SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ઉદયસ્વામિત્વ તેમના મતે ચક્ષુદર્શનમાર્ગણામાં અપર્યાપ્ત નામકર્મનો ઉદયવિચ્છેદ ન થાય.. (અહીં કાર્મગ્રંથિકમત મુખ્ય રાખ્યો છે – એ ખાસ ધ્યાન રાખવું.) રk ચાર આનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં હોય છે અને ત્યારે ચક્ષુદર્શન હોતું નથી, કારણ કે ઇન્દ્રિયપર્યાપ્તિ પૂરી થયા પહેલાં ચક્ષુદર્શન હોય-એવું કોઈને માન્ય નથી. જો કે ક્ષાયોપથમિક લબ્ધિને આશ્રયીને વિગ્રહગતિમાં પણ ચક્ષુદર્શન હોઈ શકે છે, પણ પડશીતિકાર - પંચસંગ્રહકાર વગેરે પૂર્વમહર્ષિઓએ ઉપયોગને આશ્રયીને જ ચક્ષુદર્શનનું અસ્તિત્વ માન્યું છે. એટલે અમે પણ તે જ રસ્તો અપનાવ્યો છે. તેથી ચક્ષુદર્શનમાર્ગણામાં ચાર આનુપૂર્વીનો ઉદયવિચ્છેદ યોગ્ય જ છે.. * જિનનામકર્મનો ઉદય તેર-ચૌદમે ગુણઠાણે થાય છે અને ચક્ષુદર્શન બારમા ગુણઠાણા સુધી જ હોવાથી ત્યાં તેનું અસ્તિત્વ હોતું નથી. એટલે અહીં જિનનામનો ઉદયવિચ્છેદ કહ્યો. તેથી ચક્ષુદર્શનમાર્ગણામાં, ૧૨૨માંથી ૧૩ - પ્રકૃતિઓ નીકાળીને ઓધે૧૦૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો.: (૧) મિથ્યાત્વગુણઠાણે ૧૦૯માંથી મિશ્રમોહનીય - સમ્યક્વમોહનીય અને આહારકદ્ધિક વિના ૧૦૫ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (મિશ્ર-સમ્યક્તમોહનીયનો ઉદય અનુક્રમે ત્રીજા-ચોથાદિ ગુણઠાણે થાય અને આહારકદ્વિકનો ઉદય છદ્દે ગુણઠાણે થાય. એટલે અહીં તેઓને અનુદય કહ્યો..) (૨) સાસ્વાદનગુણઠાણે ૧૦૫માંથી મિથ્યાત્વમોહનીયને છોડીને ૧૦૪ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (મિથ્યાત્વનો ઉદય બીજાદિ ગુણઠાણે ન હોય..) (૩) મિશ્રગુણઠાણે ૧૦૪માંથી ચઉરિન્દ્રિયજાતિ + અનંતાનુબંધીચતુષ્કને છોડીને અને મિશ્રમોહનીયને ઉમેરીને ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. ભાવના : 7 ચઉરિન્દ્રિયોને પહેલું બીજું ગુણઠાણું જ હોવાથી ચઉરિન્દ્રિયજાતિનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો.. 7 અનંતાનુબંધીનો ઉદય ત્રીજે ન હોય - એ તો સ્પષ્ટ જ છે. ઝક મિશ્રમોહનીયનો ઉદય ત્રીજે નિયમા હોય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy