SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પર શાંતિનાથચરિત્ર-ચિત્રપફ્રિકા તેમ તે ઊર્વગામી બનતે જ જાય. અને એ પ્રવૃત્તિનું ચક્ર જો સતત ચાલતું રહે તો એક વખત એ આવે–અને અવશ્ય આવે-કે જ્યારે એ આત્મા ઉન્નતિના ચરમશિખરે પહોંચવા સમર્થ બને. અત્યારે અમ્યુકેન્દ્ર બનેલો શ્રીણને જીવ, ઘણી જ ઝડપથી એ ચરમશિખરે પહોંચવાના ભાગે પળી ચૂકયો હતો. પેલી તરફ નરકભૂમિનું પિતાનું બેંતાલીસ હજાર વર્ષનું આયુષ્ય પૂરું થયું, અનન્તવીર્યને આત્મા, વૈતાઢય પર્વત ઉપર આવેલી વિદ્યાધરની ઉત્તરશ્રેણિ પૈકી, ગગનવલલભ નગરના મેઘવાહન રાજાનો મેઘનાદ નામે પુત્ર થયો. કાળક્રમે તે વિદ્યાધરોની ઉત્તર અને દક્ષિણ અને શ્રેણિઓને રાજા થયે. તે એકવાર મેરુપર્વત ઉપર યાત્રાર્થે ગયેલો, ત્યારે ત્યાં આવેલા અમ્યુક્લે (પૂર્વના અપરાજિતે) પૂર્વજન્મના ભ્રાતુનેહથી પ્રેરાઈને. તેને ધર્મબંધ આપો. એથી બોધ પામેલા મેઘનાદે ત્યાં જ “અમર નામના મુનિભગવંત પાસે દીક્ષા લઈ લીધી અને તીવ્ર તપ:સાધના કરવા પૂર્વક મરીને એ અશ્રુતેને જ સમોવડિયો-સામાનિક દેવ થયા, શ્રીણના આત્માએ હવે પ્રગતિના માગે હરણફાળ ભરી. અભ્યતેન્દ્ર તરીકેનું જીવન પૂરું કરીને એ રત્નસંચયા નગરીના રાજા ક્ષેમકર અને રાણું રત્નમાલાને પુત્ર વિશ્વયુધ નામને ચક્રવર્તી થયો. અને મેઘનાદ (પહેલાનો અનન્તવીર્ય) ને છવ (અભ્યતેન્દ્રના ભવમાં તેને સામાનિક દેવ થયો હતો તે), વશ્વયુધની લક્ષ્મીવતી રાણીની કુખે, સહસ્ત્રાયુધ નામના પુત્ર તરીકે અવતર્યો. એકવાર એવું બન્યું કે, વાયુધ સભા ભરીને બેઠા છે તે વખતે અચાનક કયાંકથી ઊડતુંઊડતું એક ગરીબડું કબૂતર આવીને એના ખોળામાં પડયું. એ ખૂબ ધ્રુજી રહ્યું હતું. રાજા હજી કાંઈ સમજે-વિચારે ત્યાં તે એ કબૂતરની વાંસવાંસ એક બાજ આવી પહોંચ્યો. એની ચકર છતાં કર નજર કબૂતરને શોધવા લાગી. એણે જોયું કે કબૂતર રાજાના ખોળામાં બેઠું છે અને રાજા પાસે રક્ષણની પ્રાર્થના કરી રહ્યું છે, એટલે તરત જ તે મનુષ્યની ભાષામાં બોલ્યો : “રાજન ! આ પારેવું મારું ભક્ષ્ય છે, માટે જલદી મને સોંપી દે. બીજાની વસ્તુ લઈ લેવી કે રાખવી, એ તને ન શોભે. રાજાએ કહ્યું : “આ મેં ચેરેલી ચીજ નથી. આ તો મારું શરણાગત છે. એને મેં શરણ અને રક્ષણ આપ્યું છે અને, તને કદાચ ખબર ન હોય તો જાણી લેજે કે, શરણે આવેલાને ક્ષત્રિયઅચ્ચે કયારેય કોઈને સોંપતો નથી; મરવા દેતો નથી, અને દોસ્ત ! તેં કહ્યું કે આ પારેવું મારું ભક્ષ્ય છે. પણ બીજાના પ્રાણના ભાગે પિતાનું પેટ ભરવું એ કેટલું ખરાબ છે! તું આને મારીને ખાઈ જાય, તે તને તે ક્ષણિક તૃપ્તિ થશે, પરંતુ આ બિચારાને તો જીવ જશે! આવી હિંસા તો મહાન પાતક છે, અને દુ:ખદાયક છે. એવા પાપથી બચવા ખાતર પણ તું, માત્ર આને જ નહિ, પણ કેઈપણ પ્રાણીને મારવાનું છોડી દે.” આ સાંભળીને બાજ ચિડાયો. એ કહે, “રાજા ! અત્યારે હું ભૂખ્યો-તરસ્યો છું, માંડમાંડ આ શિકાર હાથ આવ્યું છે. પહેલાં મને મારી ભૂખ દૂર કરી લેવા દે, પછી તારો બધે ઉપદેશ સાંભળીશ. વળી આ પારેવું તો મારી બીકે તારે શરણે આવ્યું. પણ હું ભૂખ્યો-તરસ્યો કોના શરણે જઉં? તે તો મારું ભક્ષ્ય જ પડાવી લીધું છે ! તું જે ખરેખર દયાળુ છે, તે દયાળુ લોકે તો હિંસક અને અહિંસક બધા છ ઉપર સમાનભાવે દયાવંત હોય છે; એટલે તારે આ પારેવાની જેમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy