SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત ૧૯૬૯ માં લુધિયાનામાં ચાતુર્માસ. હોસિયારપૂરમાં ચાતુર્માસ વિતતાં સંવત ૧૯ત્ની શરૂઆત થઈ અને મહારાજ શ્રી અમિવિજ્યજીએ વિહાર શરૂ કર્યો. તેઓ ગામેગામ વિચરતાં અમૃતસર ગયા અને નારોવાલની વિનંતિ આવતાં ત્યાં પ્રતિષ્ઠા કરવા પધાર્યા. નારીવાલના જૈન દેરાસરમાં પ્રતિષ્ઠા થઈ ત્યારે દેશ પંજાબના અને ગુજરાતના જૈનો પણ ત્યાં પધાર્યા હતાં. એ ગામમાં પ્રતિષ્ઠા મહોત્સવ થયા બાદ મહારાજ શ્રીએ વિહાર શરૂ કર્યો અને નાના ગામોમાં વિચરવા લાગ્યા. પાછી લુધિયાનાની વિનંતી આવી. પરિણામે તેઓ ચૌમાસા પહેલા લુધિયાના પહોંચ્યા અને પર્યુષણ પર્વ ઉધિયાનાની જનતાએ ઘણે આનંદપૂર્વક ઉજવ્યા. શ્રી મહાવીર સ્વામીના જન્મદિવસે. લુધિયાનાના ઉપાશ્રયમાં સ્વ ઉતારવામાં આવ્યાં ત્યારે તેની ઉપજ આશરે આઠસો રૂપિયા થઈ. એ રૂપિયાના લુધિયાનાના જૈનોએ ચાંદીના સ્વમ બનાવ્યાં અને તે હજી સુધી ત્યાં ઉપયોગમાં લેવાય છે. આ પર્યુષણ પર્વમાં પંજાબની દસ બાઈઓએ પંચમીનું તપ ઉચયું. લુધિયાનાથી મહારાજ શ્રીએ એ પછી સંવત્ ૧૭૦ માં વિહાર શરૂ કર્યો અને જુદે જુદે ગામ ઉપદેશ આપતાં આગળ વધ્યા. વચ્ચે જાલન્ધર ગામ આવ્યું. ત્યાં અગાઉ જણાવેલા બાઈ ઈકોર બાઈએ મોટા પાયા પર ઉદ્યાપન (ઉજમણુ) મહોત્સવ ઉજવવા તૈયારી કરી હતી. જાલંધરમાં મહારાજશ્રીએ ઉદ્યાપન મહોત્સવ અતિ ઉત્સાહપૂર્વક કર્યો અને એ મહોત્સવમાં પણ દેશ પરદેશના અનેક જૈને આવ્યાં હતાં. અહિંથી મહારાજ શ્રી અમૃતસર પધાર્યા. આ અમૃતસર શહેરમાં લાલા હરિશ્ચંદે ઉદ્યાપન મહોત્સવની મોટી તૈયારી કરી હતી. તેમાં મહારાજ શ્રીએ ભાગ લીધો અને ઘણું જૈન ભાઈઓ અને બહેનોએ ઘણા વ્રત ઉર્યા. અહિંથી મહારાજશ્રી જંડિયાલા પધાર્યા. જ્યાં લાલા હરિશ્ચન્દ્ર બ્રહ્મચારી તરફના ઉદ્યાપન મહોત્સવમાં તેઓશ્રીએ ભાગ લીધો. લાલા હરિશ્ચન્દ્ર એ મહોત્સવ વિષે એમ કહેતા હતા કે “આજ મારો વિવાહ મહોત્સવ છે.” સંવત ૧૯૭૦માં જમુમાં ચાતુર્માસ. જંડીયાલાથી ગામે ગામે વિહાર કરતાં સંવત્ ૧૯૭૦માં શ્રી અમિવિજયજી મહારાજ કાશમિર તરફ ગયા અને રાધાનીના શહેર મુમાં પહોંચ્યા. હાલના ઉપાધ્યાયજી મહારાજ શ્રી ક્ષમાવિજ્યજી મહારાજનો જન્મ જંબુમાં થયો હતો. જૈમુમાં સનખતરાના નિવાસી ઉદેચંદજી તે વખતે પોલીસખાતામાં હતા. તેમની મદદ અને ગુરૂમહારાજના ઉપદેશથી પર્યુષણના વરઘોડામાં રાજ્ય તરફથી હાથી, ઘોડા, પલટણ વિગેરેની મદદ મળવાથી, વરઘોડો મોટા ઠાઠથી નીકળ્યો હતો. કહેવાય છે કે એવો વરઘોડો અગાઉ કદિ નીકળ્યો ન હતો. જૈમુમાં જૈનોનો વરઘોડો રાજસાહી ઠાઠ સાથે જાહેર રસ્તાઓ ઉપર ફરવાનો તેનો પહેલોજ પ્રસંગ હતો. અહિં લાલા સાંઈદાસે નવપદજીની ઓળી ઉચરી. આ ગૃહસ્થ એ વરસપછી, મહારાજશ્રી વિહારમાં જે ગામમાં હોય ત્યાં ચૈત્રની ઓળી કરવા દરવરસે જતાં હતાં. એ વર્ષમાં જમુમાં દસ સ્થાનકવાસી કુટુંબો મૂર્તી પૂજામાં શ્રદ્ધા ધરાવતાં થયાં. રસંવત ૧૯૭૧માં જીરામાં ચાતુર્માસ, જમુમાં ચાતુર્માસ પૂરૂ થતાં, જીરાની વિનંતી આવતાં મહારાજ શ્રી જીરા ગામ પધાર્યા અને ત્યાં ચાતુર્માસ કર્યું. અહિં લાલાશંકરદાસજીની ધર્મ પતીને વૈરાગ્ય ભાવના મોટા પ્રમાણમાં જાગી અને સાવી દીક્ષા માટે તે ઇચ્છા કરવા લાગી. મહારાજશ્રીએ તે છતાં તેની દીક્ષા માટેની ઈચ્છા વધુ પરિપકવ થાય ત્યાંસુધી તેને દિક્ષા ન આપી અને સંવત્ ૧૯૭૩માં ભાવનગરમાં તે બાઈએ ભાવનગર જઈને સાધ્વીજીશ્રી દેવશ્રીજી પાસે સાધ્વી દીક્ષા લીધી. જીરામાં જ્ઞાનપંચમીનું ઉજમણું અતિ ધામધુમથી થયું હતું અને બહાર ગામથી વરઘોડામાં હાથી અને ચાંદિના રથ મંગાવવામાં આવ્યા હતાં. આ રથમાં ભગવાનને પધરાવવાની બોલીના રૂ. ૧૭૫૦ ઉપજ્યા હતા. સંવત ૧૯૭૨-માલર કોટલામાં ચાતુર્માસ. સંવત્ ૧૯૭ર ની શરૂઆતમાં જીરાનું ચાતુર્માસ પૂરૂ થતાં શ્રી અમિવિજયજી મહારાજ, બીજા મુનિરાજે સાથે વિહાર કરવા લાગ્યા અને માલેર કોટલા પહોંચ્યાં. અહિં લાલા દેવીચંદજી મલેરાએ મહા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004040
Book TitleHaim Prakash Maha Vyakaranam Purvarddham
Original Sutra AuthorN/A
AuthorKshamavijay
PublisherHiralal Somchand Kot Mumbai
Publication Year1937
Total Pages560
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy