SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ખરેખર આ ભાવના આજે પરિપૂર્ણ થઈ રહી છે તે પૂ. કનકસૂરિદાદા અને પૂ. ગુરુદેવ અધ્યાત્મયોગી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ની અસીમ કૃપાનો પ્રભાવ ગણી શકાય. સ્તોત્રસંકલનની પરંપરા નવી નથી. વિ.સં. ૧૫૦૫માં પૂ.હિમાંશુગણિજીએ કરેલ સ્તોત્ર સંકલનાની તેમજ અન્યાન્ય પૂજયપુરુષો દ્વારા સંકલિત નાના મોટા સ્તોત્રકોશોની હસ્તલિખિત પ્રતો પ્રાપ્ત થાય છે. જે સ્તોત્ર સંકલનાની પ્રાચીનતા સિદ્ધ કરે છે. વર્તમાન સમયે પણ પૂચતુરવિજયજીમ.સા., શેઠ ભીમશી માણેક, યશોવિજય સંસ્કૃત પાઠશાળા વગેરે દ્વારા કેટલાક સ્તોત્ર સંગ્રહો પ્રકાશિત થયેલા છે. પરંતુ પ્રસ્તુત સંપાદન અભિનવ એટલા માટે છે કે અહીં માત્ર એક પરમાત્માવિષયક સ્તોત્રોનો સંગ્રહ છે. પૂર્વે પ્રકાશિત સ્તોત્ર સંગ્રહોમાં આવું કોઈ એક વિષયનું સંકલન થયું નથી. અહીં સ્તોત્રસંગ્રહમાં આપેલ સ્તોત્ર તથા તેના કર્તાઓનો પરિચય તેમજ પરિશિષ્ટસ્વરૂપે આજપર્યત પ્રકાશિત શ્રી નેમિનાથ પરમાત્મા સંબંધિત સ્તોત્રોની આદિ પદાનુક્રમે આપેલ સૂચિ પ્રસ્તુત સંપાદનની આદેયતામાં અભિવૃદ્ધિ કરનાર બનશે. પ્રસ્તુત સ્તોત્રસંગ્રહમાં સંપાદિત કેટલાક સ્તોત્રની વિશિષ્ટતા જોઈએ, જેથી તે તે સ્તોત્રના પાઠમાં-સ્વાધ્યાયમાં વિશેષ રસ પ્રગટશે. • બીજા શ્રી નેમિનાથસ્તવ-સ્તોત્રમાં કામદેવના ત્રાસમાંથી છોડાવવા માટે હૃદયદ્રાવક વિનંતીને પણ કાવ્યાત્મક ઓપ આપીને કર્તાએ પોતાની કાવ્યશક્તિનો ચમત્કાર બતાવ્યો છે. ત્રીજા-મહાર્થગંભીરસ્તવસ્તોત્રમાં કર્તાએ ધ્યાનની પ્રક્રિયાના વર્ણન સાથે ભક્તહૃદયની ઉર્મિઓનો ગંભીર મહાસાગર મૂકી દીધો છે. • પાંચમા – રેવતાદ્રિમડન શ્રી નેમિનાથસ્તવનમ્ - આ સ્તોત્રના રચયિતા છે શ્રી રત્નાકરસૂરિમ.સા. જેમને રત્નાકર પચ્ચીસીની રચના કરી છે. સમગ્ર આ સ્તોત્ર પાંડિત્યપૂર્ણતા સાથે ભાવાર્દ્રતાથી મધુર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy