SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ઉદયસ્વામિત્વ પ્રકૃતિઓનું વર્જન કર્યું... કે પુરુષવેદીને સ્ત્રી-નપુંસકવેદનો ઉદય ન હોય, એટલે બાકીના બીજા બે વેદનું અહીં વર્જન કર્યું. 26 જિનનામકર્મનો ઉદય તેરમા-ચૌદમા ગુણઠાણે થાય અને ત્યાં કોઈ વેદ હોતો *નથી.. એટલે અહીં જિનનામકર્મનો પણ ઉદયવિચ્છેદ કહ્યો.. (૧) ૧૦૦માંથી મિથ્યાત્વગુણઠાણે આહારકદ્ધિક, સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીય – એ ૪ પ્રકૃતિઓ છોડીને ૧૦૩ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (આ ચારે પ્રકૃતિનો ઉદય યથાસંભવ ઉપરના ત્રીજાદિ ગુણઠાણે થતો હોવાથી અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો.) (૨) ૧૦૩માંથી સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વને છોડીને ૧૦૨ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (મિથ્યાત્વનો ઉદય પહેલે ગુણઠાણે જ થવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.) (૩) ૧૦૨માંથી મિશ્રગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક + દેવ-મનુષ્ય-તિર્યંચ એ ત્રણ આનુપૂર્વી છોડીને અને મિશ્રમોહનીય ઉમેરીને ૯૬ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. ભાવના : * અનંતાનુબંધીચતુષ્કનો ઉદય બીજા ગુણઠાણા સુધી જ હોવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.. 24 ત્રણ આનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં જ હોય છે અને ત્યાં ત્રીજું ગુણઠાણું હોતું નથી. એટલે અહીં ત્રણ આનુપૂર્વીનો અનુદય કહ્યો.. 7 ત્રીજે મિશ્રમોહનીયનો નિયમા ઉદય હોય.. (૪) ૯૬ માંથી અવિરતગુણઠાણે ત્રણ આનુપૂર્વી + સમ્યક્વમોહનીય ઉમેરીને અને મિશ્રમોહનીયને છોડીને ૯૯ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. ભાવના : * ક્ષયોપશમસમ્યક્તવાળા પુરુષને લઈને અહીં સમ્યક્વમોહનીયનો ઉદય નિયમા હોય. - * વેદનો ઉદય નવમા ગુણઠાણા સુધી જ હોય છે, ત્યારબાદ તેનાં ઉદયનો વિચ્છેદ થઈ જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy