SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૩પ જ નરકત્રિક, દેવત્રિક અને મનુષ્યત્રિકનો ઉદય યથાસંભવ નરકાદિમાં જ હોય છે, એટલે અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો. 7 એકેન્દ્રિયોને હાથ-પગ વગેરે અવયવો નથી હોતા અને હાડકા પણ નથી હોતા, એટલે તેઓને ઔદારિકાંગોપાંગ અને છ સંઘયણનો ઉદય ન હોય.. 2 માત્ર છેલ્લા સંસ્થાનવાળા એકેન્દ્રિયોને આગળના પાંચ સંસ્થાનનો ઉદય ન હોય.. 24 બેઇન્દ્રિયાદિ ચાર જાતિનો ઉદય બેઇન્દ્રિયાદિને જ હોવાથી, અહીં તેઓનું ગ્રહણ કર્યું નથી. * એકેન્દ્રિયો નિયમા નપુંસક હોવાથી સ્ત્રીવેદ અને પુરુષવેદનો ઉદય તેમને ન હોય. - સુભગ અને આદયનો ઉદય માત્ર પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને દેવોને જ હોય છે, એટલે અહીં તેઓનો ઉદય ન કહ્યો. શુભ-અશુભ વિહાયોગતિનો ઉદય, શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા અને લબ્ધિપર્યાપ્ત એવા ત્રસ જીવોને જ હોય છે, એટલે એકેન્દ્રિયોને તે બેનો ઉદય ન હોય.. * એકેન્દ્રિયોને તિર્યંચગતિના સ્વભાવથી માત્ર નીચગોત્રનો જ ઉદય હોય છે. 7 જિનનામ અને આહારકદ્ધિકનો ઉદય અનુક્રમે સર્વજ્ઞ અને સંયતઆત્માને જ હોય છે. (એટલે એકેન્દ્રિયોને તેનો ઉદય ન હોય) એકેન્દ્રિયોને ત્રીજું વગેરે ગુણઠાણું ન હોવાથી મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીયનો પણ ઉદય ન હોય. સુસ્વર, દુઃસ્વર અને ત્રસ નામકર્મનો ઉદય માત્ર ત્રસજીવોને જ હોવાથી, સ્થાવરોને તેનું વર્જન કર્યું. એટલે એકેન્દ્રિયમાર્ગણામાં ઓઘથી ૧૨૨-૪૨=૦૦ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય છે. હવે ગ્રંથકારશ્રી, પહેલે બીજે ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય જણાવવા કહે છે– मिच्छे पणनिद्द-सुहुमपण-पराघायदुग-मिच्छविणु साणे । सडसट्ठी बासीई, विक्कियएगारसं मोत्तुं ॥२०॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy