SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ... ૮૫ * જે સમ્યગ્દષ્ટિ જીવ સમ્યક્ત્વ સાથે દેવ-મનુષ્ય-તિર્યંચમાં ઉત્પન્ન થાય, તેને લઈને અહીં ત્રણ આનુપૂર્વીનો પણ ઉદય હોય.. * મિશ્રમોહનીયનો ઉદય ચોથે ન હોય. હવે બાકીના ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તેને અતિદેશથી જણાવે છે - सेसपणगुणेसु नपु-त्थीविणु ओहव्व थीअ पुरिसव्व । वरं पुमठाणे थी, उदओ णोहे तह पत्ते ॥ ४६ ॥ शेषपञ्चगुणेषु नपुंसकस्त्रियौ विनौघस्येव स्त्रियां `पुरुषवत् 1 नवरं पुरुषस्थाने स्त्र्युदयो नौघे तथा प्रमत्ते ॥ ४६ ॥ ગાથાર્થ : બાકીના પાંચ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. સ્ત્રીવેદમાર્ગણામાં પુરુષની જેમ ઉદય કહેવો, પણ ફરક એટલો કે પુરુષના સ્થાને સ્ત્રીવેદનો ઉદય કહેવો તથા ઓથે + પ્રમત્તે આહારકદ્વિકનો ઉદય ન કહેવો. (૪૬) વિવેચન : (૫-૯) પુરુષવેદમાર્ગણામાં દેશવિરતથી લઈને અનિવૃત્તિકરણ સુધીના પાંચ ગુણઠાણે નપુંસકવેદ અને સ્ત્રીવેદને છોડીને, જે પ્રમાણે કર્મસ્તવમાં ઓધથી કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો.. (અહીં પુરુષવેદમાર્ગણા પ્રસ્તુત છે, એટલે તે સિવાયના બે વેદનો ઉદયવિચ્છેદ થાય.) તે આ પ્રમાણે - દેશવિરતે (૮૭-૨=)૮૫, પ્રમત્તગુણઠાણે (૮૧૨=)૭૯, અપ્રમત્તગુણઠાણે (૭૬-૨=)૭૪, અપૂર્વકરણે (૭૨-૨=)૭૦, અનિવૃત્તિકરણે (૬૬-૨=)૬૪.. અહીં બધે કર્મપ્રકૃતિના ઉદય-અનુદયની ભાવના કર્મસ્તવ મુજબ સમજવી. * નરકમાં જનાર જીવ નપુંસકવેદી હોય છે, એટલે અહીં પુરુષવેદમાર્ગણામાં નરક સિવાયની ત્રણ ગતિનો ઉલ્લેખ કર્યો.. * ૪૭ મી ગાથામાં રહેલ ‘આહારવુાં’ પદનો અન્વય અહીં કરવો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy