________________
૩૬
ઉદયસ્વામિત્વ बिंदियापज्जछेवढं विणु संघयणुणवीस थीचउपणिंदि- । सुखगइसत्ताईज्ज-विणु बिंदियम्मि हु मिच्छोहे ॥ २१ ॥ मिथ्यात्वे निद्रापञ्चक-सूक्ष्मपञ्चक-पराघातद्विक-मिथ्यात्वानि विना सास्वादने । सप्तषष्टियशीतिः, वैक्रियैकादशकं मुक्त्वा ॥ २० ॥ द्वीन्द्रियापर्याप्तसेवार्तानि विना, संहननैकोनविंशतिं स्त्रीचतुष्कपञ्चेन्द्रिय- । सुखगतिसप्तकाऽऽदेये, विना द्वीन्द्रिये खु मिथ्यात्वे ओघे ॥२१॥
ગાથાર્થ : મિથ્યાત્વ ગુણઠાણે (ઓઘે કહેલ ૮૦ પ્રકૃતિનો ઉદય કહેવો.) અને સાસ્વાદને ૮૦માંથી નિદ્રાપંચક, સૂક્ષ્મપંચક, પરાઘાતદ્ધિક અને મિથ્યાત્વ- એ ૧૩ વિના ૬૭ પ્રકૃતિઓનો ઉદય હોય.. અને બેઈન્દ્રિયમાર્ગણામાં વૈક્રિયેકાદશને મૂકીને તથા બેઈન્દ્રિય + અપર્યાપ્ત + સેવાર્ત સિવાયના છ સંઘયણાદિ-૧૯ પ્રકૃતિઓ, સ્ત્રીચતુષ્ક, પંચેન્દ્રિય, સુખગતિસપ્તક અને આદેય - આ પ્રવૃતિઓ છોડીને ૮૨ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (૨૦-૨૧)
વિવેચન : એકેન્દ્રિયમાર્ગણામાં (૧) મિથ્યાત્વગુણઠાણે ઓઘની જેમ જ ૮૦ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો.
(૨) ૮૦માંથી સાસ્વાદનગુણઠાણે પાંચ નિદ્રા, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, ઉદ્યોત (સૂક્ષ્મપંચક), પરાઘાત, ઉચ્છવાસ અને મિથ્યાત્વ- એ ૧૩ પ્રકૃતિ વિના ૬૭ પ્રકૃતિઓનો ઉદય હોય છે. ભાવના :
પાંચ નિદ્રાનો ઉદય શરીરપર્યાપ્તિ પછી જ થાય છે, તે પહેલાં નહીં. જ્યારે એકેન્દ્રિયોને સાસ્વાદનગુણઠાણું તો પૂર્વભવથી આવ્યું હોય છે અને એ તો શરીરપર્યાપ્તિ પૂર્વે જ પૂર્ણ થઈ જાય છે. એટલે એકેન્દ્રિયોને સાસ્વાદને પ નિદ્રાનો ઉદય ન હોય.
દિગંબરોના મતે પણ શરીરપર્યાપ્તિ પછી જ પાંચ નિદ્રાનો ઉદય મનાયો
* 'पंचण्णं दसणावरणीयाणं को वेदओ ? सरीरपज्जत्तीए दुसमयपज्जत्तमादि कादूण उवरिमो अण्णदरो तप्पाओग्गो वेदओ।' - धवलायाम् उदयानुयोगद्वारे (षट्खं० भा० १५, पृ० ૨૮૧) |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org