SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શકાય. ગુરુનું એ વચન સાંભળતાં રાજાએ તરત જ પોતાના પ્રધાન પુરુષોને કાશ્મીર દેશમાં મોકલ્યા. તેઓ પ્રવર નામના નગરમાં પહોંચ્યા અને ભારતી દેવીને ચંદનાદિકથી પૂજીને સ્તુતિ પાઠ કરવા લાગ્યા. એટલે સંતુષ્ટ થયેલ દેવીએ પોતાના અધિષ્ઠાયકોને આદેશ કર્યો કે શ્રી હેમચંદ્ર શ્વેતાંબર મારા પ્રસાદ પાત્ર છે. એટલું જ નહિ પણ જાણે મારી બીજી મૂર્તિ રૂપે હોય એવા છે. માટે તેમના નિમિત્તે પ્રેગ્ય વર્ગને પુસ્તકો આપીને વિદાય કરો.” પછી ભારતી દેવીએ તે પ્રધાન પુરૂષોને સારો સત્કાર કરી તેમને પુસ્તકો અપાવ્યાં અને ઉત્સાહપૂર્વક વિદાય કર્યા. એટલે દેવીના પ્રસાદથી ભારે હર્ષથી રોમાંચિત થતા તે અલ્પ સમયમાં પોતાના નગરમાં આવી પહોંચ્યા. ત્યાં એકનિષ્ઠાવાલા શ્રી હેમચંદ્રપ્રભુપર દેવીનો કેવો આદર અને સંતોષ છે તે તેમણે રાજાને નિવેદન કર્યું, જે સાંભળતાં ચમત્કાર પામેલ રાજા કહેવા લાગ્યો કે-અહો! હું અને મારો દેશ ધન્ય છે કે જ્યાં આવા સુજ્ઞ શિરોમણું ગુરુ બિરાજમાન છે. પછી શ્રી હેમચંદ્રસૂરિએ પણ તે આઠે વ્યાકરણનું અવલોકન કરીને શ્રી સિદ્ધહેમ નામે નવું અદ્દભૂત વ્યાકરણ બનાવ્યું કે જે આઠ અધ્યાયના ગાનુશાસન, સૂત્ર, વૃત્તિ, નામમાલા અને અનેકાર્થના પાઠથી રમણીય છેઃ વલી સર્વે વ્યાકરણોમાં જે મુગટ સમાન અને સમસ્ત વિદ્વાનોને આદર પાત્ર છે. પ્રથમના વ્યાકરણ બહુ વિસ્તીર્ણ હતાં, તેથી સમસ્ત આયુષ્યભરમાં પણ શીખી શકાય તેવાં નહોતાં અને તેથી પુરુષાર્થ સાધવામાં ખલના પમાડનાર હતાં તેમજ કેટલાક સંક્ષિપ્ત, દુર્બોધ અને દોષના સ્થાનરૂપ હતાં. તેથી આધુનિક વિદ્વાનોએ એ વ્યાકરણને પ્રમાણ કર્યું. તેના દરેક પાને અંતે એક એક શ્લોક છે, કે જેમાં મૂલરાજ તથા તેના પૂર્વજ રાજાઓનું વર્ણન કરવામાં આવેલ છે અને સર્વ અધ્યાયને અંતે ચાર શ્લોક છે તેમજ પાંત્રીશ શ્લોકમાં તેની પ્રશસ્તિ કરવામાં આવેલ છે. નગરનાં વિદ્વાનોએ તથા રાજાના પુરોહિતોએ તેનું ત્રણ વર્ષ સુધી વાંચન કર્યું. પછી તે પુસ્તક લખાવવાને માટે રાજાના નિયુક્ત પુરુષોએ સર્વસ્થાનો થકી ત્રણ લેખકોને બોલાવ્યા ત્યાં રાજાએ તેમનો સારો સત્કાર કર્યો, એટલે પુસ્તકો લખાવતાં સર્વ દર્શનોના પ્રત્યેક અભ્યાસીને તે આપવામાં આવ્યાં. જેથી અંગ, બંગ, કલિંગ, લાટ, કર્ણાટક, કણ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, વત્સ, કચ્છ, માલવ, સિંધુ, સૌવીર, નેપાલ, પારસીક, મુરંડક, ગંગા પારે હરદ્વાર, કાશી, ચેદિ, ગયા, કુરુક્ષેત્ર, કાન્યકુજ, ગૌડ, શ્રી કામરૂપ, સપાદલક્ષ, જાલંધર, ખસ, સિંહલ, મહાબોધ, બોડ કૌશિક, ઈત્યાદિ બધા દેશોમાં તે વ્યાકરણ ખૂબ વિસ્તાર પામ્યું. વલી રાજાએ ઉપનિબંધ સહિત વીશ પુસ્તકો અત્યારે પૂર્વક કાશ્મીર દેશમાં મોકલ્યાં ત્યાં તે ભંડારમાં રાખવામાં આવ્યાં, કારણ કે સવે લોકો પોતાના વચન નિર્વાહ કરે છે તો દેવીની શી વાત કરવી?” હવે પોતાના કુલને શોભાવનાર એવો કાકલનામે એક કાયસ્થ હતો કે જે આઠ વ્યાકરણને અભ્યાસી અને પોતાની પ્રજ્ઞાથી શેષનાગને જીતનાર હતો. તેને જોતાંજ આચાર્ય એ શાસ્ત્રને તત્ત્વાર્થને જાણનાર એવા તેને તરતજ અધ્યાપક બનાવ્યો.પછી પ્રતિમાને જ્ઞાન પંચમીના દિવસે તે પ્રશ્નો પૂછી લેતો અને ત્યાં અભ્યાસમાં પ્રવૃત્ત થએલા વિદ્યાર્થીઓને રાજા કંકણાદિથી વિભૂષિત કરતોઃ એમ એ શાસ્ત્રમાં નિષ્પન્ન તૈયાર થયેલા જનોને રાજા રેશમી વસ્ત્રો, કનકભૂષણે, સુખાસન અને આતપત્રથી અલંકૃત કરતો હતો.” ઉપરની હકીકતથી જણાશે કે મહર્ષિ હેમચન્દ્ર સિદ્ધરાજની પ્રાર્થનાથી અનેક વ્યાકરણનું દોહન કરીને આ ઉત્તમ સરલ સંપૂર્ણ વ્યાકરણની રચના કરી અને સિદ્ધરાજે બ્રાહ્મણોની ઈર્ષ્યાની દરકાર કર્યા વગર સારી રીતે તેનો પ્રચાર કરાવ્યો. - સિદ્ધરાજ પછી કુમારપાલ ગાદીએ આવતાં તેના રાજ્યમાં એ વ્યાકરણને પ્રચાર સારી રીતે વૃદ્ધિ પામતો જણાય છે, કેમકે હેમચંદ્ર સૂરીશ્વરે સિદ્ધહેમશબ્દાનુશાસન ભણવાવાલાઓ વિશેષ વ્યુત્પન્ન બને તે ખાતર દ્વયાશ્રયકાવ્ય કુમારપાલના રાજ્યમાં રચ્યું છે–એટલું જ નહીં પણ સંસ્કૃત ભાષાના વિદ્વાન થઈ શૃંગારાદિ રસોથી પૂર્ણ કાવ્યો ભણું પોતાના જીવન બગાડવાને બદલે પ્રજાજનો આદર્શ સંસ્કૃતિવાલા બને તે ખાતર યોગશાસ્ત્ર અને ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર જેવા મહાન આદર્શ *ગ્રન્થો રચી સન્માર્ગમાં વિચરવા ઈચ્છનાર વિદ્વાન ઉપર હોટો ઉપકાર કર્યો છે. ૧ જેમાં ક્રમે કરી છએ ભાષા શીખવનાર ઉપરોક્ત વ્યાકરણના સૂત્રોના ઉદાહરણની સાથે સાથે જ ચૌલુક્ય વંશનું ઉત્તમ વર્ણન પણ સલંગ આવે છે. ૨ મહર્ષિ હેમચંદ્ર રચેલ સાહિત્ય એટલું વિશાલ હતું કે સંવત ૧૩૩૪ ની ચૈત્ર માસની શુકલ સપ્તમી પુનર્વસુ નક્ષત્ર શુક્રવારના દિવસે પૂર્ણ કરેલ પ્રભાવક ચરિત્રમાં તેના કર્તા પ્રભાચંદ્રસૂરિજી વર્ણવે છે (પૃષ્ઠ ૩૧૪) કે, “તેમણે બનાવેલ ગ્રંથો કેટલા છે તેની સંખ્યા મલવી મહા મુશ્કેલ છે તે હારા જેવા મંદબુદ્ધિ તે ગ્રંથોના નામ પણ ક્યાંથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004040
Book TitleHaim Prakash Maha Vyakaranam Purvarddham
Original Sutra AuthorN/A
AuthorKshamavijay
PublisherHiralal Somchand Kot Mumbai
Publication Year1937
Total Pages560
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy