SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ શાંતિનાથચરિત્ર-ચિત્રપટિકા મારા ઉપર પણ દયા દાખવવી જોઈએ. જે તું મને મારું ભક્ષ્ય નહિ આપે, તો હું ભૂખને લીધે થોડીવારમાં જ તરફડીને મરી જવાનો. એ હિંસાનું પાપ કોને લાગશે ? તને જ ને? તો એક પાપ અટકાવવા જતાં બીજું પાપ તને વળગશે. એ કરતાં તું મને મારું ભક્ષ્ય સુપ્રત કરી દે એટલે થયું. મને લાગનારા પાપની તારે ફિકર ન કરવી.” રાજાએ તેને બીજા ખાદ્ય-પદાર્થો આપવાની વાત કરી, તો એ કહે, “મને બીજા કે પદાર્થથી તૃપ્તિ નથી થતી. મરેલા પ્રાણીનું માંસ ખાઉં ત્યારે જ મારી ભૂખ શમે છે. માટે કૃપા કરીને મને આ પારેવું સોંપી દે. રાજાના ખોળામાં કબૂતર પાંખેને સંકેરીને લપાઈ ગયું હતું. રાજાને હૂફાળ બળ પામીને એ નિશ્ચિત બની ગયું હતું–જાણે કે ઘડી પહેલાં થયેલા બાજના પ્રાણઘાતક હુમલાને એ વીસરી ગયું હતું. એની આ દશા જોઈને રાજાની આંખો અનુકંપા વર્ષોવી રહી. પળ બે પળ થોભી, મનમાં કાંઈક નિશ્ચય કરીને રાજાએ બાજને પૂછયું: “તારે માંસ જ જોઈ એ ને? આ પારેવાનું જ માંસ જોઈએ એવું તો નથી ને? બીજું તાજું માંસ ચાલે ને? » બાજ કહે, “ ખુશીથી ચાલે, મારે તો માંસ ખપે. એ કેવું છે એની મારે શી પંચાત ? મને તો આ કબૂતર જેટલું માંસ મળી જેય એટલે પત્યું. એથી વધુ ન જોઈએ મારે. વજયધે તરત જ એક ત્રાજવું મંગાવ્યું. તેના એક પલામાં પેલા પારેવાને બેસાડયું. અને, સભાજનો હજી કાંઈ સમજે-જાણે ત્યાં તે લાગલી જ એક છરી હાથમાં લઈને પગની પિંડી અને સાથળ વગેરેના પ્રદેશમાંથી માંસના ટુકડા કાપી કાપીને બીજા પલામાં મૂકવા લાગે. સભાજનો ચિત્કાર કરી ઊયા. એને આમ કરતો અટકાવવા અને એક નગણ્ય પારેવાની ખાતર જીવનનો નાશ નહિ કરવા સૌ એને કરગરવા માંડયા. પણ વ્યર્થ. રાજા દઢ હતો. એને પેલા બાજની વાત ગળે ઊતરી ગયેલી કે રાજાએ તો તમામ પ્રકારની પ્રજાનું પાલન કરવું જોઈએ. આ હિસાબે કબૂતર જે એનું શરણાગત હતું તો બાજ પણ પિતાની પ્રજા હતી. અને, પિતાની પ્રજા ભૂખે મરે એ એને ન પરવડે એવી વાત હતી, તો એની ભૂખ દૂર કરવા માટે બીજા જીવનો ઘાત થવા દેવા પણ એ તૈયાર ન હતો. છેવટે એણે પિતાના શરીરને-જીવનનો ભાગ આપીને પેલાને તૃપ્ત કરવાનો આકરે નિર્ણય લીધો. પ્રજાના પાલનને ખાતર સ્વહસ્તે પિતાનાં અંગે કાપવા છતાં એની સ્વસ્થતા અને પ્રસન્નતા યથાવત જ રહી. પણ એને આશ્ચર્ય એ વાતનું થયું કે, પેલા પારેવાના વજન કરતાં બમણું-2મણું માંસ મૂકવા છતાં, પારેવાવાળું પલું નમેલું જ રહ્યું ! એણે પોતાનાં જે જે અંગોમાંથી સહેલાઈથી વધુ માંસ નીકળે એવું લાગ્યું, ત્યાંથી કાપીકાપીને મૂકવા માંડયું. પણ પહેલું ન નમ્યું તે ન જ નમ્યું! એ જરાક ખમચાયે, ત્યાં જ પિલે બાજ બરાડી ઊઠો: “રાજન ! શા સારુ ખાલી દયાનો દેખાવ કરે છે ? એક કબૂતર જેટલું ય માંસ આપવાની તમારામાં હિંમત અને ગ્રેવડ નથી, તો પછી તમે મને કયાં સુધી ભૂખે ટટળાવશે? છેવટે હું ભૂખે ને તરસ્યો અહીં જ ઢળી પડીશ ત્યાં સુધી ? ? આજનાં આ મર્મવેધી વચન સાંભળી રાજાને શૂરાતન ચઢયું. એની અનુકંપાવૃત્તિએ માઝા મૂકી, છરીને એણે પડતી મૂકી અને પોતે ઊભે થઈને સીધો પેલા પલ્લામાં બેસી ગયો. લાગલું જ પહેલું નમી ગયું, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy