________________
* सप्तभङ्गीनयप्रदीपः सापेक्षोऽसावशुद्धद्रव्यार्थिको वा, यथाऽऽत्मनो दर्शन-ज्ञानादयो गुणाः १० । उक्ता द्रव्यार्थिकस्य भेदाः॥
+ગુણસૌમ્યા સમયે દ્રવ્ય ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે. (૯)
વિવેચનઃ દ્રવ્યાર્થિકનયનો નવમો પ્રકાર : (૯) ઉત્પાદવ્યયસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય. આ નય ઉત્પાદ-વ્યયને સાપેક્ષ દ્રવ્યસત્તાને ગ્રહણ કરે છે. જેમકે – એક સમયમાં દ્રવ્યને ઉત્પાદવ્યય-ધ્રુવરૂપ કહેવું તે.
સોનાના કેયૂરને ભાંગીને કટક બનાવ્યું હોય, ત્યારે જે કટકાદિનો ઉત્પત્તિસમય છે, એ જ કેયૂરાદિનો વિનાશસમય છે, અને એ જ સમય સુવર્ણની સત્તાનો છે. એટલે એ વિવક્ષિત સમયને ધ્યાનમાં રાખીને આ નય, સુવર્ણદ્રવ્યને (૧) કટકાદિઉત્પાદરૂષ, (૨) કેયૂરાદિવિનાશરૂપ, અને (૩) સુવર્ણસત્તારૂપ – એમ ઉત્પાદાદિત્રયાત્મક માને છે.
તેમાં પણ ઉત્પાદ-વ્યયને ગૌણરૂપે અને દ્રૌવ્યને મુખ્યરૂપે માને છે. અન્યથા ત્રણેને મુખ્યરૂપે માનતો હોય તો આ નય “પ્રમાણ” જ બની જાય.'
જ દસમો પ્રકાર : સૂત્ર: મે ના પક્ષો સાવશુદ્ધ વ્યાર્થિો વા, યથા - માત્મનો વર્શન-જ્ઞાનાયો TIT: I? ||
અર્થ ભેદની કલ્પનાને સાપેક્ષ રહેનાર એવો આ અશુદ્ધદ્રવ્યાર્થિકનય. જેમકે - આત્માના દર્શનજ્ઞાન વગેરે ગુણો.
વિવેચન : દ્રવ્યાર્થિકનયનો દસમો પ્રકાર : (૧૦) ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય. આ નય ભેદની કલ્પનાને ગ્રહણ કરે છે. જેમકે - “આત્માના જ્ઞાનાદિ શુદ્ધ ગુણ છે એમ કહેવું
આમાં “આત્માના એમ જે ષષ્ઠી વિભક્તિ લાગી છે, તે ભેદને જણાવે છે, જેમ “ભિક્ષુનું પાત્ર'. આમાં ભિક્ષુને લાગેલી ષષ્ઠી વિભક્તિ ભિક્ષુ અને પાત્ર વચ્ચેના ભેદને જણાવે છે.
અલબત્ત, ભિક્ષુ અને પાત્ર – એ બંને તો અલગ-અલગ જોવા મળે છે, પણ એમ આત્મા અને જ્ઞાન અલગ-અલગ જોવા મળતા નથી. માટે જણાય છે કે, ભિક્ષુ અને પાત્ર વચ્ચે જેવો ૧. અહીં આટલું સમજવું કે – ૦ ઉત્પાદ-વ્યયને ગૌણરૂપે અને ધ્રૌવ્યને મુખ્યરૂપે માને, તે દ્રવ્યાર્થિકનય. oધ્રૌવ્યને ગૌણરૂપે અને ઉત્પાદ-વ્યયને મુખ્યરૂપે માને, તે પર્યાયાર્થિકનય. ૦ ત્રણેને મુખ્યરૂપે માને, તે પ્રમાણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org