SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત .. તો તેને લઈને તિર્યંચ વગેરે આનુપૂર્વીનો ઉદય પણ કેમ ન ઘટે ? ઉત્તર : હમણાં નપુંસકવેદની વાત ચાલી રહી છે. હવે કોઈપણ જીવ સમ્યક્ત્વ સાથે તિર્યંચગતિ વગેરેમાં નપુંસક તરીકે ઉત્પન્ન થતો નથી, કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ નરક સિવાય સર્વત્ર પુરુષવેદે જ ઉત્પન્ન થાય છે. (એટલે નપુંસકવેદમાર્ગણામાં ચોથે ગુણઠાણે માત્ર નરકાનુપૂર્વીનો ઉદય જ સંભવી શકે છે...) *ક્ષયોપશમસમ્યક્ત્વવાળા નપુંસકને સમ્યક્ત્વમોહનીયનો ઉદય હોય એ તો સ્પષ્ટ જ છે. ૯૧ (૫-૯) દેશવિરતથી લઈને અનિવૃત્તિકરણ સુધીના ૫ ગુણઠાણે, જે પ્રમાણે પુરુષવેદમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો.. પરંતુ નપુંસકવેદમાર્ગણામાં જે વિશેષતા સમજવાની છે, તે કહે છે पुमठाणे नपुवेओ, कोहे ओहम्मि नवसयं तित्थं । विणु य चउमानमाया - लोहा आहारचउग विणा ॥ ५० ॥ पुरुषस्थाने नपुंसकवेदः, क्रोधे ओघे नवशतं तीर्थम् । विना च चतुर्मानमाया - लोभेभ्यः आहारकचतुष्कं विना ॥ ५० ॥ ગાથાર્થ : પુરુષવેદના સ્થાને નપુંસકવેદનો ઉદય કહેવો. ક્રોધમાર્ગણામાં માનચતુષ્ક, માયાચતુષ્ક, લોભચતુષ્ક અને જિનનામને છોડીને ઓઘે - ૧૦૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. મિથ્યાત્વે આહારક ચતુષ્ક વિના ૧૦૫.. (૫૦) * વિવેચન : દેવરતાદિ પાંચ ગુણઠાણે પુરુષવેદમાર્ગણામાં પુરુષવેદનો ઉદય કહ્યો હતો, જ્યારે અહીં નપુંસકવેદનો ઉદય કહેવો, બાકી બધું પુરુષવેદમાર્ગણાની જેમ સમજવું. નપુંસકોને પણ આહા૨કલબ્ધિ હોઈ જ શકે છે, એટલે જ ચોથા કર્મગ્રંથમાં નપુંસકવેદમાર્ગણામાં ૧૫ યોગો કહ્યા છે. તેથી પુરુષવેદની જેમ નપુંસકવેદ માર્ગણામાં પણ આહારકદ્વિકનો ઉદય સંભવી જ શકે.. * ૫૧ મી ગાથામાં રહેલ ‘મિચ્છે=મિથ્યાત્વગુણઠાણે' એ પદનો અન્વય અહીં કરવાનો છે.. જુઓ ચોથો કર્મગ્રંથ શ્લોક-૨૫. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy