SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૨૯ દેવોને જ હોય છે.. નારક, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય કે લધ્યપર્યાપ્ત જીવોને નહીં. એટલે તેમનાં પ્રાયોગ્ય નરકત્રિક ને વિકલનવકનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો. આઠમાં દેવલોક સુધી પડ્યૂલેશ્યા હોય છે, તેનાથી આગળ નવમાં વગેરે દેવલોકમાં શુક્લલેશ્યા હોય છે. હવે આ (= નવમા વગેરે) દેવલોકવાળા દેવો નિયમા મનુષ્યગતિમાં જ ઉત્પન્ન થાય, તિર્યંચગતિમાં નહીં. એટલે શુક્લલેશ્યામાં માત્ર મનુષ્યાનુપૂર્વીનો જ ઉદય ઘટે, તિર્યંચાનુપૂર્વીનો નહીં. તત્ત્વાર્થ વગેરે ગ્રંથોના અભિપ્રાયે છઠ્ઠી વગેરે દેવલોકમાં પણ શુક્લલેશ્યા કહેવાઈ છે અને છઠ્ઠા વગેરે દેવલોકના દેવો તો તિર્યંચમાં પણ ઉત્પન્ન થાય છે.. એટલે તેમનાં મતે શુક્લલશ્યામાર્ગણામાં તિર્યંચાનુપૂર્વી પણ ઉદય હોઈ શકે છે. (પણ અહીં આ મત મુખ્ય રાખ્યો નથી..) શુક્લલેશ્યાવાળા તિર્યંચ-મનુષ્યો મરીને તિર્યંચગતિમાં ઉત્પન્ન થતાં નથી, એટલે તેઓને લઈને પણ શુક્લલેશ્યામાર્ગણામાં તિર્યંચાનુપૂર્વીનો ઉદય ઘટી શકે નહીં. હવે મિથ્યાત્વ વગેરે ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા અતિદેશથી કહે છે सुक्काए तु नवसयं, मिच्छे जिणपणग विणु य पम्हव्व । साणाइछसु इयरछसु, ओहव्व सत्तणवइ उवसमि ओहे ॥६७ ॥ शुक्लायां तु नवशतं, मिथ्यात्वे जिनपञ्चकं विना च पद्माया इव । सास्वादनादिषट्सु इतरषट्सु, ओघस्येव सप्तनवतिरुपशमे ओघे ॥६७ ॥ €3 ‘આઠમા દેવલોક સુધી પદ્મલેશ્યા હોય છે એ વાત બંધસ્વામિત્વ વગેરે ગ્રંથોથી સિદ્ધ થાય.. તે વિશેની સુવિસ્તૃત માહિતી માટે જુઓ ઉદયસ્વામિત્વ પરની સંસ્કૃતવૃત્તિ.. છે તથા વોક્ત તત્ત્વાર્થસૂત્રે- “ત-પા-ગુરૂજોથા દ્વિ-ત્રિ-શેષેપુ” (૪/ર૩) I बृहत्सङ्ग्रहण्यामपि प्रगदितम्- "कप्पे सणंकुमारे, माहिदे चेव बंभलोए अ । एएसु पम्हलेसा, तेण परं सुक्कलेसा उ ॥ १९४ ।।" इति । अभिहितञ्च दण्डकटीकायामपि- "परमाधार्मिकाणां कृष्णैव ज्योतिष्केषु आद्यकल्पद्विके च तेजोलेश्या, कल्पत्रिके सनत्कुमारादिके पद्मलेश्या, लान्तकादिषु વાનુત્તાન્તપુ સુવર્નફ્લેશ્યા મવતિ" રૂતિ (સ્સો ૨૫ -વૃત્તી) શુક્લલેશ્યાવાળા તિર્યચ-મનુષ્યો મરીને તિર્યંચગતિમાં કેમ ઉત્પન્ન ન થાય?’ એ વાતની તર્કથી સિદ્ધિ, ઉદયસ્વામિત્વ પરની સંસ્કૃતવૃત્તિમાં વિસ્તારથી કરવામાં આવી છે. જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ખાસ ભલામણ.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy