SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ♦ સરત-સુગમ-વિવેચનસમન્વિત: नायंमि गिहियव्वे अगिहियव्वे य इत्थ अत्यंमि जइयव्वमेव इइ जो उवएसो सो नओ नाम" ॥१४०॥ ( ७६ ) तत्र नैगमद्रव्यार्थिकनयो धर्म-धर्म-द्रव्य - पर्यायादिप्रधानाऽप्रधानादिगोचरः । + ગુણસૌમ્યા+ જ્ઞાનનય ક્રિયાનય - (શ્લોક-૫) લેવા યોગ્ય અને ન લેવા યોગ્ય અર્થ જાણતે છતે, એ અર્થ વિશે લેવાદિનો યત્ન કરવો જ જોઇએ. એવો જે ઉપદેશ, તેનું નામ ‘નય’ છે. (અનુયોગદ્વાર-૧૪૦) ૧૦૭ તાત્પર્ય ઃ ઇહલોકસંબંધી અને પરલોકસંબંધી કેટલાક પદાર્થ લેવા યોગ્ય છે, કેટલાક પદાર્થ છોડવા યોગ્ય છે, ઉપલક્ષણથી કેટલાક પદાર્થ ઉપેક્ષણીય છે. દા. ત. ઇહલોકસંબંધી - માળા, ચંદન વગેરે ઉપાદેય છે. વિષ, કાંટા વગેરે હેય છે. ઘાસ વગેરે ઉપેક્ષણીય છે. પરલોકસંબંધી - સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે ઉપાદેય છે. મિથ્યાત્વ, અહંકાર વગેરે હેય છે. સ્વર્ગ, વિભૂતિ વગેરે ઉપેક્ષણીય છે. આ પ્રમાણે હેય-ઉપાદેય-ઉપેક્ષણીય પદાર્થોને સમજવા જ અને સમજ્યા પછી તે વિશે લેવા-છોડવા-ઉપેક્ષા વગેરેરૂપ યત્ન કરવો જર. આ પ્રમાણે જ્ઞાન અને ક્રિયાનો ઉપદેશ, તે એકપ્રકારનો જ્ઞાનનય અને ક્રિયાનયરૂપ ‘નય’ કહેવાય છે. (૭૬) આ પ્રમાણે અનુયોગદ્વારસૂત્રના આધારે નયોનો નિરુક્તિ-અર્થ જણાવીને, હવે દ્રવ્યાર્થિકનયના ત્રણ ભેદનો સામાન્ય અર્થ અને એ ત્રણમાંથી કોણ શુદ્ધ અને કોણ અશુદ્ધ ? એ જણાવવા કહે છે તેમાં - (૧) નૈગમ દ્રવ્યાર્થિક નય ઃ ધર્મ-ધર્મી, દ્રવ્ય-પર્યાય - આ બધાને ગૌણ-મુખ્યભાવે વિષય કરે છે. અર્થાત્ એકને પ્રધાનપણે બીજાને ગૌણપણે, એ રૂપે દ્રવ્ય-પર્યાયાદિને વિષય કરે છે. (૨) સંગ્રહ દ્રવ્યાર્થિક નય ઃ નૈગમ વડે ગ્રહણ કરાયેલી વસ્તુના સમૂહાર્થને (= પિંડિતાર્થને) કહે છે, અર્થાત્ આ નય ‘સત્તા’ વગેરેને જણાવે છે કે જેથી નૈગમ દ્વારા બતાવાયેલ ઘટ-પટાદિ બધા પદાર્થોનો સંગ્રહ થઇ જાય. એટલે આ નય ‘સંગ્રહ’ એવા નામે કહેવાય છે. Jain Education International આ સંગ્રહદ્રવ્યાર્થિકનય અભેદરૂપે કરી વસ્તુના સમૂહને (= વસ્તુજાતને) એકીસાથે ગ્રહણ કરે છે. ૧-૨. તે તે નયોની પ્રધાનતા વખતે જકારનો અન્વય તે તે સ્થળે કરવો. ૩. આ બધાનો વિસ્તારથી અર્થ, ગ્રંથકારશ્રી પોતે જ આગળ ઉદાહરણ સાથે સમજાવશે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy