________________
પ્રથમવાર પ્રકાશિત થઈ રહેલી ત્રણ કૃતિઓનું સંપાદન જે હસ્તપ્રતોનો આધારે થયું તેનો પરિચય પણ અહીં આપેલો છે.
પરમોપકારી પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયકનકસૂરીશ્વરજીમ.સા.ની ૨૦મી સ્વર્ગારોહણતિથિના અવસરે “દાદાના ચરણે નાનકડી જ્ઞાનાંજલિના સમર્પણ સ્વરૂપે “વિજયકનકસૂરિપ્રાચીનગ્રંથમાળા” શરૂ કરવાની ભાવના પ્રગટી.
પૂ.દાદાગુરુદેવના પુણ્યપ્રભાવથી અને ગુરુદેવ અધ્યાત્મયોગી પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના દિવ્ય આશિષથી અમારી ભાવના સાકાર બની રહી છે.
વર્તમાન ગચ્છનાયક પ.પૂ.આચાર્યદેવેશ શ્રીમદ્વિજય કલાપ્રભસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ.આ.ભગ. શ્રીકલ્પતરૂસૂરિમ.સા.ના આશિષ તથા અનુજ્ઞાથી પ્રસ્તુત સંપાદન થઈ રહ્યું છે.
માતુશ્રી ખીમઈબેન લખદીર શિવજી જૈન ધર્મશાળા (પાલિતાણા) એ જ્ઞાનખાતાની રકમ દ્વારા આ ગ્રંથનો લાભ લઈ શ્રુતભક્તિમાં સહાયક બન્યા છે.
વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ.આચાર્યદેવશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મ.સા. પ્રસ્તુત ચરિત્રોની અપ્રગટ હસ્તલિખિત પ્રતની કોપી પાટણના શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનભંડારમાંથી મેળવી આપી અમારો ઉત્સાહ વધાર્યો છે.
• વયોવૃદ્ધા સા.ચંદનબાલાશ્રીજી મેટર કંપોઝીંગમાં સહાયક બન્યા છે.
• શ્રુતભક્તિકારક સુશ્રાવક શ્રી બાબુભાઈ સેરમલજીએ સંદર્ભ ગ્રંથો વગેરે મેળવી આપી સંપાદન કાર્યમાં સહભાગી બન્યા છે.
• આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનભંડાર - કોબા • શેઠશ્રી લાલભાઈ દલપતભાઈ સંસ્કૃતિ વિદ્યામંદિર - અમદાવાદ • સર ભાંડારકર ઓરીએન્ટલ રિસર્ચ સેન્ટર - પૂના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org