________________
* सप्तभङ्गीनयप्रदीपः
शुद्धद्रव्यार्थिको वा, यथा-जीवः सिद्धसदृशः शुद्धात्मा ५ । उत्पादव्ययगौणत्वेन सत्ताग्राहकः शुद्धदव्यार्थिको वा, यथा-द्रव्यं नित्यम् ६ । भेदकल्पनानिरपेक्षः
- + ગુણસૌમ્યા+અને જ્ઞાનને આગળ કરીને જ ભેદ પાડવાનું કારણ એ કે, દર્શન વગેરે ગુણો કરતાં જ્ઞાન જ શીધ્ર ઉપસ્થિત થઈ જાય છે.
એટલે જ શાસ્ત્રોમાં અનંતમા ભાગ જેટલા જ્ઞાનને હંમેશા ખુલ્લું કહ્યું છે. બાકી અનંતમાં ભાગ જેટલા તો દર્શન-વીર્ય વગેરે પણ ખુલ્લાં હોય છે જ. તો પણ જડથી જીવમાં ભેદ પાડવા, તેઓનો ઉલ્લેખ ન કરી જ્ઞાનનો જ કેમ ઉલ્લેખ કર્યો ? એનાથી પણ જણાય છે કે જ્ઞાનગુણ ઉત્કૃષ્ટ છે. અને એટલે જ તેવાં ઉત્કૃષ્ટ-પરમ ગુણને કહેનારો નય, પરમભાવગ્રાહક નય કહેવાય છે.
આ જ રીતે બીજા દ્રવ્યોમાં પણ પરમભાવ તરીકે તેઓના અસાધારણગુણ લેવા. અને તે તે ગુણસ્વરૂપે તે તે દ્રવ્યોને કહેવું, તે પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનય સમજવો.
એક પાંચમો પ્રકાર છે સૂત્રઃ પથિનિરપેક્ષ શુદ્ધદ્રવ્યfથો વા, યથા - ગીવ સિદ્ધાઃ શુદ્ધાત્મા Ill
અર્થ પાંચમો ભેદ - કર્મોપાધિથી રહિત શુદ્ધ દ્રવ્યને વિષય કરનારો નય. જેમકે - જીવ સિદ્ધના જેવો શુદ્ધાત્મા છે. (૫)
વિવેચન : દ્રવ્યાર્થિકનયનો પાંચમો પ્રકાર : (૫) કર્મોપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય. આત્મા પર કર્મરૂપ ઉપાધિ અને તેની અનેકવિધ અસરો હોવા છતાં એ બધાને ગૌણ કરીને, આત્મા જાણે કે કર્મ-ઉપાધિથી શૂન્ય હોય, એ રીતે એને જોવો - એ આ નયનો વિષય છે. કર્મ કે કર્મજન્ય અસરોને જોવાની જ નથી, એટલે આત્માનું શુદ્ધસ્વરૂપ જ આ દૃષ્ટિથી જોવા મળે છે.
એટલે જ આ નય, આત્માને સિદ્ધના જેવો શુદ્ધ માને છે.
જાત્યરત્ન પર ગમે એટલો મેલ જામે તો પણ અંદર તો એની નિર્મળતા અક્ષત જ હોય છે. એમ આત્મા પર ગમે તેવા ગાઢ ચીકણાં કર્મો ચોટેલા હોય, તો પણ અંદર એના કેવલજ્ઞાન વગેરે ગુણો તો રહેલા જ હોય છે.
એટલે જેમ એક્સ રે, વસ્ત્ર પરના મેલને, વસ્ત્રને, ચામડીના વિવિધ સ્તરોને... આ બધાને નજરમાં લીધા વિના સીધો અંદરના હાકડાંને જ જુએ છે, તેમ આ દ્રવ્યાર્થિકનય, કર્મજન્ય ઉપાધિઓને વીંધીને સીધુ અંદરના શુદ્ધ આત્મસ્વરૂપને જુએ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org