SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય શ્રી વિજ્યકમળસૂરિજી સાથે, મુનિરાજશ્રી અમિવિજ્યજી મહારાજનો ઉપકાર મારવાડ અને માળવા દેશો ઉપર મોટો હતો, તે ઉપર આપેલી વિગતો ઉપરથી જણાશે. પણ તેમનો બહુ મોટો ઉપકાર તે પંજાબના શ્રાવક ઉપર હતો. તેમના ગુરૂવર્યશ્રી ચારિત્રવિજયજી મહારાજ સાથે પંજાબમાં હતાં. સંવત્ ૧૯૬૪ માં આચાર્ય શિરોમણી શ્રીવિજય કમળ સૂરીશ્વરજી આચાર્યસમ્રાટ શ્રીમદ વિજયાનંદ સૂરીશ્વરજીના અનન્ય પટ્ટધર બંગાલમાંથી વિહાર કરતાં, પંજાબ નિવાસિ જૈન જનતાની વિનંતિથી પંજાબ તરફ વિચરી રહ્યાં હતાં. તેઓ શ્રીને લેવાને કેટલાક ગાઉ સુધી ઘણા પંજાબી જૈનો આગલ ગયાં હતાં. અને તેમનો પ્રવેશ પ્રથમ અંબાલામાં થનાર હતો. એ વિહાર ચાલતો હતો ત્યારે સંવત્ ૧૬૩ નું ચાતુર્માસ પૂરું થતાં સંવત્ ૧૯૬૪ ની શરૂઆત બાદ કેટલાક દિવસો પછી શ્રી અમિવિજયજી મહારાજે પોતાના ગુરુવર્યની સેવા અર્થે પોતાનો વિહાર રતલામથી પંજાબ તરફ લંબાવ્યો. એ વખતે શ્રીમદ વિજયકમળસૂરીશ્વર અંબાલા શહેરમાં પધારી ચૂક્યા હતા અને તેમની સાથે શ્રીમલખ્યિવિજયજી મહારાજ, શ્રીમદ્દ વીરવિજયજી મહારાજ આદિ બહોલો મુનિસમુદાય હતો. આચાર્યદેવને અંબાલાની જૈન જનતાએ આખા શહેરને ધ્વજા પતાકા અને તોરણોથી શૃંગારી જેવું માન આપ્યું હતું, તેવું માન બીજા થોડાક મુનિરાજેને આપ્યું હશે. અનેક પ્રકારના વાઘોવાજીંત્રો–અને મંડળીઓથી સુશોભિત સરઘસ કાઢી એ સૂરીશ્વરને અંબાલામાં જ્યારે જૈન જનતાએ પ્રવેશ કરાવ્યો ત્યારે અન્યદર્શનીઓ પણ ગુરૂસેવા જોઈને આશ્ચર્ય ચકિત થયા હતા. એ વખતે રતલામથી વિહાર કરીને શ્રી અમિવિજયજી મહારાજ, આચાર્ય દેવ શ્રીવિજયકમળસૂરીશ્વરજીના બહોલા મુનિસમુદાય સાથે જોડાયા અને ક્રમેકરી પોતાના ગુરુવર્ય શ્રી ચારિત્રવિજયજીને મળ્યા. શ્રી અમિવિજયજી મહારાજ સાથે એ વખતે બીજા આઠ મુનિઓ હતા. શ્રી વિજયકમળ સૂરીશ્વરજી મહારાજે અંબાલામાં કેટલોક વખત સ્થિરતા કરીને અનેક જીવોને ધર્મ દેશને આપી ધર્મમાં સ્થિરતા કરાવી. એ શહેરમાં વીસેક દિવસ ધર્મોપદેશ સંભળાવ્યા બાદ તેઓશ્રી બધા પરિવાર સાથે આસપાસના ગામોમાં વિચરતાં વિચરતાં લુધિઆના પધાર્યા. એ શહેરમાં પંદરેક દિવસ ધર્મદેશના સંભળાવવામાં આવી. તે પછી બધા ફિલોર, ફગવાડા આદિ ગામોમાં વિચરી જલંધર, અમૃતસર, લાહોર આદિ–શહેરોમાં પધાર્યા અને ત્યાંની જનતાએ તેમનું બાદશાહી સ્વાગત કર્યું. એ પછી ગુજરાનવાળાની જૈન જનતાએ આચાર્ય દેવને વિનંતી મોકલી કે તેઓશ્રીએ આચાર્ય સમ્રાટ શ્રીવિજયાનંદ સૂરીશ્વરજીના પાકમળની પ્રતિષ્ઠા કરવા ગુજરાનવાળા પધારવા કૃપા કરવી અને ધર્મોપદેશ સંભળાવી જનતાની તરસ છીપાવવી. આચાર્યદેવ આથી ગુજરાનવાળા તરફ બધા સમુદાય સાથે પધાર્યા. ઉપલા બધા ગામોમાં વિહાર દરમિયાન તેમને સનાતનીઓ, આર્યસમાજીસ્ટ અને ઢંઢકો ઘણી વખત મળવા આવતા હતા અને મૂર્તિપૂજાવિષે વેદવિષે, પૂરાણોવિશે અનેક પ્રશ્નો પૂછતાં હતાં. એ પ્રશ્નોતર થતાં હતાં ત્યારે આચાર્ય દેવને માલમ પડ્યું કે ન્યાય અને વ્યાકરણમાં શ્રી અમિવિજયજી મહારાજ પ્રવિણ હતાં અને તેઓ શાસ્ત્રોના પ્રશ્નોનું નિરાકરણ સારી રિતે કરી શકતા હતા. આથી જ્યારે ઉપર જણાવ્યા પ્રમાણેના અન્ય દર્શનીઓ આવતાં હતાં ત્યારે આચાર્યદેવ શ્રી અમિવિજયજી મહારાજને કેટલીક વખત શંકા સમાધાન કરવાનું કામ સોંપતા અને તેઓ તે સારી રિતે કરતાં. શ્રી અજ્ઞાન તિમિર ભાસ્કર અને સનાતનિઓ. પંજાબના પાટનગર જેવું જૈન પૂરિ ગણાતું ગુજરાનવાળા શહેર એ વખતે મુનિરાજેની મોટી સંખ્યાથી હલમળી રહ્યું હતું અને પુજ્ય આચાર્ય સમ્રાટ શ્રીમદ વિજયાનંદસૂરીશ્વરજીની સમાધિની પ્રતિષ્ઠા થવાની હોવાથી આખા પંજાબનો જૈન માનવ સમુદાય ગુજરાનવાળામાં સંવત્ ૧૯૬૪ ના વૈશાખ માસમાં મહોત્સવ ઉજવવા ગયો હતો. એ વખતે પંજાબ ઉપરાંત મારવાડ, મહારાષ્ટ્ર, ગુજરાત, બંગાલ, માળવા આદિ દેશોમાંથી પણ સેંકડો શ્રીમંતો પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા પધાર્યા હતા. હમેંશા સાધમિક વાત્સલ્ય, ઉત્તમ પ્રભાવનાઓ અને પૂજા અને ભાવનાનો દોર ચાલુ હતો. વૈશાખ સુદ ૬ ના દિવસે ૧ ગુરુમહારાજનો પંજાબના વિહારાદિ સંબંધી વૃત્તાન્ત લુધિયાના (પંજાબ) નિવાસી લાલા શિબૂમલના પુત્ર લાલા હુકમચંદજીએ પૂરો પાડેલ છે. તેમને એક પત્ર પણ આ જીવનવૃત્તાન્તને છેડે આપવામાં આવેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004040
Book TitleHaim Prakash Maha Vyakaranam Purvarddham
Original Sutra AuthorN/A
AuthorKshamavijay
PublisherHiralal Somchand Kot Mumbai
Publication Year1937
Total Pages560
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy