SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૨૩ 2 લબ્ધપર્યાપ્ત જીવો નિયમા મિથ્યાષ્ટિ જ હોય, એટલે તેઓને મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીયનો ઉદય ન હોય, કારણ કે તેઓનો ઉદય તો અનુક્રમે ત્રીજા અને ચોથાદિ ગુણઠાણે હોય છે. પ્રશ્ન : તમે ૮૧ પ્રકૃતિમાં થીણદ્વિત્રિકનો પણ ઉદય માન્યો છે, પણ લષ્મપર્યાપ્ત જીવોને થીણદ્વિત્રિકનો ઉદય હોય ? ઉત્તરઃ હા, કારણ કે થીણદ્વિત્રિકનો ઉદય શરીરપર્યાપ્તિ પછી હોય છે, એવું કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથોમાં જણાવ્યું છે. હવે લબ્ધપર્યાપ્ત જીવો શરીરપર્યાપ્તિ પછી યાવત્ ઇન્દ્રિયપર્યાપ્તિ તો પૂર્ણ કરે જ છે. એટલે ત્યારે તેઓને થીણદ્વિત્રિકનો ઉદય હોવામાં કોઈ બાધ નથી. આ પ્રમાણે તિર્યંચગતિમાર્ગણામાં કહેલ ૧૦૭ પ્રકૃતિમાંથી આતપાદિ- ૨૬ પ્રકૃતિઓ નીકાળીને, લબ્ધપર્યાપ્ત તિર્યંચગતિમાર્ગણામાં ઓધે અને મિથ્યાત્વગુણઠાણે ૮૧ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. જે લધ્યપર્યાપ્ત તિર્યંચમાં ઉદયરત્ન છે. સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ | તિર્યંચની ઓઘપ્રાયોગ્ય ૧૦૭માંથી વિચ્છેદ ઓઘથી | ૮૧ આતપદ્રિક + સ્ત્રીઅષ્ટક + પર્યાપ્ત + મધ્યાકૃતિચતુષ્ક + સંહનાનપંચક + પરાઘાતદ્ધિક + મિશ્રદ્ધિક + વિહાયોગતિદ્વિક ૧ | મિથ્યાત્વ | ૮૧ ઓઘની જેમ આમ તિર્યંચગતિમાં કર્મપ્રકૃતિના ઉદયને કહીને, હવે મનુષ્યગતિમાં તેને જણાવવા કહે છે - છે મનુષ્યગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે મનુષ્યગતિમાર્ગણામાં ૧૨૨ પ્રકૃતિમાંથી વૈક્રિયઅષ્ટક (=વૈક્રિયદ્રિક, નરકત્રિક, દેવત્રિક) તિર્યચત્રિક, અપર્યાપ્તને છોડીને વિકલેન્દ્રિયદશક; અર્થાત્ * 'लब्ध्यपर्याप्तस्तु मिथ्यादृगेव ।' - बन्धशतकटिप्पने श्लो० ७ । * "णिद्दापणगस्स सरीरपज्जत्तीए पज्जत्तस्स अणंतरे समते आढत्तं णिद्दादिपणगस्स उदय एव भवतीति जाव इंदियपज्जत्तीचरिमसमतो ताव, (परे) दोवि उदतो उदीरणा य भवति ।' कर्मप्र० चूर्णी उदयाधिकारे श्लो० २।। આ વાતની અનેક શાસ્ત્રપાઠો દ્વારા સતર્કસિદ્ધિ ઉદયસ્વામિત્વ પરની સંસ્કૃતટીકામાં વિસ્તારથી કરી છે અને ત્યાં, જે આચાર્યો લધ્યપર્યાપ્ત જીવોમાં થીણદ્વિત્રિકનો ઉદય નથી માનતા, તેમનાં મતોનું પણ નિરૂપણ કર્યું છે. જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ભલામણ.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy