SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ .. मिथ्यात्वोना सास्वादनेऽनन्तानुपूर्वीत्रिकेन्द्रियद्विकानि विना समिश्रा । मिश्रे सपूर्वीत्रिका, सम्यक्त्वयुताऽमिश्रायते ॥ ६४॥ ગાથાર્થ : સાસ્વાદને મિથ્યાત્વે વિના ૧૦૬.. મિત્રે અનંતાનુબંધી + ત્રણ આનુપૂર્વી + એકેન્દ્રિયદ્ધિક વિના અને મિશ્રમોહનીય સાથે ૯૮.. અવિરતે મિશ્રમોહનીયને છોડીને અને સમ્યક્ત્વમોહનીય + ત્રણ આનુપૂર્વીને લઈને ૧૦૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (૬૪) ઉદયસ્વામિત્વ વિવેચન : (૨) ૧૦૭માંથી સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીય વિના ૧૦૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (મિથ્યાત્વનો ઉદય બીજાદિ ગુણઠાણે ન હોય એ તો સ્પષ્ટ જ છે..) ... (૩) ૧૦૬માંથી મિશ્રગુણઠાણે અનંતાનુબંધી-૪ + એકેન્દ્રિયદ્ઘિક + ત્રણ આનુપૂર્વીને નીકાળીને અને મિશ્રમોહનીયને ઉમેરીને ૯૮ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. ભાવના : * અનંતાનુબંધીનો ઉદય બીજા ગુણઠાણા સુધી જ હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો. * એકેન્દ્રિયોને પહેલાં બે ગુણઠાણા જ હોવાથી એકેન્દ્રિય – સ્થાવરરૂપ બે પ્રકૃતિઓનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો. * ત્રીજું ગુણઠાણું વિગ્રહગતિમાં ન હોવાથી ત્રણ આનુપૂર્વીનો અનુદય કહ્યો.. (૪) ૯૮માંથી અવિરતગુણઠાણે મિશ્રમોહનીયને છોડીને અને ત્રણ આનુપૂર્વી + સમ્યક્ત્વમોહનીયને ઉમેરીને ૧૦૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. ભાવના :: * મિશ્રમોહનીયનો ઉદયવિચ્છેદ અને સમ્યક્ત્વમોહનીયનો પુનરુદય એ તો સ્પષ્ટ જ છે.. 1 * જે સમ્યગ્દષ્ટિ જીવો તેજોલેશ્યાવાળા સૌધર્મ-ઇશાન દેવલોકમાં કે સંખ્યાત અસંખ્યાતવર્ષનાં આયુષ્યવાળા તિર્યંચ-મનુષ્યમાં સમ્યક્ત્વ સાથે ઉત્પન્ન થાય છે, તેઓને લઈને અહીં દેવ-મનુષ્ય-તિર્યંચ એ ત્રણે આનુપૂર્વીનો ઉદય ઘટી શકે છે.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy