________________
કરે તે તેઓશ્રીની કલ્પનામાં પણ કદી પ્રવેશ પામ્યું ન હતું, માટે ગ્રંથકારના સાહિત્યનું મૂલ્યાંકન કરનારે માત્ર સંકલના, રચના, રજુઆત પર ધ્યાન રાખવાનું રહે છે. કોઈ એક વ્યક્તિનું સંકલન આવું છે માટે બીજાએ તેથી પણ આવું સંકલન કરવું જોઈએ તે એક નિરર્થક પ્રલાપ છે. માત્ર શાસનના ત યથાયોગ્ય રીતે પ્રદર્શિત થવા જોઈએ તે જ આગ્રહ યોગ્ય છે.
ગ્રંથકાર - ગ્રંથના માર્મિક પાઠકે અને તટસ્થ ચિંતકોને ગ્રંથકાર માટે કેવું બહુમાન પેદા થયેલ છે તે તે આપણે આગળ જોઈશું. તે પહેલાં ગ્રંથકારનું અનેકવિધ વ્યક્તિત્વ પણ દષ્ટિ. ગોચર કરવા જેવું છે.
તેઓશ્રીના જીવનની કેટલીક વિશિષ્ટતાએ તેમના સાહિત્ય સર્જનમાં પણ ઉતર્યા વગર રહે નહિં માટે પણ તે વ્યક્તિત્વની સ્પષ્ટતા કરવી યોગ્ય છે.
૧ સૌ પ્રથમ તેઓશ્રીને પૂ. કમલસૂરીશ્વરજી મ. તેમ જ પૂ. આત્મારામજી મ. જેવા ગુરુ અને પ્રગુરુ પ્રાપ્ત થયા હતા. જેઓમાં રહેલ શાસન પ્રેમ અને સત્ય ગષણ તેમનામાં સહજ રીતે સંક્રાંત થયા હતા.
૨ વ્યાખ્યાનની અજોડ શક્તિએ વાદવિવાદનાં અનેકાનેક પ્રસંગે પ્રાપ્ત કરાવ્યા હતા જેથી દાર્શનિક જ્ઞાન અત્યંત પુષ્ટ બને તેમાં કોઈ આશ્ચર્ય ન ગણાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org