________________
૩ સ્મૃતિ અને સ્વાધ્યાય મમતા વડે જીવતા આગમની ગરજ સારવા તેઓ શક્તિમાન હતા.
૪ સ્વભાવગત સરળતા પ્રત્યેક ક્ષેત્રમાં વિસ્તાર પામી હતી જેના દર્શન ગ્રંથ રચનામાં પણ થાય છે.
૫ સહજ કાવ્યશક્તિ પણ તેઓના ગ્રંથમાં દેખાયા વિના ન રહી શકે.
આટલા વ્યક્તિત્વને ખ્યાલ કરીને તેમનાં ગ્રંથનું અવલોકન કરનાર ચક્કસ કેઈ નવીન ચીજ પ્રાપ્ત કરશે.
વાંચન મનન અને ચિંતન તત્વ ન્યાય વિભાકર” માત્ર મૂલ વિ. સં. ૧૫માં પ્રકાશિત કરવામાં આવ્યો હતે અને સટીક ગ્રંથ વિ. સં. ૧૯ માં પ્રકાશિત થયો હતે.
મૂલ અને સટીક ગ્રંથ પ્રકાશિત થતાં જૈન જૈનેતર સમાજ તરફથી પણ કેટલાક વિચાર પ્રવાહે પ્રગટિત થયા. જે પ્રસ્તુત ગ્રંથની મહત્તાના જ સંસૂચક બન્યા છે.
ગ્રંથના પ્રથમ સૂત્રએ જ કેટલાકને વિહ્વળ બનાવી નાંખ્યા હતા. તેમાં એક જૈનેતર વિદ્વાન આચાર્ય દર્શનસૂરિ મહારાજ તેમ જ કહેવાતા ઐતિહાસિક વિદ્વાન્ પં. કલ્યાણ વિજયજીને સમાવેશ થાય છે.
જેનેતર વિદ્વાન અને પં. કલ્યાણવિજયજીએ પ્રથમ સૂત્રના પ્રત્યેક શબ્દ માટે વિરોધ કર્યો છે, જે બંનેના શિષ્ટચિત જવાબ કલ્યાણ માસિકમાં પ્રગટ થયેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org