SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૦૫ લઈને ત્યાં ઉત્પન્ન થાય એમાં કોઈ બાધ નથી અને તેથી અવધિજ્ઞાનમાર્ગણામાં તિર્યંચાનુપૂર્વીનો ઉદય નિબંધ ઘટી શકે. પણ અહીં કાર્મગ્રંથિકમત મુખ્ય રાખ્યો છે, એ ખાસ ધ્યાનમાં રાખવું (કારણ કે આ કર્મસાહિત્યનો ગ્રંથ છે..). 7 મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો ઉદય અનુક્રમે પહેલા અને ત્રીજા ગુણઠાણે જ હોવાથી અહીં તે બેનું વર્જન કર્યું.. 7: અનંતાનુબંધીનો ઉદય બીજા ગુણઠાણા સુધી જ હોવાથી અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો. (અવધિઢિક, ચોથાદિ ગુણઠાણે હોય છે.) (૪) અવિરતગુણઠાણે ૧૦પમાંથી આહારકદ્ધિકને છોડીને ૧૦૩ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (આહારકદ્ધિકનો ઉદય છેકે ગુણઠાણે થવાથી અહીં તેનો અનુદય કહ્યો..) શંકા : અહીં ચોથે ગુણઠાણે તિર્યંચાનુપૂર્વીને છોડીને બાકીની ત્રણ આનુપૂર્વીનો ઉદય કેમ ન ઘટે ? તે સમજાવો.. સમાધાનઃ જુઓ; સમ્યગ્દષ્ટિ જીવોનો દેવભવમાં ઉત્પાદ થાય એમાં કોઈ વિવાદ નથી અને જે પૂર્વબદ્ધ નરકાયુષ્યવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિઓ કે કૃતકરણાદ્ધામાં વર્તનારા જીવો છે, તેઓ નરકગતિમાં પણ ઉત્પન્ન થઈ શકે છે, તેથી આ જીવો જ્યારે સસમ્યક્ત અવધિજ્ઞાન સાથે દેવ-નરકગતિમાં ઉત્પન્ન થાય, ત્યારે તેઓને લઈને દેવ-નરકાનુપૂર્વીનો ઉદય સંગત જ છે. વળી, દેવ કે નરકભવમાં રહેનારા તીર્થંકર વગેરેના જીવો, જયારે સસમ્યક્ત અવધિજ્ઞાન સાથે મનુષ્યગતિમાં આવે, ત્યારે તેઓને લઈને મનુષ્યાનુપૂર્વીનો ઉદય પણ નિબંધ ઘટી શકે... (આ પ્રમાણે કાર્મગ્રંથિકમતે પણ ત્રણે આનુપૂર્વીનો ઉદય સંગત છે.) હવે દેશવિરતાદિ ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે વાત અતિદેશથી જણાવે છે - (પ-૧૨) દેશવિરતથી લઈને ક્ષણમોહ સુધીના આઠ ગુણઠાણે જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો (દેશવિરતે - ૮૭ વગેરે રૂપે..). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy