SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ २४ ૦ મંગલકલશ કલા અભ્યાસ પણ કરે છે. • આ બાજુ-ભરતક્ષેત્રની ચંપાનામની નગરી છે. રાજવી સુરસુંદર તે નગરીનું પાલન કરે છે. તેમને ગુણની આવલી =શ્રેણી જેવી ગુણાવલી નામની રાણી છે. • રાણી ગુણાવલીએ એકવાર રાત્રીએ સ્વપ્નમાં પોતાના ખોળામાં કલ્પલતા આવતી જોઈ, સ્વપ્નાનુસારે થોડા સમય બાદ તેણીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો, રાજારાણીને આ એક માત્ર સંતાન હતું. • જન્મોત્સવ કર્યા બાદ પુત્રીનું નામ રૈલોક્યસુંદરી રાખ્યું. • યૌવન પામેલી ગૈલોક્યસુંદરી સમગ્ર રાજપરિવારને પ્રિય થઈ ગઈ છે. • એક દિવસ રાજા રૈલોક્યસુંદરીનું લાવણ્ય અને રૂપ જોઈને ચિંતિત થયા. કે આને યોગ્ય વર કોણ મળશે? • ચિંતિત રાજા અંતેપુરમાં જાય છે. બધી રાણીઓ વાત કરે છે કે આ આપણને એક જ પુત્રી છે અને તે અમને સહુને અત્યંત પ્રિય છે. એનો વિયોગ અમે સહી નહી શકીએ, આથી આપણા જ નગરીના મંત્રી સુબુદ્ધિના પુત્રને કન્યા આપો. જેથી અવારનવાર એ અહીં આવી શકે. આપણે તેને મળી શકીએ.” રાણીઓની વાત રાજાને યોગ્ય લાગી. • ત્યારબાદ રાજાએ મંત્રી સુબુદ્ધિને બોલાવીને પોતાની પુત્રી તેના પુત્રને આપવાની વાત કરી. • પોતાનો પુત્ર કોઢી છે એવું મંત્રીએ આજસુધી બહાર પાડ્યું ન હતું. અને આવા કોઢી પુત્ર સાથે રાજકુમારીના લગ્ન કેવી રીતે સંભવે ? માટે મંત્રીએ વાત ટાળવા માટે ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ, રાજા એ આગ્રહ ન મૂક્યો. • મંત્રી ઘરે જઈને ચિંતિત થઈ ગયો કે રાજાને ના પણ પડાય તેમ નથી, અને પુત્રને પરણાવાય તેમ પણ નથી. • મંત્રીને આ આપત્તિમાંથી કોઈ માર્ગ ન સૂઝતા તેણે પોતાના કુલદેવતાની આરાધના શરૂ કરી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004056
Book TitleMangal Kalash Charitra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherVijay Kanaksuri Prachin Granthmala
Publication Year2013
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy