SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ♦ તર્કસંલોક સામાન્ય નિયમ : (૧) ક્ષાયિકસમ્યક્ત્વની શરૂઆત કરનારા નિયમા મનુષ્યો જ હોય છે* .. (૨) આઠ વરસથી ઉપરની ઉંમરવાળા, (૩) પરમાત્માના વિચરણકાળમાં જન્મ લેનારા, (૪) પહેલાં સંઘયણવાળા આ જીવો જ ક્ષાયિકસમ્યક્ત્વ *પ્રાપ્ત કરે છે.. ઉદયસ્વામિત્વ * દર્શનસપ્તકના ક્ષય પછી જ ક્ષાયિકસમ્યક્ત્વ મેળવાય છે. એટલે અહીં દર્શનસપ્તકનો ઉદયવિચ્છેદ કર્યો.. · * ક્ષાયિકસમ્યક્ત્વવાળા જીવો જો તિર્યંચ - મનુષ્યમાં હોય, તો નિયમા પ્રથમ સંઘયણવાળા જ હોય (તેઓ દેવ-નરકમાં જાય, તો ત્યાં તો સંઘયણ જ હોતું નથી અને તિર્યંચ-મનુષ્યમાં જાય, તો અસંખ્યાતવર્ષનાં આયુષ્યવાળામાં ઉત્પન્ન થાય અને ત્યાં પહેલું સંઘયણ જ હોય છે અને ચરમભવમાં મનુષ્યમાં ઉત્પન્ન થાય, તો ત્યાં પણ પહેલું સંઘયણ જ હોય છે) એટલે ક્ષાયિકસમ્યક્ત્વમાર્ગણામાં પહેલાં સિવાયનાં પાંચ સંઘયણનો ઉદયવિચ્છેદ કર્યો.. જો કે ક્ષાયિકસમ્યક્ત્વ પામ્યા પછી પાંચમા ભવે મોક્ષે જનારા પૂ. દુપ્પસિંહસૂરિ વગેરેને પહેલાં સિવાયનું સંઘયણ પણ હોય છે, પણ તેવાં જીવો અલ્પ હોવાથી પૂર્વાચાર્યોએ તેઓની વિવક્ષા કરી નથી. એટલે અમે પણ તે જ માર્ગ અનુસર્યો છે.. * એકેન્દ્રિય વિકલેન્દ્રિય અને લબ્ધપર્યાપ્ત જીવોને ક્ષાયિકસમ્યક્ત્વ જ હોતું નથી. એટલે તેમના પ્રાયોગ્ય વિકલેન્દ્રિયનવકનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો.. (૪) ૧૦૧માંથી અવિરતગુણઠાણે જિનનામ અને આહા૨કદ્ધિક વિના ૯૮ પ્રકૃતિઓનો ઉદય કહેવો (જિનનામનો ઉદય તેરમા - ચૌદમા ગુણઠાણે અને આહારકદ્વિકનો ઉદય છટ્ઠા ગુણઠાણે થતો હોવાથી અહીં તેઓનો અનુદય કહ્યો.) Jain Education International * ‘પદવનો ૩ મજૂસો, નિર્દેવો પડતુ વિ સુ” કૃતિ વચનાત્ । .. ** अभिहितञ्च पञ्चसङ्ग्रहस्वोपज्ञव्याख्यायाम् - "मिथ्यात्वसम्यग्मिथ्यात्व - सम्यक्त्वરૂપમ્, તસ્ય ક્ષપળા, તસ્યા અનેં - યોગ્ય: जिनविहरणकालसम्भवः प्रथमसंहननीत्यर्थः, मनुष्यगतिजीवो व्यतीताष्टवर्षः इति ( उपशमना० श्लो० ३६ ) । तथा चोक्तम् कर्मप्रकृतिचूर्णावपि - " खातियसंमत्तं उप्पाएउं को आढवेइ ? भण्णइ - जिणकाले वट्टमाणो मणुस्सो अठवासाउओ उपरिं वट्टमाणो मणुस्सो पट्ठवेंतो, निट्ठवगो चउसु वि गतिसु भवति" उपशमना० श्लो० ૨૨૫ ... For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy