SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૩૧ (=મનુષ્યગત્યાદિ ૩૧), નપુંસકવેદ, નીચગોત્ર, હુડકસંસ્થાન, કુખગતિ, દુઃસ્વર (=નપુંસકપંચક), નરકત્રિક, જિનનામ અને આહારદ્ધિક – આ ૪૨ પ્રકૃતિઓ વિના ઓઘે ૮૦ પ્રકૃતિઓનો ઉદય હોય છે. કારણસંલોક છે કે મનુષ્યત્રિક, તિર્યચત્રિક અને નરકત્રિકનો ઉદય અનુક્રમે મનુષ્ય-તિર્યંચ અને નરકમાં જ થાય છે, એટલે અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો. 24 સંઘયણ વગરના અને વૈક્રિયશરીરવાળા દેવોને છ સંઘયણ અને ઔદારિકદ્ધિકનો ઉદય ન હોય એ સ્પષ્ટ જ છે . 7 વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપઆ કર્મપ્રકૃતિઓનો ઉદય નિયમા તિર્યંચોને જ હોય છે, એટલે અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો. 7 અપર્યાપ્ત નામકર્મનો ઉદય લબ્ધપર્યાપ્ત જીવોને જ હોય છે, જ્યારે દેવો તો લબ્ધિપર્યાપ્ત જ હોય. એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો. & ઉદ્યોત નામકર્મનો ઉદય મુખ્યત્વે તિર્યંચોને જ હોય છે. જો કે લબ્ધિને આશ્રયીને ઉત્તરક્રિયશરીરમાં દેવોને પણ તેનો ઉદય હોય છે, પણ અહીં ભવધારણીય શરીરની જ વિવક્ષા છે, એટલે તેનો ઉલ્લેખ કર્યો નથી. પ્રશ્નઃ દેવોને ભવધારણીય શરીરમાં પણ જે તેજ દેખાય છે, તે શું ઉદ્યોત નામકર્મના કારણે નથી ? ઉત્તર : ના, કારણ કે તે તેજ, દેવોના શરીરમાં રહેલાં વર્ણના પ્રકર્ષથી થાય છે.* એટલે તે તેના કારણ તરીકે દેવોને ઉદ્યોત નામકર્મનો ઉદય માનવો જરૂરી નથી. 7 થીણદ્વિત્રિકનો ઉદય સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ-મનુષ્યોને સિદ્ધાંતમાં ક્યાંક-ક્યાંક દેવોને પ્રથમ સંઘયણી તરીકે કહ્યાં છે, તે તેવી શક્તિવિશેષને લઈને કહ્યાં છે, અસ્થિરચનાને લઈને નહીં, જયારે અહીં તો અસ્થિરચનાને લઈને વિવેક્ષા છે, એટલે એ અપેક્ષાએ દેવોને “અસંઘયણી” કહેવા ઉચિત જ છે. ★ 'इह देवानां द्वे शरीरे, भवधारणीयमुत्तरवैक्रियञ्च । तत्र भवधारणीये अत एव वचनान्नास्ति उद्योतनामकर्मोदयः, किन्तु तेषु यः प्रकाशः स वर्णनामजनितशरीरकृष्णादिवर्णप्रकर्षप्रभवो यथा तीर्थकराणां भामण्डलरूपः प्रकाशः ।' - कर्मप्रकृतिटिप्पणकम् उदीरणा० श्लो० १३ । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy