પ્રમાણે કહેવા યોગ્ય એવા મને ભાઈની જેમ શંકારહિત કહે. 209 સાધારણ હસતી છતી તે માંહેની એક કન્યા બોલી કે શરણે આવેલાને કહપવૃક્ષો જેવા, અજેય પૃથ્વીના ધણી, એવા શંખપુરના રાજા દુર્લભ રાજાની હું પુત્રી છું. 210 મારી માતાએ સ્વપ્નમાં કમલા લક્ષ્મી જોઈ હોવાથી મારું નામ કમલાવતી પાડયું. તે આંગણામાં સુતેલી મને ઊપાડીને આ દુષ્ટ વિદ્યાધર લઈ ગયો. 211 મરવાની ઈચ્છાથી દાંતથી જીભને ચાવતી મને જોઈને કોધથી આ પાપી બોલ્યા હે કમલાવતી મારૂં કહ્યું તું માને તે હું તને છોડી દઉં. ર૧૨ તે મે પૂછયું. શું? તેણે કહ્યું કે તારે યૌવન અવસ્થામાં ઘણા વર્ષો ગયે છતે પણ મને પૂછ્યા વિના પાણિગ્રહણ કરવું નહિ. 213 મારી પ્રસન્નતાથી તારા માટે હંમેશા જુદી જુદી ક્રિયાવાળું વિમાન થશે તેમાં બેસી દરરેજ તારે અત્યંત શક્તિશાળી યુગાદિદેવના મંદિરમાં આવવું. 214 તેનું કહેવું મેં સ્વીકાર્યું તેથી તેણે મને મુકી દીધી અને તે ઉત્તમ, બલવાન કુમાર ! તેણે મને વેણુ વગાડવામાં અને નૃત્યમાં પ્રવીણ કરી. '' 215 આ પ્રમાણે જે દિવસથી મારા વડે પ્રતિજ્ઞા લેવાઈ તે દિવસથી અત્યાર સુધી હું કુમારી અવસ્થામાં રહી છું ત્યાર પછી બીજી બે સ્ત્રીઓએ પિતાનું વૃત્તાંત કહ્યું. 216 તેઓ સાથે વાતચીત કર્યા પછી ત્રણે સ્ત્રીઓને પિતાપિતાને સ્થાને એકલી અને પિતે દાસી સહિત તે વિમાનમાં ચઢી પિતાને સ્થાને ગયે. 217 દાસીના મુખથી તે વિદ્યાધરને નાશ સાંભળી ઈશાનકન્યાએ તે પતિને કહ્યું હે નાથે આપણે ઉચિતને હિત કર્યું કારણ કે વિદ્યાધર અમને કામ સુખમાં અંતરાય - ર૧૮ કુમારે કહ્યું હે ચંદ્રમુખિ! મહાન પુરૂષ સ્ત્રીઓને માટે શું શું કરતા નથી પારકાને વશ પોતાની સ્ત્રીને જોવી એ મહાન પરાભવ છે. 219 ઉજવલ પ્રેમ રાગવાળી એવી સ્ત્રીને આ પ્રમાણે કહી પ્રબલ કામેચ્છાવાળા તેણે ઈ દ્વાણ જેવી કાંતીવાલી કનકવતી સાથે શેષ રાત્રિ વીતાવી. . રર૦ જેટલામાં કામપીડાના થાકને દૂર કરવામાં હર્ષિત બની અને નિદ્રાધીન થયાં તેટલામાં તે ખેચરના ભાઈએ કુમારને ત્યાંથી ઉપાડી સમુદ્રમાં ફેંકી દીધે. 221 પિતાના પુન્ય ફલ અનુસાર પાટીયું મેળવી કુમાર મજાઓ ઊછળતા એવા દરિયાના કિનારે સાત દિવસે પ. રર કેઈક તાપસે તે કુમારને જોયા પછી તરત જ મધુર ફલે ખવડાવી ભુખ મટાડી. ગુરુના હુકમથી પિતાના આશ્રમે લાવ્ય. 223 ત્યાં ઈશાન રાજકન્યા જોઈ તેને સંતોષ થયે તે પછી પવિત્ર આચરણવાળા ગુરુએ વિનયી અને નમ્ર એવા કુમારને કનકવતીનું ચરિત્ર કહ્યું.
SR No.004314
Book TitleShantinath Mahakavyam Part 03
Original Sutra AuthorN/A
AuthorVijaydarshansuri
PublisherNemidarshan Gyanshala
Publication Year1968
Total Pages452
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy