SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ કાજ માટે મોકલ્યો. ત્યાં તેણે દેવકીજીના છ પુત્રોનો રસ વાંચવામાં આવતાં વૈરાગ્યની પ્રબળ ભાવના થઈ અને આ અસાર સંસારમાં આત્મસાધન કરવા ઈચ્છા થઈ. આ વૈરાગ્ય ભાવના, રાસ વાંચવાથી અને વિજ્યાનંદસૂરિકૃત ગ્રંથ મનન કરવાથી થઈ હતી. એ વખતે મદ્રાસમાં તેમજ મુંબઈમાં સાધુઓનું આગમન થયું ન હતું. વળી મુનિરાજોની સંખ્યા આખા દેશમાં પણ બહુ થોડી હતી. ગામે ગામ એ વખતે યતિઓ સ્થિરતા કરતાં અને શ્રાવકો તેમને પર્યુષણ પર્વ વખતે અમુક નાણાની રકમ આપીને પર્યુષણ ઉજવતાં તે છતાં માત્ર રાસ વાંચવાથી, મુનિરાજના પરિચય વગર શ્રી અચલદાસને વૈરાગ્ય ઉત્પન્ન થયો એ બિના ભાવિ કેટલું બળવાન છે, તેજ દેખાડે છે. પંજાબમાં માત્ર સોળ વર્ષની વયે શ્રીઅચલદાસને વૈરાગ્ય ભાવના ઉપજી અને તે મદ્રાસથી મુંબઈ આવ્યો. તેણે મુંબઈને ગ્રાન્ટરોડના સ્ટેશન પરથી બારોબાર પંજાબના માલર કોટલા” જવાનો નિશ્ચય કર્યો અને પોતાના પિતાને ખબર આપ્યા વગર તે માલર કોટલા જવા નિકળ્યો. એ શહેરમાં તે વખતે આચાર્ય દેવ શ્રીવિજયાનંદ સૂરિજી બિરાજતા હતા. તેઓએ અચલદાસની ઈચ્છા જાણ્યા બાદ ધર્મનો વધુ અભ્યાસ કરવા તેને સલાહ આપી અને મુંબઈમાં તેના પિતાશ્રીને અચલદાસ માલેર કોટલા આવેલ હતો, તેની ખબર આપી. આથી શ્રીજોધરાજજી અચલદાસને લેવા માલર કોટલા ગયા અને તેને સમજાવીને મુંબઈ પાછા લાવ્યા. પણ અચલદાસને શરાફી ધંધો ન રૂચ્યો. બીજી વખત તક મળતાં તે ફરીથી પંજાબ ગયો અને એક વધુ વખત તેના પિતાશ્રી તેને પાછો લાવ્યા. આ વખતે અચલદાસને ચાણોદ લઈ જવામાં આવ્યો. જ્યાં તે અઢાર વર્ષની ઉમરનો થતાં, તેની નાની બેન વિધવા થઈ બહેનનું દુખ અને વૈધવ્ય જોઈ અચલદાસને એ ભાવના થઈ કે બહેનને ધર્મનું જ્ઞાન આપવું અને તે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરે તે બાદ હેનને સાવી દિક્ષા અપાવી, અને પોતે પણ મુનિ દિક્ષા લેવી. આ ઈછા પાર પાડવા તેણે પોતાની હેનને સતત ધમભ્યાસ કરાવવા માંડ્યો અને પોતાની વીસ વર્ષની ઉમર થતાં સુધી તેમને ધર્માભ્યાસ કરાવ્યો. એ પછી તે સાધુ દીક્ષા લેવા તૈયાર થયો. તેણે એ સમયે શ્રી સમેત શિખરની જાત્રા કરી અને શ્રીમદ વિજ્યાનંદસૂરિજીને ખબર આપી કે હવે તો તે કોઈ પણ રીતે મુનિદીક્ષા લેવા માગે છે. જામનગરમાં મુનિદીક્ષા, શ્રીમદ્ વિજ્યાનંદસૂરીશ્વરજીએ જ્યારે ટુંક મત છોડી શુદ્ધ જૈનધર્મમાં સંવેગી સાધુ દીક્ષા લીધી, ત્યારે તેમની સાથે સોળ મુનિરાજ હતાં, જેઓ પણ ઢંઢક મત છોડી શુદ્ધ ચરિત્રવાન બની શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વરજી સાથે સામેલ હતા. એ મુનિરાજોમાંના એકનું નામ ઢંઢક મતમાં તેઓ હતા ત્યારે સલામત રાયજી હતું. તેઓએ સંગીદીક્ષા લીધા બાદ તેમનું નામ શ્રી ચારિત્રવિજયજી મહારાજ રાખવામાં આવ્યું હતું. એ મુનિરાજ તે વખતે જામનગરમાં હતાં. શ્રીમદ્દ વિજયાનંદસૂરીજીએ અચલદાસના પત્રના જવાબમાં જણાવ્યું કે જે તે સાધુ દીક્ષા લેવા માંગતો હોય તો તેણે જામનગર જઈને શ્રીચારિત્ર વિજયજી પાસે દીક્ષા લેવી. એ વખતે શ્રીચારિત્રવિજયજી મહારાજને એક શિષ્ય હતા અને તેમનું નામ શ્રી કલ્યાણ વિજયજી હતું. શ્રીઅચલદાસ ઉપલો જવાબ મળતાં માત પિતાની આજ્ઞા લઈ જામનગર ગયા અને ગુરુ મહારાજને દીક્ષા આપવા વિનંતિ કરી. એ વખતે કેટલાક ઢંઢક મતાનુયાયીઓએ નામદાર જામ સાહેબને ખબર આપી કે એક જુવાન શ્રાવક દીક્ષા લેવા જામનગર આવેલ છે અને તેને શ્રીચારિત્રવિજયજી મુનિદીક્ષા આપનાર છે. નામદાર જામસાહેબે આથી અચલદાસને બોલાવ્યા અને તેમને શા કારણથી દીક્ષા લેવા ઇચ્છા થઈ હતી તે વિશે સવાલો પૂછ્યા. આ સવાલોના જવાબ યોગ્ય માલમ પડતાં નામદાર જામ સાહેબે તેમને દીક્ષા લેવા રજા આપી અને દીક્ષા અગાઉના વરઘોડા માટે રાજ્યના નિશાન, કા, હાથી, સોનાની અંબાડી, સિપાઈઓની પલટણ વીગેરે આપ્યા. આ પછી અચલદાસે ૧૯૫૦ ના જેઠ વદ ૧૩ ને દિને મુનિરાજ શ્રી ચારિત્રવિજ્યજી પાસે જૈન સાધુ દીક્ષા લીધી અને તેમનું નામ શ્રીઅમિવિજ્યજી રાખવામાં આવ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004040
Book TitleHaim Prakash Maha Vyakaranam Purvarddham
Original Sutra AuthorN/A
AuthorKshamavijay
PublisherHiralal Somchand Kot Mumbai
Publication Year1937
Total Pages560
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy