________________
* सप्तभङ्गीनयप्रदीपः (११२) अथ द्वितीयभेदं प्रभेदयन्ति-"कालादिभेदेन ध्वनेरर्थभेदं प्रतिपद्यमानः શબ્દ " રૂતિ -[ પ્રમ૦ પ૦િ ૭ સૂત્ર-૨૨]
एतस्यार्थः-सङ्केताद् व्याकरणात् प्रकृति-प्रत्ययसमुदायेन सिद्धः काल-कारकलिङ्ग-सङ्ख्या-पुरुषोपसर्गभेदेनार्थं पर्यायमात्रं प्रतीयते स शब्दनयः । कालभेदे
......+ગુણસૌમ્યા+-- (૧૧૨) આ પ્રમાણે પર્યાયાર્થિકનયના પહેલા ભેદરૂપ ઋજુસૂત્રનું સ્વરૂપ બતાવીને, હવે તેના બીજા ભેદરૂપ શબ્દનયનું સ્વરૂપ બતાવવા કહે છે –
નૌ (૨) શબ્દનચનું સ્વરૂપ છે લક્ષણ યાત્રાહિમેન ધ્વનરર્થમે પ્રતિપદામાનઃ શબ્દ છે.
અર્થ કાલાદિના ભેદથી શબ્દના અર્થભેદને સ્વીકારતો જેનયતે શબ્દનય. (પ્રમાણનયતત્તાલોક - ૭/૩૨)
વિવેચનઃ આ લક્ષણનો અર્થ મહોપાધ્યાયજી મહારાજ પોતે જણાવે છે, તેના આધારે આપણે જોઇએ –
(તસ્થાર્થ –) પ્રકૃતિ-પ્રત્યય વગેરેના સમુદાય દ્વારા વ્યાકરણથી થનારા સંકેતોને અનુસરીને વ્યુત્પત્તિસિદ્ધ બનેલા શબ્દના, કાળભેદે - કારકભેદ – લિંગભેદ – સંખ્યાભેદે – પુરુષભેદે – ઉપસર્ગભેદે પર્યાયમાત્રરૂપ જુદા જુદા અર્થોને જે માને છે – કહે છે, તે શબ્દનય...
તાત્પર્ય - કોઈપણ શબ્દનો વાચ્યાર્થ પકડવો હોય, તો એની મૂળ પ્રકૃતિ કઈ છે? કયો પ્રત્યય કયા અર્થમાં લાગ્યો છે? વગેરે વિચારીને નિર્ણય કરવામાં આવે છે... વળી આ પ્રત્યયો પણ ગમેતેમ નથી લાગતા, પણ વ્યાકરણના નિયમોને - વ્યાકરણમાં કરેલા તે તે સંકેતોને અનુસરીને લાગતા હોય છે. એટલે આ રીતે બનેલા શબ્દને “વ્યાકરણવ્યુત્પત્તિસિદ્ધ) કહેવાય છે... આવા શબ્દને જ આ નય માને છે. અને એકના એક શબ્દના પણ કાળભેદે અને કારકાદિભેદે જુદા જુદા અર્થો થાય છે, અર્થાત્ અર્થભેદ થાય છે – એવું આ નય કહે છે...
હવે કાળાદિભેદે અર્થભેદ કેવી રીતે થાય? એ વાત ઉદાહરણ સાથે સમજાવે છે –
(૧) કાળભેદનું ઉદાહરણ : “વમૂવ મવતિ ભવિષ્યતિ મુખેરિત્યાદ્ધિઃ' મેરુપર્વત હતો, છે અને રહેશે... આવા વાક્યપ્રયોગમાં ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ - એમ ત્રણ કાળના ભેદથી મેરુપર્વત પણ ભિન્ન-ભિન્ન છે... એવું શબ્દનય કહે છે...
૧. ક્રિયાવાચક કે નામવાચક ચૈત્રાદિ જે મૂળશબ્દ હોય, તે મૂળપ્રકૃતિ કહેવાય...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org