SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ * सप्तभङ्गीनयप्रदीपः तेन गृहीतस्य-वस्तुनः सम्पिण्डितार्थं वदतीति सङ्ग्रहः, सङ्ग्रहदव्यार्थिकस्त्वभेदस्यतया वस्तुजातं सम्-एकीभावेन गृह्णातीति । सङ्ग्रहेण गृहीतस्य गोचरीकृतस्यार्थस्य भेदरूपतया वस्तुव्यवहरणं व्यवहारद्रव्यार्थिकः ।(७७) नैगम-व्यवहारौ चाशुद्धद्रव्यानुभविकत्वेना +ગુણસૌમ્યા+ આશય ઘટ-પટાદિ જુદી જુદી વસ્તુઓ પણ “સત્તા આદિરૂપે એક છે – એમ (સમ્ = માવેન =) એક હોવારૂપે બધા પદાર્થોને જે (પૃ@ાતિ =) ગ્રહણ કરે છે, તે સંગ્રહ. (૩) વ્યવહારદ્રવ્યાર્થિકનયઃ સંગ્રહ ગ્રહણ કરેલ જે અર્થ, તેના ભેદરૂપે વસ્તુનો વ્યવહાર કરે છે, અર્થાત્ સંગ્રહ વડે સ્વીકારાયેલા “સત્ત્વ' વગેરે પદાર્થ વિશે કરાતું જ્ઞાનવિશેષ કે જે સંગ્રહગૃહીત અર્થનું જ પૃથક્કરણ કરે છે, તે વ્યવહારનય. આશય સંગ્રહ દ્વારા જે પદાર્થોનું એકીકરણ કરાયું છે, તે પદાર્થોનું એકીકરણ સ્વીકારીને (અર્થાત્ એ એકીકરણનો નિષેધ કર્યા વિના) જે વિચારવિશેષથી તેઓનો વિભાગ કરાય, તે વિચારવિશેષને વ્યવહારનય કહેવાય છે. આ વાત આગળ ઉદાહરણ સાથે સમજાવાશે. (૭૭) હવે દ્રવ્યાર્થિકના ત્રણ ભેદમાંથી કયો ભેદ શુદ્ધ? ને કયો અશુદ્ધ ? તે જણાવે છે – ગક દ્રવ્યાર્થિકમાં શુદ્ધ-અશુદ્ધનો વ્યવહાર 0 નૈગમનય અને વ્યવહારનય - આ બે અશુદ્ધ દ્રવ્યને અનુભવતા હોવાથી “અશુદ્ધ છે. ૦ અને સંગ્રહનય શુદ્ધ દ્રવ્યને બોલતો હોવાથી શુદ્ધ છે. તાત્પર્ય નયની પોતાની જે દૃષ્ટિ હોય, માત્ર એ જ દૃષ્ટિથી જોવું. તેનાથી અન્યનયની દૃષ્ટિનું જરા પણ મિશ્રણ થયેલું ન હોય, તે એ નયનું વિશુદ્ધતમત્વ છે. અને પછી-જેમ જેમ તદન્યનયની દૃષ્ટિ ભળતી જાય તેમ તેમ વિશુદ્ધિ ઘટતી જાય છે. અશુદ્ધિ વધતી જાય છે. વસ્તુમાત્રમાં રહેલું મૂળભૂત તત્ત્વ પકડવું, એ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ છે. બધામાં રહેલું સદ્ રૂપ એક તત્ત્વ જોવું, તે રૂપે બધાને સમાન માનવા-જોવા, એ સંગ્રહનયની દૃષ્ટિ હોવાથી, સત્તા સામાન્યરૂપે = મૂળતત્ત્વરૂપે જોનારો સદસ્વૈતવાદી સંગ્રહનય એ વિશુદ્ધતમ છે. પછી એમાં જેટલી વિશેષગ્રાહી (= ભેદગ્રાહી) દૃષ્ટિ ભળતી જાય છે – એટલા અંશે વિશુદ્ધિ ઘટતી જાય છે. એટલે સંગ્રહનય અભેદગ્રાહી છે અને તેની અપેક્ષાએ નૈગમ-વ્યવહાર ભેદ તરફ ઢલાણવાળા છે, અર્થાત્ વિશેષ-વિશેષ અવસ્થાઓ તરફ અભિમુખ છે, એટલે તેઓમાં ભેદગ્રાહી દૃષ્ટિ ભળતી જતી હોવાથી, તેઓ “અવિશુદ્ધ' કહેવાય છે. (૭૮) આ વિશે અનુયોગદ્વારની વૃત્તિમાં જે જણાવ્યું છે, તે કહે છે – “નગમનય અને વ્યવહારનય અવિશુદ્ધ છે અને સંગ્રહનય વિશુદ્ધ છે, એવું કેમ? તો કે - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy