________________
सप्तभङ्गीनयप्रदीपः
पूर्वोक्ता अपि षट् हानि - वृद्धिरूपा नर-नारकादिरूपाश्चेह पर्यायशब्देन गृह्यन्ते । (५६) पर्यायो हि द्वेधा - सहभाविपर्यायोऽथ च क्रमभाविपर्यायः; तदुक्तम्+ ગુણસૌમ્યાન
८०
શ્લોકાર્થ : પાણીમાં જેમ કિનારે આવનારા તરંગો પ્રતિક્ષણ ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે, તેમ આદિ-અંત વગરનું (અનાદિ-અનંત એવું) જે દ્રવ્ય (પોતાના મૂળ-સત્તાસ્વરૂપે શાશ્વત, નિત્ય એવું જે દ્રવ્ય), તેમાં તેના પોતાના પર્યાયો સમયે-સમયે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે.૧
પૂર્વે અગુરુલઘુગુણના વિકારભૂત છ પ્રકારની હાનિરૂપ અને છ પ્રકારની વૃદ્ધિરૂપ - એમ કુલ બાર પ્રકારના સ્વપર્યાય કહ્યા હતા. અને મનુષ્ય-નારકાદિરૂપ વિભાવપર્યાય કહ્યા હતા. તે બધા પર્યાયો પણ અહીં ‘પર્યાય’ શબ્દથી લેવા. (અર્થાત્ અહીં ‘પર્યાય’ તરીકે તે બધા પર્યાયોનું પણ ગ્રહણ કરવું.)
સ્વભાવપર્યાય અને વિભાવપર્યાયનું સ્વરૂપ આગળ વિસ્તારથી બતાવી ગયા છીએ. (૫૬) હવે ગ્રંથકારશ્રી બીજી રીતે પર્યાયોના ભેદોને જણાવે છે -
* બીજી રીતે પર્યાયોના ભેદો
પર્યાયોના બે પ્રકાર છે : (૧) સહભાવી પર્યાય, અને (૨) ક્રમભાવી પર્યાય.
(૧) વસ્તુનો જે ધર્મ હંમેશાં સાથે રહેનારો હોય, સહવર્તી હોય, તે ધર્મને સહભાવીપર્યાય કહેવાય. જેમકે – આત્માના જ્ઞાનાદિ ધર્મો. આ ધર્મો હંમેશા સાથે રહેતા હોવાથી સહભાવીપર્યાય કહેવાય અને તેઓને જ ‘ગુણ’ પણ કહી શકાય.
અને,
(૨) જે ધર્મ ક્રમભાવી હોય, ક્રમસર વસ્તુમાં આવનાર હોય, તે ધર્મને ક્રમભાવીપર્યાય કહેવાય. જેમકે - આત્માના સુખ-દુઃખાદિ ધર્મો. આ ધર્મો ક્રમશઃ થતા હોવાથી તેઓને ક્રમભાવીપર્યાય કહેવાય.
આ વાત હમણાં જ આગળ જણાવશે.
Jain Education International
१. ‘द्रव्यात् स्वस्मादभिन्नाश्च व्यावृत्ताश्च परस्परम् । उन्मज्जनि निमज्जन्ति जलकल्लोलवज्जले ॥'
- ન્યાયકુમુદચન્દ્ર પૃ. ૩૭૦ માં ઉદ્ધૃત શ્લોક.
'अनाद्यनिधने द्रव्ये स्वपर्यायाः प्रतिक्षणम् । उन्मज्जनि निमज्जन्ति जलकल्लोलवज्जले ॥१॥
For Personal & Private Use Only
- આલાપપદ્ધતિ.
www.jainelibrary.org