SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ .. હવે પદ્મલેશ્યામાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય - તે જણાવે છે - > પદ્મલેશ્યામાર્ગણામાં ઉદયસ્વામિત્વ પદ્મલેશ્યામાર્ગણામાં ૧૨૨માંથી વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, નરકત્રિક અને જિનનામ એ ૧૩ પ્રકૃતિઓને છોડીને ઓઘે - ૧૦૯ પ્રકૃતિઓનો ઉદય હોય છે. ♦ તર્કગવેષણા ઉદયસ્વામિત્વ માત્ર ત્રણ * નારક, વિકલેન્દ્રિય અને લબ્ધપર્યાપ્ત જીવોને તથાસ્વભાવે અશુભ લેશ્યા જ હોય છે. એટલે અહીં નરકત્રિક, વિકલત્રિક અને અપર્યાપ્ત નામકર્મનો ઉદયવિચ્છેદ કહ્યો. * એકેન્દ્રિયોને ઉત્કૃષ્ટથી પણ ચાર લેશ્યા જ હોવાથી, અહીં એકેન્દ્રિય પ્રાયોગ્ય એકેન્દ્રિય – સ્થાવર – સૂક્ષ્મ - સાધારણ - આતપ એ પાંચ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કહ્યો.. પ્રશ્ન ઃ એકેન્દ્રિયોમાં તેજોલેશ્યાની જેમ પદ્મલેશ્યા પણ કેમ ન ઘટે ? ઉત્તર : જુઓ; જે તેજોલેશ્યાવાળા ભવનપતિ વગેરે એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય, તેઓને લઈને એકેન્દ્રિયમાં તેોલેશ્યા કહેવાઈ હતી. પણ પદ્મલેશ્યાવાળા દેવો સનત્કુમારાદિ ત્રીજા વગે૨ે કલ્પમાં રહેનારા છે અને તે દેવો પંચેન્દ્રિય તિર્યંચમનુષ્યમાં જ ઉત્પન્ન થતા હોવાથી એકેન્દ્રિયોમાં તેમનો જન્મ ન થાય. એટલે એકેન્દ્રિયોમાં કોઈને પણ લઈને પદ્મલેશ્યા સંભવે નહીં. . છે— * જિનનામકર્મનો ઉદય તેરમા - ચૌદમા ગુણઠાણે થાય અને પદ્મલેશ્યા સાત ગુણઠાણા સુધી હોવાથી ત્યાં તેનું અસ્તિત્વ ન હોય. એટલે અહીં જિનનામકર્મનો પણ ઉદયવિચ્છેદ કહ્યો.. (૧) ૧૦૯માંથી મિથ્યાત્વગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે કહે आहारचऊ साणे, मिच्छं विणु तिरिपुव्वी सम्मे तेउव्व । ओहे णिरयतिग - विगलिंदियनवगतिरियाणुपुव्वी विणु ॥ ६६ ॥ आहारचतुष्कं सास्वादने मिथ्यात्वं विना तिर्यगानुपूर्वी सम्यक्त्वे तेजोवत् । ओघे नरकत्रिकविकलेन्द्रियनवकतिर्यगानुपूर्वीर्विना ॥ ६६ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy