SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ * सप्तभङ्गीनयप्रदीप नैके गमा-बोधमार्गा यस्यासौ नैगमो नाम नयः स्यात्, पृषोदरादित्वात् ककारलोपः। स त्रेधा-धर्मद्वयगोचरः, धर्मिद्वयगोचरः, धर्म-धर्मिगोचरः, अत्र धर्मि-धर्मशब्देन द्रव्यं + ગુણસૌમ્યા+ તેને “નૈકગમ' કહેવાય. અને અહીં નૈકગમ શબ્દ પૃષોદરાદિ ગણનો હોવાથી “ક'નો લોપ થાય અને તેથી નૈગમ શબ્દ બને છે. અથવા નિગમ એટલે દેશ. જુદા-જુદા દેશમાં જે શબ્દપ્રયોગો-વ્યવહાર થાય છે, એને સંગત કરનાર નય એ નૈગમનય. અલબત્ત, લોકમાં થતા વ્યવહારને તો વ્યવહારનય અનુસરે છે જ. તો પણ લોકવ્યવહારમાં ક્યારેક કોઈક પરિસ્થિતિવશાત્ કે એવા ચોક્કસ પ્રકારના અભિપ્રાયવશાત જુદી રીતે પણ શબ્દપ્રયોગો થતા હોય છે કે જેની સંગતિ નૈગમનયથી જ થઈ શકે છે. જેમકે – પ્રસ્થક બનાવનાર કારીગર. એના જ વિચારમાં રમતો હોય, અથવા એકદમ ઝડપથી પ્રસ્થક બનાવવાનો પ્રસ્તાવ હોય. આવા બધા અવસરે હજુ જંગલમાં લાકડું લેવા જઈ રહ્યો હોય ત્યારે પણ મનના વિચારવશાત્ એ “પ્રચક લેવા જાઉં છું એમ બોલે. અને શિષ્ટપુરુષો એનો અભિપ્રાય સમજી જાય છે, એના વાક્યપ્રયોગને નિષેધતા નથી. હવે આ પ્રયોગની સંગતિ વ્યવહારનયથી તો ન થઈ શકે, કારણ કે પ્રસ્થક બરાબર તૈયાર થયા પછી જ વ્યવહારનય એનો પ્રસ્થક તરીકે વ્યવહાર કરે છે. અને આ વાત યોગ્ય પણ છે જ, કારણ કે, એ કારીગર લાકડું લાવ્યા પછી જરા આઘોપાછો ગયો હોય ને લાકડું પડ્યું હોય, તો ત્યાં આવી ચડેલ કોઈ શિષ્ટ પુરુષ એને પ્રસ્થક તરીકે ઓળખી શકતો પણ નથી કે કહેતો પણ નથી. એમ લાકડું માપ પ્રમાણે કાપવું-છોલવું વગેરે અવસ્થામાં પણ એનો પ્રસ્થક તરીકે વ્યવહારનય વ્યવહાર કરતો નથી. પણ ક્યારેક કોઇક વ્યક્તિ દ્વારા એવો વ્યવહાર તો થાય છે જ. તો એની સંગતિ નૈગમનય કરે છે. | ભાવાર્થ ઃ આનૈગમનયના ત્રણ પ્રકાર છેઃ (૧) બે ધર્મને વિષય કરનાર, (૨) બે ધર્મને વિષય કરનાર, અને (૩) ધર્મ-ધર્મને વિષય કરનાર. અહીંધર્મશબ્દથી ‘દ્રવ્ય અને ધર્મશબ્દથી ‘વ્યંજનપર્યાય લેવો, એવું વૃદ્ધપુરુષો કહે છે. રીક નૈગમનના ત્રણ પ્રકાર છે વિવેચનઃ બે પર્યાયોમાં, બે દ્રવ્યમાં, અને ધર્મ-ધર્મીમાં - આ પ્રમાણે ત્રણ સ્થાને એકની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy