SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ * सरल-सुगम-विवेचनसमन्वितः * મન્વિત: ક ____ "पर्यायो द्विविधः-क्रमभावी सहभावी च, सहभावी गुण इत्यभिधीयते, पर्यायशब्देन तु पर्यायसामान्यस्य स्वव्यक्तिव्यापिनोऽभिधानान्न दोषः" इति। (५७) तत्र सहभाविनः पर्याया गुणाः, यथाऽऽत्मनो विज्ञानव्यक्तिशक्त्यादयः। માવિન પર્યાયાસ્વીત્મન, યથા-સુર-દ-ગોવા-ષયઃા +ગુણસૌમ્યા આ વિશે રત્નાકરાવતારિકામાં જે કહ્યું છે, તે જણાવે છે – શબ્દાર્થઃ પર્યાયો બે પ્રકારના ક્રમભાવી અને સહભાવી. સહભાવી “ગુણ” એ પ્રમાણે કહેવાય. અને પર્યાય શબ્દથી, પોતાની વ્યક્તિમાં વ્યાપીને રહેનારું એવું પર્યાયસામાન્ય કહ્યું હોવાથી કોઈ દોષ નથી. (પરિચ્છેદ ૫-૭) વિવેચનઃ દ્રવ્યની અંદર રહેલા પર્યાયો બે પ્રકારના છે : (૧) જુદી જુદી અવસ્થાઓરૂપ ક્રમભાવ પર્યાય અને (૨) જ્ઞાનાદિગુણરૂપ સહભાવી પર્યાય. અહીં ‘પર્યાયાર્થિકન' શબ્દમાં વાપરેલા “પર્યાય' શબ્દથી, સહભાવી અને ક્રમભાવી બંને પ્રકારના પર્યાયોનું ગ્રહણ થાય છે. આ રીતે (સ્વવ્યક્ટ્રિવ્યાપી =) પોતાના (ગુણ-પર્યાયના) આધારભૂત મૂળદ્રવ્યમાં વ્યાપકપણે રહેનારા એવા ( સામાન્યસ્થ =) સામાન્ય પર્યાયનું (= બંને પ્રકારના પર્યાયનું) અહીં કથન કર્યું હોવાથી કોઈ દોષ નથી. અર્થાત્ પર્યાયાર્થિકનયથી ગુણાર્થિક નામનો કોઈ અલગ નય માનવાનો દોષ નહીં આવે. કારણ કે ગુણાર્થિકનયનો પર્યાયાર્થિકનયમાં જ સમાવેશ થઈ જાય છે. પર્યાયાર્થિકનયમાં જે “પર્યાય શબ્દ છે, તેનાથી ક્રમભાવી પર્યાયોની જેમ ગુણરૂપ સહભાવી પર્યાયોનું પણ ગ્રહણ થઈ જાય છે. (૫૭) હવે ગ્રંથકારશ્રી સહભાવી અને ક્રમભાવી બંને પ્રકારના પર્યાયોનું સ્વરૂપ ક્રમશઃ ઉદાહરણ સાથે જણાવે છે – - ભાવાર્થઃ તેમાં સહભાવી પર્યાયો ગુણરૂપ.જેમકે આત્માની વિજ્ઞાનવ્યક્તિ, વિજ્ઞાનશક્તિ વગેરે. અને આત્માના ક્રમભાવી તે પર્યાયો. જેમકે - સુખ, દુઃખ, શોક, હર્ષવગેરે. વિવેચનઃ (૧) દ્રવ્યની સાથે જે સદા રહે, જે દ્રવ્યનો સહવર્તી ધર્મ હોય, તે “ગુણ' કહેવાય. જેમકે વિજ્ઞાનવ્યક્તિ, વિજ્ઞાનશક્તિ વગેરે. ૦ વર્તમાનકાલીન જ્ઞાનવિશેષ તે વિજ્ઞાનવ્યક્તિ. અથવા આત્મામાં રહેલાં જ્ઞાનસામર્થ્યનું જે પ્રગટીકરણ, તે વિજ્ઞાન વ્યક્તિ. oભવિષ્યમાં પ્રગટ થનારા જ્ઞાનપર્યાયની, આત્મામાં રહેલી જે યોગ્યતા, તે વિજ્ઞાનશક્તિ. (અર્થાત્ જ્ઞાનજનનસામર્થ્ય.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy